MLA હાર્દિક પટેલનું પાટીદાર સમાજને લઈ મહત્વનું નિવેદન; ફરી ચર્ચાઓ થઈ શરૂ
પાટીદાર અનામત આંદોલનનો ચહેરો હાર્દિક પટેલ હાલ ભાજપના નેતા કે અને વિરમગામ બેઠકના ધારાસભ્ય છે અને તે છેલ્લા ઘણા સમયથી પોતાના નિવેદનને લઈ ચર્ચામાં રહે છે. આ દરમિયાન ફરી એક વખત હાર્દિક પટેલના નિવેદનથી ચર્ચાઓ તેજ થઈ છે. હાર્દિક પટેલએ આગામી 10 વર્ષ બાદ ગામડાઓની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે અને અસ્તિત્વ ટકાવવા સમાજને જાગૃત થવાની હાર્દિક પટેલે અપીલ પણ કરી છે. દેત્રોજ પંથકમાં આયોજિત ચુવાળ કડવા પાટીદાર પ્રગતિ મંડળના કાર્યક્રમમાં ભાજપના નેતા અને વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેમણે મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે, ગામડાઓમાં આપણી સંખ્યા સતત ઓછી થતી જાય છે. જો આપણે જાગૃત નહીં થઈએ તો આવનારા સમયમાં ગામડાઓમાં આપણું અસ્તિત્વ જોખમમાં મુકાઈ શકે છે.” તેમણે ઉમેર્યું કે…
2026માં જોવા મળશે ચૂંટણીનો ધમધમાટ… આ રાજ્યોમાં યોજાશે વિધાનસભાની ચૂંટણીઓ ; 75 રાજ્યસભાની બેઠકો પર ચૂંટણી
2025માં બે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ હતી. દિલ્હીમાં વર્ષની શરૂઆતમાં અને બિહારમાં અંતમાં ચૂંટણીઓ યોજાઈ હતી. 27 વર્ષ પછી ભાજપ દિલ્હીમાં સત્તામાં પાછી ફરી, જ્યારે બિહારમાં નીતિશ કુમારનું શાસન અકબંધ રહ્યું. નવા વર્ષના આગમન સાથે જ વિધાનસભા ચૂંટણીઓ શરૂ થશે. 2026માં ચૂંટણી ગતિવિધિઓ 2025 કરતાં પણ વધુ તીવ્ર બનશે. 2026 માં ભારતમાં ઘણી મહત્વપૂર્ણ ચૂંટણીઓ યોજાવાની છે. આ વર્ષે ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ માટે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, સાથે જ 75 રાજ્યસભા બેઠકો માટે પણ ચૂંટણી યોજાવાની છે. અહી યોજાશે વિધાનસભાની ચૂંટણી 1- પશ્ચિમ બંગાળમાં આ વર્ષે 294 વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજાશે. હાલ અહી TMC પાર્ટી સત્તામાં છે. અને મમતા બેનર્જી મુખ્યમંત્રી છે. 2- કેરળ રાજ્યમાં પણ આ વર્ષે વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાશે.…
Congressમાં કકળાટ યથાવત, પાટણના MLA કોંગ્રેસમાં દંડક પદેથી આપશે રાજીનામું ! જાણો શું છે મામલો
ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સતત સામે આવી રહ્યા છે. કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ દરમિયાન પાટણ જિલ્લા કોંગ્રેસમાં નેતાઓન આંતરીક વિખવાદ સામે આવ્યો છે. સંગઠનમાં નિમણૂકને લઈને પાટણ બેઠકના ધારાસભ્ય કિરીટ પટેલ કોંગ્રેસમાં દંડક પદેથી રાજીનામું ધરી દેશે એવી ચીમકી ઉચ્ચારી છે. પાટણ જિલ્લામાં અનુસૂચિત જાતિમાં પ્રમુખની નિમણુંકને લઈને ગઇકાલે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તાળાંબંધી કરવામાં આવી હતી. ત્યારે હવે આજે ધારાસભ્ય કિરીટ પટેલ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના દંડક પદેથી રાજીનામું આપશે. 3 વાગ્યે આપશે રાજીનામું પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે જયાબેન શાહની વરણી કરવામાં આવી હતી. જેને લઈને વિરોધનો વંટોળ ઉઠ્યો હતો. બીજી તરફ આ નિમણૂકને લઈ ગઇકાલે ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે જે નિમણુક કરવામાં…
ખાલિદા ઝિયાનો ભારત સાથે કેવા રહ્યા સંબંધો? આ રીતે કરી હતી રાજકારણમાં એન્ટ્રી
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાનું 80 વર્ષની વયે અવસાન થયું છે. તેમને ઘણીવાર શેખ હસીના કરતાં વધુ ભારત વિરોધી બાંગ્લાદેશી નેતા માનવામાં આવતા હતા, પરંતુ તેમના ભારત સાથે ગાઢ સંબંધો હતા. બહુ ઓછા લોકો જાણે છે કે તેમનો જન્મ 1945માં જલપાઇગુડીમાં થયો હતો, જે હવે ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યનો ભાગ છે. તે સમયે, તે દિનાજપુર જિલ્લાનો ભાગ હતો, અને ભારત એક હતું. ભાગલા પડ્યા ન હતા, અને બંગાળ એક થયું હતું. ભાગલા પછી જ રાજ્યનો ભારતીય ભાગ પશ્ચિમ બંગાળ તરીકે ઓળખાવા લાગ્યો. દરમિયાન, પૂર્વ બંગાળ પાકિસ્તાનનો ભાગ બન્યું, અને પછી, 16 ડિસેમ્બર, 1971 ના રોજ સ્વતંત્રતા પછી, બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું. આમ, ખાલિદા ઝિયાએ ભારત, પાકિસ્તાન અને પછી બાંગ્લાદેશના નાગરિક તરીકે પોતાનું જીવન જીવ્યું. તેઓ બાંગ્લાદેશમાં ટોચના…
વર્ષ 2025 માં ભારતે ગુમાવ્યા આ રાજનેતાઓ… ગુજરાતને પડ્યો મોટો ફટકો
ભારતીય રાજકારણ માટે 2025નું વર્ષ દુઃખદ રહ્યું. દેશે ઘણા અનુભવી અને અનુભવી રાજકારણીઓ ગુમાવ્યા જેમણે વિવિધ પક્ષો, રાજ્યો અને મુદ્દાઓ પર અમીટ છાપ છોડી. ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યપાલો અને વિધાનસભા અધ્યક્ષ જેવા હોદ્દા સંભાળનારા આ નેતાઓનું નિધન ફક્ત તેમના પક્ષો માટે જ નહીં પરંતુ ભારતીય લોકશાહીની વિવિધતાને પણ પ્રતિબિંબિત કરે છે. આ નેતાઓમાં કોંગ્રેસ, ભાજપ, પ્રાદેશિક પક્ષો અને ડાબેરીઓના નેતાઓનો સમાવેશ થાય છે, જેઓ આદિવાસી અધિકારો, મહિલા સશક્તિકરણ, શાસન સુધારણા અને સામાજિક ન્યાય જેવા ક્ષેત્રોમાં સક્રિય હતા. વિજય રૂપાણી ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું જૂન મહિનામાં અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. ભાજપના નેતા રૂપાણીએ 2016-2021 સુધી રાજ્યનું નેતૃત્વ કર્યું હતું અને તેમને મોદીની નજીક માનવામાં આવતા હતા. શિવરાજ પાટિલ સૌથી અગ્રણી નામોમાં…
ગુજરાત કોંગ્રેસને વર્ષ 2026માં લાગશે મોટો ફટકો, રાજ્યસભામાં એક પણ…
નિકેત સંઘાણી, ગાંધીનગર/ ગુજરાતમાં હવે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થવા લાગી છે. બીજી તરફ રાજકીય સોગઠાં ગોઠવાવા લાગ્યા છે. આ દરમિયાન હવે વર્ષ 2026માં ગુજરાત કોંગ્રેસને એક મોટો ફટકો પડશે. ગુજરાતથી રાજ્યસભામાં કોંગ્રેસનો એક પણ સાંસદ નહીં રહે. ગુજરાતમાં હાલ રાજ્ય સભાની કુલ 11 બેઠકો છે. જે પૈકી 1 બેઠક પર કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલ છે. જ્યારે બાકીની 10 બેઠકો પર ભાજપના સાંસદ છે. આ દરમિયાન વર્ષ 2026ના 21 જૂનના રોજ 4 બેઠકો ખાલી થઈ રહી રહી છે. ત્યારે આવનાર ચૂંટણીમાં કદાચ કોંગ્રેસને પોતાની બેઠક ગુમાવવાનો વારો આવી શકે છે. વિધાનસભામાં સંખ્યા બળ ઓછું ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યા બળ સતત ઘટી રહ્યું છે. હાલ ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ફક્ત 12 જ ધારાસભ્ય છે. ત્યારે આવનાર રાજ્યસભાની ચૂંટણીમાં…
જેઠાભાઈ ભરવાડે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું છે કારણ
એક તરફ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે. બીજી તરફ ગુજરાતની રાજનીતિમાં મોટી હલચલ જોવા મળી છે. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીરે ઉપાધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું છે. રાજીનામાંથી અનેક અટકળો તેજ થઈ છે. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીરે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને સંગઠન મંત્રી રત્નાકરજી ની ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષના નિવાસસ્થાને રાજીનામું સોંપ્યું છે. આ સાથે જ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈએ રાજીનામાનો સ્વીકાર કર્યો છે. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીરે ઉપાધ્યક્ષ પદ પરથી રાજીનામાંનું કારણ પણ સામે આવ્યું છે. અન્ય હોદ્દાના કામની વ્યસ્તતાના કારણે રાજીનામું આપ્યું હોવાની ચર્ચાઓ છે. રાજીનામાં મામલે જેઠા ભરવાડે કહ્યું કે, સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. અન્યને તક મળે એટલે આ નિર્ણય લીધો છે. હવે…
શશિ થરૂર લાંબા સમય બાદ બોલ્યા કોંગ્રેસના સૂરમાં, મનરેગા મામલે જાણો શું કહ્યું
મનરેગાની અનેક જોગવાઈઓમાં સુધારો કરવા માટે લોકસભામાં એક બિલ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં તેનું નામ બદલવાનો પણ સમાવેશ થાય છે. આ બિલમાં મનરેગાને હવે ‘વિકસિત ભારત – જી રામ જી’ યોજના નામ આપવામાં આવ્યું છે. આ અંગે સંસદમાં રસપ્રદ ચર્ચા જોવા મળી છે. કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ તેનો જોરદાર વિરોધ કર્યો હતો, જ્યારે તેમના પછી બોલવા માટે ઉભા થયેલા શશી થરૂર પણ લાંબા સમય પછી પાર્ટી સાથે જોડાયેલા દેખાયા. તેમણે કહ્યું કે હું મનરેગા યોજનામાંથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું નામ બદલવાની વિરુદ્ધ છું. હું તે કારણોની વિગતોમાં જઈશ નહીં કારણ કે અગાઉના વક્તાઓ તેના પર ઘણું બોલી ચૂક્યા છે. શશિ થરૂરે કહ્યું, “હું રામજી બિલનો વિરોધ કરું છું. મારી પ્રાથમિક ફરિયાદ એ છે કે તેનું નામ,…
ગુજરાત ભાજપના દિગ્ગજોના દિલ્હીમાં ધામા, આ મામલે વડાપ્રધાન અને અમિત શાહ સાથે થઈ શકે છે ચર્ચા
ગુજરાતમાં મંત્રીમંડળ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બાદ હવે ગુજરાત ભાજપના સંગઠનને લઈ ચર્ચાઓ શરૂ થઈ છે. આ દરમિયાન આજે ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, સંગઠન મંત્રી અન્ય નેતાઓની દિલ્હી ખાતે ગૃહમંત્રી અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બેઠક યોજાશે. જેમાં ગુજરાત ભાજપના સંગઠનને લઈને ચર્ચા થશે એવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આજે દિલ્હી ખાતેની બેઠક બાદ ગુજરાત પ્રદેશ ભાજપની ટીમની જાહેરાત થવાની ચર્ચાઓએ વેગ પકડ્યો છે. મળતી માહિતી મુજબ નવી ટીમમાં 6 થી 8 પ્રદેશ ઉપાધ્યક્ષ, 8 થી 10 પ્રદેશ મંત્રી, 1 ખજાનચી સહિત 20 થી 25 હોદેદારો અને ચારે ઝોન માંથી એક એક પ્રદેશ મહામંત્રીની નિમણૂકની ચર્ચાઓ ચાલી રહી છે. દિલ્હીથી મંજૂરીની મહોર બાદ કમુરતા પહેલા નામ જાહેર થવાની સંભાવના છે. ગુજરાત…
શશિ થરૂર નવા-જૂની કરવાના મૂડમાં ! સતત ત્રીજી વખત કોંગ્રેસની બેઠકમાં રહ્યા ગેરહાજર
કોંગ્રેસ અને શશિ થરૂરના સંબંધો છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ચર્ચામાં રહ્યા છે. આ દરમિયાન શશિ થરૂર સતત ત્રીજી વખત પાર્ટીની બેઠકમાં ગેરહાજર રહ્યા છે. શુક્રવારે કોંગ્રેસના લોકસભા સાંસદોની એક બેઠક હતી, જેમાં તેઓ હાજર રહ્યા ન હતા. આ સતત ત્રીજી વખત છે જ્યારે શશિ થરૂર પાર્ટીની બેઠકમાં ગેરહાજર રહ્યા છે. શશિ થરૂર અનેક વખત પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી ચૂક્યા છે. એવું માનવામાં આવે છે કે આના કારણે કોંગ્રેસમાં તેમના વિશે અસ્વસ્થતાની સ્થિતિ છે. દરમિયાન, કોંગ્રેસની બેઠકોમાં તેમની સતત ગેરહાજરી આશંકાઓને જન્મ આપી રહી છે. શિયાળુ સત્ર 19 ડિસેમ્બરે સમાપ્ત થવાનું છે અને તે પહેલાં રાહુલ ગાંધીએ કોંગ્રેસના તમામ 99 લોકસભા સાંસદોની બેઠક બોલાવી હતી. આ બેઠક શિયાળુ સત્રના આગામી દિવસોમાં શાસક પક્ષને કેવી રીતે…
















