T20 વર્લ્ડ કપમાં રમવા અંગે સ્કોટલેન્ડ બોર્ડનું મોટું નિવેદન, ICC ચેરમેન જય શાહનો માન્યો આભાર

બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું છે. ICC એ ટુર્નામેન્ટ માટે તેમના સ્થાને ક્રિકેટ સ્કોટલેન્ડનો સમાવેશ કર્યો છે. ICC ના ચેરમેન જય શાહે દુબઈમાં એક બેઠક દરમિયાન આ નિર્ણય લીધો. ICC એ તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર આ જાહેરાત કરી. ગુરુવારે ICC દ્વારા આપવામાં આવેલી 24 કલાકની સમયમર્યાદા છતાં, બાંગ્લાદેશ સરકારે ભારતમાં રમવાનો ઇનકાર કર્યો, જેના કારણે ICC ને આ પગલું ભરવાની ફરજ પડી. T20 વર્લ્ડ કપમાં એન્ટ્રી મળ્યા બાદ, હવે ક્રિકેટ સ્કોટલેન્ડ તરફથી એક મોટું નિવેદન આવ્યું છે. ક્રિકેટ સ્કોટલેન્ડે કહ્યું કે ICC એ તેમની પુરુષ ટીમને આગામી T20 વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું છે. બોર્ડે એ પણ માહિતી આપી કે તેમણે આ આમંત્રણ સ્વીકારી લીધું છે. ક્રિકેટ સ્કોટલેન્ડના CEO ટ્રુડી લિન્ડબ્લેડે…