Valsad : મધ્યપ્રદેશના કોંગ્રેસી MLA ફુલસિંગ બારીયાના નિવેદનથી સાંસદ ધવલ પટેલ થયા લાલઘૂમ, કોંગ્રેસ પર સાધ્યું નિશાન

આઝાદ રાઠોડ, વલસાડ/ વલસાડ જિલ્લાના નાનાપોંઢાં ખાતે આયોજિત આદિવાસી મહાસંમેલનમાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને વલસાડના સાંસદ ધવલ પટેલે કોંગ્રેસ પર આંકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે મધ્યપ્રદેશના કોંગ્રેસી ધારાસભ્ય ફુલસિંગ બારીયા દ્વારા આદિવાસી સમાજની મહિલાઓ અંગે આપવામાં આવેલા વિવાદિત નિવેદનની આકરા શબ્દોમાં નિંદા કરી હતી.

ધવલ પટેલે જણાવ્યું હતું કે ફુલસિંગ બારીયાએ આદિવાસી મહિલાઓ અંગે આપેલું “આદિવાસી મહિલાઓ પર રેપ કરશો તો સ્વર્ગ મળશે” જેવું નિવેદન અત્યંત શરમજનક અને માનવતા વિરુદ્ધ છે. આવા નિવેદનો કોંગ્રેસની સાચી માનસિકતા દર્શાવે છે, જે આદિવાસી સમાજ પ્રત્યે અપમાનજનક છે.

કોંગ્રેસ પર સાધ્યું નિશાન
ધવલ પટેલે આદિવાસી સમાજને સંબોધતાં કહ્યું કે આદિવાસી સમાજ એ સમજી જવું જોઈએ કે આદિવાસી સમાજનું આરક્ષણ કોણ લેવા માગે છે અને વિકાસ કોણ કરવા માંગે છે. સાથે કોણ ઉભું છે. કોંગ્રેસ જે આદિવાસી આદિવાસી કરે છે તેઓની માનસિકતા બતાવે છે કે તેઓની વિચારધારા કેટલી ખરાબ છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા આદિવાસી સમાજની જ છે અને તેની પડખે છે અને હંમેશા વિકાસ કરતી આવી છે અને કરશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

અમદાવાદમાં ઓટોરિક્ષા ભાડામાં વધારો: મિનિમમ ભાડું ₹25, પ્રતિ કિમી ₹20; મુસાફરોમાં નારાજગી

અમદાવાદમાં વધતા CNGના ભાવ વચ્ચે ઓટોરિક્ષા ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. લાંબા સમયથી ભાડામાં સુધારાની માંગ કરી રહેલા રિક્ષા ચાલકોને રાહત આપતા ટ્રાન્સપોર્ટ વિભાગે નવા ભાડા દરોને મંજૂરી આપી છે.…

યુનિસેફનું ગંભીર એલર્ટ: ઇબોલાના વધતા કેસો, 30 લાખથી વધુ બાળકો જોખમમાં

વિશ્વમાં ફરી એકવાર ઇબોલા વાયરસનો પ્રકોપ ગંભીર સ્વરૂપ લઈ રહ્યો છે. તાજેતરના આંકડા મુજબ ઇબોલાના કુલ કેસો વધીને 1,048 થયા છે, જેમાં અત્યાર સુધી 267 લોકોના મોત નોંધાયા છે. મૃત્યુદર…