તાત્કાલિક ઈરાન છોડો: અમેરિકાની એડવાઈઝરી બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ટેન્શન વધ્યું

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે અમેરિકાના વિદેશ વિભાગે ઈરાનમાં રહેતા તમામ અમેરિકન નાગરિકોને તાત્કાલિક દેશ છોડવાની એડવાઈઝરી જાહેર કરી છે. આ એડવાઈઝરી બાદ મધ્ય પૂર્વમાં રાજકીય અને સુરક્ષા પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. અમેરિકા–ઈરાન વચ્ચે તણાવમાં વધારો ઉલ્લેખનીય છે કે ગયા વર્ષના અંતમાં ઈરાનમાં સત્તા વિરોધી આંદોલનો શરૂ થયા હતા. ત્યારબાદ ઈરાની સરકારે ઈન્ટરનેટ અને સંચાર સેવાઓ પર કડક નિયંત્રણો લાદ્યા હતા. ઈરાન સરકારનું કહેવું છે કે આ આંદોલનો પાછળ વિદેશી શક્તિઓ જવાબદાર છે અને આંદોલનકારોને આતંકવાદી ગણાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ, અમેરિકા વારંવાર ચેતવણી આપી રહ્યું છે કે જો ઈરાનમાં આંદોલનકારો પર હિંસા અથવા હત્યાઓ થશે તો તે કડક પગલાં લેશે. આ મુદ્દે બંને દેશો વચ્ચે વાકયુદ્ધ…

ભારતે ઈરાન માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી, ભારતીયોને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ

વૈશ્વિક સ્તરે વધતી તણાવભરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ઈરાન માટે મહત્વપૂર્ણ ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે. વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને આગામી સૂચના સુધી ઈરાનની બિન-આવશ્યક મુસાફરી ટાળવાની સલાહ આપી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ઈરાનમાં રહેલા ભારતીય નાગરિકો અને ત્યાં તેમના પરિવારજનો તથા ઓળખીતાઓએ વિશેષ સાવધાની રાખવી જોઈએ. તેમને વિરોધ પ્રદર્શનવાળા વિસ્તારોમાંથી દૂર રહેવા, સ્થાનિક પરિસ્થિતિ અંગે સચેત રહેવા અને તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસની વેબસાઇટ તથા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી મળતી માહિતી પર સતત નજર રાખવાની સૂચના આપવામાં આવી છે. ઈરાનમાં રહેલા ભારતીયો માટે ખાસ સૂચનાઓ ઈરાનમાં લાંબા ગાળાના વિઝા પર રહેતા ભારતીય નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જો તેઓએ હજી સુધી ભારતીય દૂતાવાસમાં નોંધણી કરાવી ન હોય, તો તરત નોંધણી કરાવે, જેથી…

ભારતીયો માટે ઈરાનનો મોટો નિર્ણય, ‘વિઝા-ફ્રી’ પ્રવેશ સુવિધા તાત્કાલિક અસરથી સ્થગિત

ઈરાન સરકારે ભારતીય નાગરિકોને આપવામાં આવતી વિઝા-મુક્ત (Visa-Free) પ્રવેશ સુવિધાને તાત્કાલિક અસરથી રદ્દ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. સામાન્ય પાસપોર્ટ ધરાવતા ભારતીયો માટે વિઝા-ફ્રી એન્ટ્રી ઉપરનો સ્થગન 22 નવેમ્બર 2025 સુધી અમલમાં રહેશે, ત્યાર પછી ઈરાનમાં પ્રવેશવા માટે વિઝા ફરજિયાત બની જશે. શું બદલાશે? – 22 નવેમ્બરથી તમામ ભારતીય મુસાફરોને – ઈરાનની ઔપચારિક વિઝા ચકાસણી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે – દસ્તાવેજોની યોગ્યતા સાબિત કરવી પડશે – નોકરીની ઓફર, મુસાફરીના હેતુ સહિતની તમામ વિગતો રજૂ કરવી પડશે – ઈરાનનું કહેવું છે કે આ બદલાવ “સુરક્ષાની દૃષ્ટિએ” લેવામાં આવ્યો છે. છેતરપિંડી ગેંગો સામે કાર્યવાહી મુખ્ય કારણ વિઝા-ફ્રી સુવિધા રદ્દ કરવાની પાછળનું સૌથી મોટું કારણ ભારતીય નાગરિકોની સુરક્ષા હોવાનું નિષ્ણાતો કહે છે. ભારતીય વિદેશ મંત્રાલયે થોડા મહિનાં પહેલાં…

India v/s Pakistan: તણાવ વચ્ચે મોટાભાગની હવાઈ સેવાઓ સામાન્ય, 15 મે સુધી 32 એરપોર્ટ બંધ

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવના પગલે દેશના 32 એરપોર્ટ પર હવાઈ સેવાઓ અસ્થાયી રીતે બંધ કરવાનું નિર્ણય લેવામાં આવ્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) દ્વારા NOTAM (Notice to Airmen) જારી કરી 15 મેના રોજ સવારે 5:29 વાગ્યા સુધી આ પ્રતિબંધ લાગુ રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે અનેક એરપોર્ટ પર કામગીરી બંધ કરવામાં આવી છે, ત્યારે અન્ય મહત્વના એરપોર્ટ, જેમ કે દિલ્હી અને મુંબઈ, પર હાલ પ્રક્રિયાઓ સામાન્ય છે. જોકે, કડક સુરક્ષા વ્યવસ્થાઓને કારણે કેટલીક ફ્લાઇટ્સના સમયપત્રકમાં ફેરફાર આવવાની સંભાવના છે. કયા એરપોર્ટ બંધ છે? આ પ્રતિબંધ હેઠળ ઉત્તર અને પશ્ચિમ ભારતના કુલ 32 એરપોર્ટ આવે છે, જેમાં ખાસ કરીને સરહદી અને સંવેદનશીલ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. આ એરપોર્ટમાં…