સંજય લીલા ભણસાલી પ્રજાસત્તાક દિવસ પર રચશે ઇતિહાસ, જાણો વિગત
આ વર્ષે, પહેલી વાર, કોઈ ભારતીય ફિલ્મ નિર્દેશક પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભારતીય સિનેમાનું પ્રતિનિધિત્વ કરશે. એક મીડિયાના અહેવાલ મુજબ, ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલી ભારતીય સિનેમાને સમર્પિત એક ખાસ ઝાંખી રજૂ કરશે. માહિતી અને પ્રસારણ મંત્રાલય સંજય લીલા ભણસાલીના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યું હોવાનું જાણવા મળે છે. સમાચાર અનુસાર, સોમવારે (26 જાન્યુઆરી)કર્તવ્ય પથ પર એક ઝાંખી પ્રદર્શિત કરવામાં આવશે. એક મીડિયાએ તેના સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, “પ્રથમ વખત, ભારતીય સિનેમાના સાચા ધ્વજવાહક સંજય લીલા ભણસાલી, પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભારતીય સિનેમાનું પ્રતિનિધિત્વ કરશે. આ ઐતિહાસિક સન્માન ભારતીય સિનેમા માટે એક મહત્વપૂર્ણ પ્રકરણ છે અને રાષ્ટ્રીય સ્તરે મજબૂત ગતિ ઉત્પન્ન કરશે તેવી અપેક્ષા છે. આ પ્રસંગ માટે સંજય લીલા ભણસાલી કરતાં વધુ સારો કોઈ પ્રતિનિધિ…







