Mumbai : ઓરંગજેબની તરફદારી કરનાર સમાજવાદી પાર્ટીના પ્રમુખ અબુ આઝમી ચારે તરફથી ઘેરાયા, FIR દાખલ

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને મહારાષ્ટ્રના ધારાસભ્ય અબુ આઝમીએ મુઘલ શાસક ઔરંગઝેબના વખાણ કરતા પોતાના નિવેદન પર સ્પષ્ટતા આપી છે. આ નિવેદનથી રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. શિવસેના અને ભાજપે તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. મંગળવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં આ મુદ્દા પર ઘણો હોબાળો થયો. ભાજપ અને શિવસેનાના સભ્યોએ ગૃહમાં જય ભવાની-જય શિવાજીના નારા લગાવ્યા અને અબુ આઝમી સામે કાર્યવાહીની માંગ કરી. ગૃહમાં હોબાળાને કારણે વિધાનસભાની કાર્યવાહી સ્થગિત કરવી પડી.ભાજપ અને શિવસેનાએ વિધાનસભાની બહાર અબુ આઝમી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન પણ કર્યું. આ પણ વાંચો :- surat : સુરતમાં વડાપ્રધાન મોદીનાં આગમનને લઈને તૈયારી શરુ, પોલીસે જાહેરનામું બહાર પાડ્યું આઝમીએ સોમવારે કહ્યું હતું કે રાજાઓ સત્તા અને સંપત્તિ માટે લડતા હતા, તેને ધાર્મિક રંગ આપવો ખોટું…