અમદાવાદના વાહનચાલકો માટે મહત્વની સૂચના, શાસ્ત્રી બ્રિજ પર ભારે વાહનોનો પ્રવેશ બંધ

અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા મહત્વના અને વ્યસ્ત શાસ્ત્રી બ્રિજ (વિશાલા–નારોલ બ્રિજ) પરથી પસાર થતા ભારે વાહનો માટે તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બ્રિજની સલામતી અને મજબૂતીને ધ્યાનમાં રાખીને આગામી 8 જાન્યુઆરી, 2027 સુધી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રતિબંધની વિગતો – પ્રતિબંધિત સમયગાળો: હાલથી 8 જાન્યુઆરી, 2027 સુધી – પ્રતિબંધિત વાહનો: ટ્રક, ટ્રેલર, લક્ઝરી બસ તેમજ તમામ પ્રકારના ભારે માલવાહક વાહનો – પ્રતિબંધનું કારણ: બ્રિજની જર્જરિત હાલત અને તાત્કાલિક રિપેરિંગની જરૂરિયાત ભારે વાહનો માટે ડાયવર્ઝન રૂટ તંત્ર દ્વારા ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વૈકલ્પિક માર્ગો જાહેર કરવામાં આવ્યા છે. નારોલથી વિશાલા તરફ: નારોલ સર્કલ → પીરાણા ચાર રસ્તા → એસ.પી. રિંગ રોડ → શાંતિપુરા થઈ આગળનો માર્ગ…