આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ, 18 ફેબ્રુઆરીના રજૂ થશે બજેટ

આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. જેમાં બપોરે 12 વાગ્યે બજેટની પ્રથમ બેઠક મળશે. ત્યાર બાદ રાજ્યપાલના સંબોધનથી બજેટ સત્રની શરૂઆત થશે અને રાજ્યપાલના સંબોધન પર આભાર પ્રસ્તાવ રજૂ થશે. આભાર પ્રસ્તાવ રજૂ થયા બાદ શોક દર્શક ઉલ્લેખ ગૃહમાં રજૂ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહમાં શોક દર્શક ઉલ્લેખ મુકશે. આજે શરૂ થઈ રહેલ બજેટ સત્ર મામલે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, રાજ્યપાલના આચાર્ય દેવવ્રતના સંબોધનથી બેઠક શરૂ થશે. રાજ્યપાલના સંબોધન બાદ ગૃહમાં ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં શાસક પક્ષ (ભાજપ) તરફથી પૂર્ણેશ મોદીએ કરી ઉમેદવારી કરી છે. બીજી તરફ વિપક્ષ તરફથી કોંગ્રેસના નેતા શૈલેષ પરમારનું નામ મૂકાયુ છે. 18 ફેબ્રુઆરીના રજૂ થશે બજેટ બજેટ સત્ર મામલે…

ચૂંટણી પહેલા આસામ કોંગ્રેસને મોટો ફટકો, આ દિગ્ગજ નેતાએ ધરી દીધું રાજીનામું

આગામી થોડા મહિનામાં આસામમાં ચૂંટણીઓ યોજાવાની છે, અને તે પહેલાં જ કોંગ્રેસ પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ રિપુન બોરાએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે પ્રાથમિક સભ્યપદ સહિત તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યા બાદ રિપુન બોરાએ 2021 માં પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું. તેઓ રાજ્યસભાના સભ્ય પણ હતા. તરુણ ગોગોઈ સરકારના સતત બે કાર્યકાળ દરમિયાન તેમણે મંત્રી તરીકે સેવા આપી હતી અને 2001 માં તેઓ પહેલી વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે લગભગ પાંચ વર્ષ સુધી આસામ કોંગ્રેસના પ્રમુખ તરીકે સેવા આપી. તેમણે 2016 માં પાર્ટીનું નેતૃત્વ સંભાળ્યું. તે જ વર્ષે, તેઓ રાજ્યસભામાં પણ ચૂંટાયા, તેમનો કાર્યકાળ 2022…

રાજૂ કરપડાના રાજીનામાં મામલે પ્રતાપ દૂધાતના નિવેદન પર ઇસુદાન ગઢવીએ આપ્યો સણસણતો જવાબ, જાણો શું કહ્યું

ગુજરાતના રાજકારણમાં છેલ્લા 3 દિવસથી રાજૂ કરપડાના રાજીનામાં અંગે સતત ચર્ચાઓ અને આરોપ પ્રત્યારોપની રાજનીતિ ચાલી રહી છે. આ દરમિયાન અમરેલી જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે રાજૂ કરપડાના રાજીનામાં અંગે ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કર્યા છે. પ્રતાપ દૂધાતે ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, રાજૂ કરપડા જેવા જ હાલ ઇસુદાન ગઢવીના થશે. વધુમાં તેમણે કહ્યું હતું કે ‘ગોપાલ ઈટાલિયા આમ આદમી પાર્ટીને સંપૂર્ણપણે મુક્ત કરી, પોતે પણ ઝાડુ મારીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે. જનતાએ હવે આ રાજકીય ખેલ સમજવાની જરૂર છે.’ બીજી તરફ ઇસુદાન ગઢવીએ પણ કોંગ્રેસ પર આંકરા પ્રહારો કર્યા છે. ઇસુદાન ગઢવીએ કહ્યું કે, કોંગ્રેસ ઓલરેડી પતિ ગઈ છે. કોંગ્રેસના નેતાઓની નાવડી…

શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાને માઈનોરો હાર્ટ એટેક, જાણો કેવી છે તબિયત

ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાને માઇનોર હાર્ટ એટેક આવ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. પ્રદ્યુમન વાજાની તબિયત લથડતા પોતે અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા. પ્રદ્યુમન વાજા સાંજ સુધી મુખ્યમંત્રી સાથે નિર્ધારિત જાહેર કાર્યક્રમમાં સતત વ્યસ્ત હતા. ગઈકાલે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અચાનક તબિયત લથડતા તેઓ સ્વૈચ્છિક રીતે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે રૂટિન ચેકઅપ માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તબીબો દ્વારા કરવામાં આવેલા પ્રાથમિક ટેસ્ટ અને તપાસમાં હૃદયની નળીઓમાં બ્લોકેજ હોવાનું માલુમ પડ્યું હતું. રિપોર્ટમાં બ્લોકેજ જણાતા તબીબોએ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. તબિયત સુધારા પર પ્રદ્યુમન વાજાની સ્થિતિને લઈને તાત્કાલિક તેમની એન્જિયોપ્લાસ્ટી કરવાનો નિર્ણય લેવાયો હતો. શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાને બ્લોકેજને કારણે એક સ્ટેન્ટ મુકવામાં આવ્યું છે. હોસ્પિટલના સૂત્રો મુજબ હાલ રાજ્યના શિક્ષણમંત્રી…

મણિપુરને મળશે નવા મુખ્યમંત્રી, BJP અહીં બે નાયબ મુખ્યમંત્રી કરશે નિયુક્ત

એક વર્ષ પછી, ભાજપ મણિપુરમાં નવી સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યું છે. વરિષ્ઠ નેતા યુમનમ ખેમચંદ સિંહને વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. તેઓ નવા મુખ્યમંત્રી બનશે. આ ઉપરાંત બે નાયબ મુખ્યમંત્રીઓની પણ નિમણૂક કરવામાં આવી રહી છે. નેમચા કિપગેનને નાયબ મુખ્યમંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવશે . આ મણિપુરમાં મેઇતેઈ સમુદાય ઉપરાંત કુકી સમુદાયને ખુશ કરવા માટે કરવામાં આવ્યું છે. બંને સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી, જેને ભૂતપૂર્વ મુખ્યમંત્રી એન. બિરેન સિંહ નિયંત્રિત કરવામાં નિષ્ફળ ગયા હતા. આના કારણે તેમનું પદ ગુમાવવું પડ્યું અને વધુ સંઘર્ષ ટાળવા માટે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું. ખેમચંદ સિંહ મેઈતેઈ સમુદાયના છે. કિપગેન પણ કુકી નેતા છે. આ પહેલને રાજ્યમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી…

સુનેત્રા પવાર પાસે રહેશે પાર્ટીનો સંપૂર્ણ પાવર ! Dy. CM બાદ હવે પાર્ટી અધ્યક્ષ બનશે

NCPમાં સુનેત્રા પવારની પાવરમાં વધારો થઈ શકે છે. તેમના પતિ અજિત પવારના અવસાન બાદ, તેમણે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. હવે તેઓ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાની પણ તૈયારી કરી રહ્યા છે. ગયા અઠવાડિયે વિમાન દુર્ઘટનામાં અજિત પવારનું અવસાન થયું હતું. તેના ત્રણ દિવસ પછી જ, સુનેત્રા પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. ત્યારબાદ એવી ચર્ચા થઈ હતી કે પ્રફુલ્લ પટેલને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી શકાય છે. પરંતુ હવે આ પદ સુનેત્રા પવારને પણ મળી શકે છે. પ્રફુલ્લ પટેલે પોતે પ્રમુખ તરીકે તેમની નિમણૂકની અટકળોને ફગાવી દીધી છે અને કહ્યું છે કે પાર્ટીમાં મોટાભાગના લોકો ઇચ્છે છે કે સુનેત્રા પવાર પ્રમુખ બને. મહારાષ્ટ્ર સરકારે સુનેત્રા પવારના પદમાં વધારો કર્યો છે. તેમને પુણે અને બીડ જિલ્લાના ગાર્ડીયન મંત્રી…

Valsad : મધ્યપ્રદેશના કોંગ્રેસી MLA ફુલસિંગ બારીયાના નિવેદનથી સાંસદ ધવલ પટેલ થયા લાલઘૂમ, કોંગ્રેસ પર સાધ્યું નિશાન

આઝાદ રાઠોડ, વલસાડ/ વલસાડ જિલ્લાના નાનાપોંઢાં ખાતે આયોજિત આદિવાસી મહાસંમેલનમાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને વલસાડના સાંસદ ધવલ પટેલે કોંગ્રેસ પર આંકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે મધ્યપ્રદેશના કોંગ્રેસી ધારાસભ્ય ફુલસિંગ બારીયા દ્વારા આદિવાસી સમાજની મહિલાઓ અંગે આપવામાં આવેલા વિવાદિત નિવેદનની આકરા શબ્દોમાં નિંદા કરી હતી. ધવલ પટેલે જણાવ્યું હતું કે ફુલસિંગ બારીયાએ આદિવાસી મહિલાઓ અંગે આપેલું “આદિવાસી મહિલાઓ પર રેપ કરશો તો સ્વર્ગ મળશે” જેવું નિવેદન અત્યંત શરમજનક અને માનવતા વિરુદ્ધ છે. આવા નિવેદનો કોંગ્રેસની સાચી માનસિકતા દર્શાવે છે, જે આદિવાસી સમાજ પ્રત્યે અપમાનજનક છે. વલસાડના નાનાપોંઢાં ખાતે આદિવાસી મહાસંમેલનમાં સાંસદ ધવલ પટેલનું નિવેદન મધ્યપ્રદેશના કોંગ્રેસી ધારાસભ્ય ફુલસિંગ બારીયાને આપ્યો જવાબ ફુલસિંગ બારીયાએ આપેલા આદિવાસી સમાજની મહિલાઓ માટે આપેલ નિવેદનને ધવલ પટેલે વખોડ્યું.#Politics #Gujarat #Bindia…

Maharashtra: નવનીત રાણાને ભાજપમાંથી હાંકી કાઢવાની થઈ માંગ, જાણો શું છે મામલો

તાજેતરની અમરાવતી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના બાવીસ ઉમેદવારોએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને પક્ષ વિરુદ્ધ પ્રચાર કરવા બદલ ભૂતપૂર્વ સાંસદ નવનીત રાણાને હાંકી કાઢવાની માંગ કરી છે. 22 ફરિયાદીઓમાંથી, બે ઉમેદવારો 15 જાન્યુઆરીની નાગરિક ચૂંટણીમાં જીત્યા હતા, જ્યારે 20 હાર્યા હતા. આ નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે અમરાવતીના ભૂતપૂર્વ લોકસભા સભ્ય નવનીત રાણાએ ભાજપના ઉમેદવારોને ‘ડમી’ (નામાંકિત ઉમેદવારો) કહ્યા હતા અને તેમના પતિ રવિ રાણાની યુવા સ્વાભિમાન પાર્ટીના ઉમેદવારોને ‘ખરા ભાજપ ઉમેદવારો’ કહ્યા હતા. ચૂંટણી પહેલા ગઠબંધન તૂટયું મ્યુનિસિપલ ચૂંટણી પહેલા ભાજપ અને ધારાસભ્ય રવિ રાણાની યુવા સ્વાભિમાન પાર્ટીએ તેમનું ગઠબંધન તોડી નાખ્યું હતું. જોકે, સ્થાનિક ભાજપ નેતાએ જણાવ્યું હતું કે નવનીત રાણા ભાજપના ઉમેદવારો માટે પ્રચાર ચાલુ રાખશે. યુવા સ્વાભિમાન…

હર્ષ સંઘવી વર્લ્ડ ઈકોનોમિક ફોરમ-2026માં સંબોધન કરવા જશે સ્વિટ્ઝર્લેન્ડ, ‘વિકસિત ગુજરાત’નો રોડમેપ કરાશે રજૂ

ગાંધીનગર / નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય સરકારનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે યોજાઈ રહેલી ‘વર્લ્ડ ઈકોનોમિક ફોરમ’ (WEF) 2026માં ભાગ લેવા જશે. ગુજરાતને વૈશ્વિક વિકાસના નકશા પર અગ્રેસર રાખવા અને ‘વિકસિત ગુજરાત @2047’ના સંકલ્પને વૈશ્વિક મંચ પર લઈ જવા માટે આ ફોરમમાં રાજ્ય સરકારનું પ્રતિનિધિમંડળ ભાગ લેશે. 19 થી 23 જાન્યુઆરી દરમિયાન યોજાનારી આ મહત્વપૂર્ણ વાર્ષિક બેઠકમાં ગુજરાતની સહભાગીતા, આંતરરાષ્ટ્રીય સહયોગ અને ઝડપી આર્થિક વિકાસ પ્રત્યે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. યોજાશે 58 જેટલી હાઈ-લેવલ ‘વન-ટુ-વન’ બેઠકો આ પ્રવાસ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિવિધ બેઠકોમાં ભાગ લેશે. ગુજરાતમાં રોજગારી અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે તેઓ એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, ટેક્સટાઈલ, સેમિકન્ડક્ટર, ફાર્માસ્યુટિકલ્સ, રિન્યુએબલ એનર્જી, ફૂડ પ્રોસેસિંગ, કેમિકલ્સ, શિપિંગ-લોજિસ્ટિક્સ અને એરોસ્પેસ જેવા મહત્વના ક્ષેત્રોમાં…

મહાયુતિનો ભવ્ય વિજય | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN

મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીમાં BJP-શિંદે ગઠબંધનનો ભવ્ય વિજય મુંબઈ BMCમાં પહેલીવાર ભાજપને પોતાના દમ પર બહુમતી ઉદ્ધવ ઠાકરે માટે મોટો રાજકીય ઝટકો ‘ઠાકરે બ્રધર્સ’ ગઠબંધનનું નબળું પ્રદર્શન રાજ ઠાકરેની MNS માટે અસ્તિત્વની લડાઈ સમાન પરિણામો 29 મહાનગરપાલિકાઓમાં BJPનું પલડું ભારે શહેરી વિસ્તારોમાં વિપક્ષી ગઠબંધનનું વર્ચસ્વ તૂટ્યું ચૂંટણી પરિણામો બાદ ઠાકરે પરિવારની રાજકીય સ્થિતિ પર સવાલો ગઠબંધનના નબળા પ્રદર્શનથી વિપક્ષમાં ચિંતાનો માહોલ શહેરી વિકાસના મુદ્દે મતદારો BJP તરફ આકર્ષાયા વિપક્ષી ગઠબંધનના ભવિષ્ય પર ચર્ચા તેજ BMCમાં ભાજપની બહુમતીથી રાજકીય સમીકરણોમાં ફેરફાર મહારાષ્ટ્રના શહેરી રાજકારણમાં BJPનું વધતું વર્ચસ્વ Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in