ઈન્ડોનેશિયામાં 271 લોકો સાથેની ફેરીમાં ભીષણ આગ: 5ના મોત, 41 લાપતા

ઈન્ડોનેશિયામાં એક મોટી દરિયાઈ દુર્ઘટના સામે આવી છે. 271 મુસાફરો અને ક્રૂ સભ્યોને લઈને જઈ રહેલી એક ફેરીમાં સમુદ્ર વચ્ચે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા હોવાનું સત્તાવાર રીતે જણાવાયું છે, જ્યારે 41 લોકો હજુ પણ લાપતા છે. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે અને અનેક જહાજો તથા બચાવ દળો ગુમ થયેલા લોકોને શોધવાના પ્રયાસોમાં જોડાયા છે. આ ઘટના પૂર્વ જાવાના સુરાબયા શહેરથી દક્ષિણ સુલાવેસીના મકાસ્સાર તરફ જઈ રહેલી ફેરીમાં બની હતી. આગ લાગ્યા બાદ મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો અને ઘણા લોકોએ જીવ બચાવવા માટે દરિયામાં છલાંગ લગાવી દીધી હતી. ઈન્ડોનેશિયામાં મુસાફરોમાં મચી અફરાતફરી ઈન્ડોનેશિયામાં નેશનલ સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સી (Basarnas)ના જણાવ્યા અનુસાર, દુર્ઘટનાગ્રસ્ત ફેરી…

એજિયન સમુદ્રમાં હાઈ-સ્પીડ બોટ અને ગ્રીસ કોસ્ટ ગાર્ડ વચ્ચે ભયાનક ટક્કર, 15ના મોત

એજિયન સમુદ્રના ચિઓસ ટાપુ નજીક મંગળવારની મોડી રાત્રે એક કાળજું કંપાવી દેતી ઘટના સર્જાઈ. ગ્રીક કોસ્ટ ગાર્ડનું પેટ્રોલિંગ જહાજ અને શરણાર્થીઓ લઈને આવી રહેલી હાઈ-સ્પીડ બોટ વચ્ચે ટક્કર થવા થી દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત થયો, જેમાં અત્યાર સુધી 15 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. મોતમાં 11 પુરૂષો અને 4 મહિલાઓનો સમાવેશ થાય છે. અનેક લોકો હજુ સમુદ્રમાં ગુમ છે, અને મૃત્યુઆંક વધવાની શક્યતા છે. અકસ્માતના કારણો કોસ્ટ ગાર્ડના સત્તાવાર નિવેદન મુજબ, આ સ્પીડબોટ નેવિગેશન લાઇટ વગર અંધારામાં તુર્કી કિનારેથી ગ્રીસ તરફ આવી રહી હતી. જ્યારે પેટ્રોલિંગ જહાજે અવાજ અને પ્રકાશના સંકેતો આપી તેને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે બોટના ચાલકે દિશા બદલી અને સીધી ટક્કર થઈ. તેના કારણે બોટ સમુદ્રમાં પલટી ખાઈ ગઈ. બચાવ કામગીરી રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન અત્યાર…

ઉનાના નવાબંદર નજીક મધદરિયે બોટ ડૂબી : 9 ખલાસીઓનો આબાદ બચાવ, જાણો વિગત

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવાબંદર પાસે દરિયામાં એક મોટી દુર્ઘટના ટળી છે. “વિજય સાગર” નામની માછીમારી બોટ મધદરિયે ડૂબી ગઈ, પરંતુ સદનસીબે બોટમાં સવાર 9 ખલાસીઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો. નજીકમાં રહેલી અન્ય માછીમારી બોટના ખલાસીઓએ તાત્કાલિક મદદ પહોંચાડતા એક મોટી જાનહાનિ ટળી. શું બન્યું? બોટના પંખાનો એક મહત્વનો ભાગ તૂટી જતા બોટમાં પાણી ભરાવા લાગ્યું અને થોડી જ વારમાં બોટ ડૂબી ગઈ. 9 ખલાસીઓએ જીવ બચાવવા માટે ભારે સંઘર્ષ કર્યો. નજીકમાં રહેલી બીજી બોટના ખલાસીઓએ સમયસર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી અને તમામને સુરક્ષિત રીતે કિનારે પહોંચાડ્યા. બચાવ બાદની કામગીરી હાલ ડૂબેલી બોટને પાણીની સપાટી પરથી બહાર લાવવાની કામગીરી શરૂ થઈ છે. આશરે 10 થી 12 બોટોની મદદથી દોરડાથી બાંધીને બોટને કિનારે ખેંચવાની કોશિશ…