ચન્નીના નિવેદન પર ભાજપ લાલઘૂમ, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આરોપ; જાણો શું કહ્યું

ભારતીય જનતા પાર્ટીએ સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગવા બદલ કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપે કોંગ્રેસ પર રાષ્ટ્રીય સુરક્ષાને નબળી પાડવાનો અને પાકિસ્તાન વતી નિવેદનો આપવાનો આરોપ લગાવ્યો. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ સાંસદ ચન્નીના નિવેદનો પર સમગ્ર કોંગ્રેસ કાર્યકારી સમિતિ પર સવાલ ઉઠાવ્યા અને આરોપ લગાવ્યો કે કોંગ્રેસ પાર્ટીનું વર્તન ભારતના હિતમાં નહીં પરંતુ પાકિસ્તાનના હિતમાં છે. ભાજપના પ્રવક્તાએ કોંગ્રેસ પર મોટો આરોપ લગાવતા કહ્યું કે, “બહારથી તે CWC છે પણ અંદરથી તે PWC (પાકિસ્તાન કાર્યકારી સમિતિ) બની ગઈ છે. સંબિત પાત્રાએ કોંગ્રેસના નેતા ચરણજીત સિંહ ચન્નીના નિવેદનનો ઉલ્લેખ કર્યો, જેમાં તેમણે પુલવામા હુમલા પછી કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈક પર કથિત રીતે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે શું પુરાવા છે કે ભારતીય સેનાએ સર્જિકલ…

આખરે પાકિસ્તાનના એક પત્રકારે સ્વીકાર્યુ કે ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી

આઝાદી બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ક્યારેય સામાન્ય રહ્યા નથી. આ જ કારણ છે કે ભાગલા પછીથી બંને દેશો વચ્ચે 4 યુદ્ધો થયા છે, પરંતુ દરેક વખતે પાકિસ્તાનને ભારતના હાથે હારનો સામનો કરવો પડ્યો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં પણ ભારતે પાકિસ્તાનને તેના નાપાક ઈરાદાઓને કારણે પાઠ ભણાવ્યો છે. પુલવામા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. જો કે, પાકિસ્તાને અત્યાર સુધી એ વાત સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો કે ભારતે ક્યારેય કોઈ સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. હવે પાકિસ્તાનના એક પત્રકારે સ્વીકાર્યું છે કે ભારતે સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. પાકિસ્તાની પત્રકાર નાઝીમ સેઠીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન સ્વીકાર્યું હતું કે ભારતે પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. આ ઈન્ટરવ્યુનો એક નાનો ભાગ X (અગાઉ ટ્વિટર)…