ભ્રષ્ટાચાર સૂચકાંક 2025: ભારત 91મા ક્રમે, સ્કોરમાં સુધારો છતાં પડકાર યથાવત

ગ્લોબલ ટ્રાન્સપરન્સી દ્વારા જાહેર કરાયેલા 2025ના ભ્રષ્ટાચાર સૂચકાંક (Corruption Perceptions Index) મુજબ ભારત હવે વિશ્વમાં 91મા ક્રમે પહોંચ્યું છે. 2024ની સરખામણીમાં 2025માં ભારતના સ્કોરમાં સુધારો નોંધાયો છે, છતાં ભ્રષ્ટાચાર સામેની લડતમાં દેશ હજુ પણ પડકારોનો સામનો કરી રહ્યો છે. ભારતનો સ્કોર 39 – સુધારો છતાં ચિંતાજનક સ્થિતિ રિપોર્ટ મુજબ ભારતનો ભ્રષ્ટાચાર સૂચકાંક સ્કોર 39 છે, જે હજી પણ જોખમી માનવામાં આવે છે. 2023માં ભારત 93મા ક્રમે હતું, જ્યારે 2024માં તેમાં એક પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. હવે 2025માં ભારત 91મા સ્થાને પહોંચ્યું છે, એટલે છેલ્લા ત્રણ વર્ષમાં ક્રમમાં સુધારો થયો છે. જોકે, આ સુધારો કેવી રીતે અને કયા પરિબળોના કારણે થયો તેની વિગત રિપોર્ટમાં આપવામાં આવી નથી. વિશ્વમાં ડેનમાર્ક સૌથી ઓછું ભ્રષ્ટ, દક્ષિણ સુદાન સૌથી ભ્રષ્ટ ગ્લોબલ…