ભારતીયો માટે ઈરાનનો મોટો નિર્ણય, ‘વિઝા-ફ્રી’ પ્રવેશ સુવિધા તાત્કાલિક અસરથી સ્થગિત

ઈરાન સરકારે ભારતીય નાગરિકોને આપવામાં આવતી વિઝા-મુક્ત (Visa-Free) પ્રવેશ સુવિધાને તાત્કાલિક અસરથી રદ્દ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. સામાન્ય પાસપોર્ટ ધરાવતા ભારતીયો માટે વિઝા-ફ્રી એન્ટ્રી ઉપરનો સ્થગન 22 નવેમ્બર 2025 સુધી અમલમાં રહેશે, ત્યાર પછી ઈરાનમાં પ્રવેશવા માટે વિઝા ફરજિયાત બની જશે.

શું બદલાશે?
– 22 નવેમ્બરથી તમામ ભારતીય મુસાફરોને
– ઈરાનની ઔપચારિક વિઝા ચકાસણી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે
– દસ્તાવેજોની યોગ્યતા સાબિત કરવી પડશે
– નોકરીની ઓફર, મુસાફરીના હેતુ સહિતની તમામ વિગતો રજૂ કરવી પડશે
– ઈરાનનું કહેવું છે કે આ બદલાવ “સુરક્ષાની દૃષ્ટિએ” લેવામાં આવ્યો છે.

છેતરપિંડી ગેંગો સામે કાર્યવાહી મુખ્ય કારણ
વિઝા-ફ્રી સુવિધા રદ્દ કરવાની પાછળનું સૌથી મોટું કારણ ભારતીય નાગરિકોની સુરક્ષા હોવાનું નિષ્ણાતો કહે છે. ભારતીય વિદેશ મંત્રાલયે થોડા મહિનાં પહેલાં જ ચેતવણી આપી હતી કે ખોટી નોકરીની ઓફર આપતા ગેંગો ભારતીયોને ઈરાન લઈ જતાં હતા ત્યાં અપહરણ કરીને ખંડણી માંગવામાં આવતી હતી. ત્રીજા દેશોમાં નોકરી આપવાનાં વચનો બતાવીને યુવાનોને ફસાવવામાં આવતા હતા. આ મામલાઓમાં છેલ્લા મહિનાઓમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ હતી.

ઈરાનું સત્તાવાર નિવેદન
ઈરાની આંતરિક મંત્રાલયે જાહેરાત કરી કે “ભારતીય નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને, વિઝા-મુક્ત પ્રવેશ નિયમો પર ફરી વિચાર કરવાની જરૂર છે. નવા નિયમો અમલમાં આવ્યા બાદ તમામ પ્રવેશ વિઝા આધારિત રહેશે.”

સ્થિતિ પર ભારતની નજર
ભારતીય સરકાર સમગ્ર મુદ્દા પર નજર રાખી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ, નવા નિયમો પ્રવાસીઓ, કામ માટે ઈરાન જનારાઓ અને ટ્રાવેલ એજન્ટ્સ પર સીધો અસર કરશે. વિદેશ મંત્રાલયે નાગરિકોને સલાહ આપી છે કે કોઈ પણ અનધિકૃત એજન્ટ અથવા શંકાસ્પદ નોકરી ઓફર પર ભરોસો ન રાખે. ઈરાનની મુસાફરી માટે વૈધ વિઝા મેળવ્યા વગર મુસાફરી ન કરે. ઈરાનમાંના જોખમ વિશે સાવચેત રહે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

 

Related Posts

શિક્ષણક્ષેત્રે નર્મદા જીલ્લા ની મોટી સિદ્ધી 92% બાળકો ને મળ્યો પુનઃપ્રવેશ…

શિક્ષણક્ષેત્રે નર્મદા જિલ્લાની વધુ એક મોટી સિદ્ધિ: 92% ડ્રોપઆઉટ બાળકોને શાળામાં પુનઃપ્રવેશ, રાજ્યમાં પ્રથમ શિક્ષણક્ષેત્રે નર્મદા જિલ્લામાં 4,224 ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓમાંથી 3,906 બાળકોને ફરી શાળામાં પ્રવેશ અપાયો. 92% ડ્રોપઆઉટ રેશિયો ઘટાડીને નર્મદા જિલ્લો સમગ્ર ગુજરાતમાં પ્રથમ બન્યો. રાજ્યના શિક્ષણ ક્ષેત્રે નર્મદા જિલ્લાએ ફરી એકવાર સમગ્ર ગુજરાતમાં ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. જિલ્લામાં શાળામાંથી ડ્રોપઆઉટ થયેલા કુલ 4,224 વિદ્યાર્થીઓમાંથી 3,906 બાળકોને ફરીથી શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો છે. આ સાથે નર્મદા જિલ્લાએ 92 ટકા ડ્રોપઆઉટ રેશિયો ઘટાડીને સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.આ સિદ્ધિ નર્મદા જિલ્લા માટે એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે થોડા સમય પહેલાં ધોરણ-10ના પરિણામમાં પણ જિલ્લાએ સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. હવે વિદ્યાર્થીઓને ફરી શિક્ષણ વ્યવસ્થામાં જોડવાની કામગીરીમાં પણ નર્મદા જિલ્લાએ આગવું સ્થાન મેળવ્યું…

અમદાવાદમાં જીમમાં SMCની રેડ બાદ PI અને PSI સસ્પેન્ડ જાણો સમગ્ર જાણકારી… Major Breakthrough, 26

અમદાવાદના મનપસંદ જીમખાનામાં SMCની રેડ બાદ મોટી કાર્યવાહી: PI અને PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ ઝડપાયા  અમદાવાદના મનપસંદ જીમખાનામાં SMCની રેડ બાદ પોલીસ વિભાગમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દરિયાપુર પોલીસ સ્ટેશનના PI અને સર્વેલન્સ સ્ક્વોડના PSIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા કરવામાં આવેલી દરોડાની કાર્યવાહીએ પોલીસ વિભાગમાં ખળભળાટ મચાવ્યો છે. મનપસંદ જીમખાનામાં ચાલતા જુગારના અડ્ડા પર SMCની રેડ દરમિયાન 187 જેટલા જુગારીઓ ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ પોલીસની કામગીરી અને સ્થાનિક સ્તરે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે અનેક સવાલો ઉઠ્યા છે.મામલો ગંભીર બનતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા જવાબદારી નક્કી કરીને દરિયાપુર પોલીસ સ્ટેશનના PI તેમજ સર્વેલન્સ સ્ક્વોડના PSI સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે. SMCની રેડથી પોલીસ…