Congressએ પોતાના જ નેતાના નામનો કર્યો હતો વિરોધ? જાણો શું કહ્યું અમિત શાહે
અમિત શાહ હાલ ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન અમિત શાહ આજે કલોલ ઈફકો પ્લાન્ટના 50 વર્ષની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અમિત શાહ હાજર રહ્યા હતા. ત્યારે કાર્યક્રમમાં અમિત શાહે કોંગ્રેસ આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસે પોતાના નેતાના નામનો જ વિરોધ કરી રહી છે. અમિત શાહે કહ્યું કે, ઈફકોની 50 વર્ષની ગૌરવ યાત્રા રહી છે. ઈફકો કોર્પોરેટની જેમ ચાલે છે. ઈફકો કુશળતાથી કામ કરી રહ્યું છે. આ સાથે તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું કે, હમણાં જ ત્રિભોવન કાકાના નામે ત્રિભોવન સહકારી યુનિવર્સિટી સ્થાપી. કોંગ્રેસે સ્વભાવ પ્રમાણે વિરોધ કર્યો. ત્રિભોવન કાકાનું નામ કેમ રાખ્યું? મે સાંસદમાં કહ્યું જરા શરમાવ. ત્રિભોવન કાકા આખી જિંદગી કોંગ્રેસમાં રહ્યા. અને તમે કોંગ્રેસીયાવ એનો વિરોધ કરો છો. ત્યારે એમને ખબર જ…
પ્રધાનમંત્રી મોદીએ વક્ફ સુધારા બિલ પસાર થવા પર ખુશી વ્યક્ત કરી, તેને સમાવિષ્ટ વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદમાં વક્ફ સુધારા બિલ પસાર થવા પર ખુશી વ્યક્ત કરી. તેમણે તેને સામાજિક-આર્થિક ન્યાય, પારદર્શિતા અને સમાવેશી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું. મોદીએ કહ્યું કે આ બિલ ખાસ કરીને એવા લોકોને લાભ આપશે જેઓ લાંબા સમયથી હાંસિયામાં ધકેલાઈ ગયા છે અને જેમને અવાજ અને તક બંનેનો ઇનકાર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે દાયકાઓથી, વકફ પ્રણાલીમાં પારદર્શિતા અને જવાબદારીનો અભાવ હતો, જેના કારણે ખાસ કરીને મુસ્લિમ મહિલાઓ, ગરીબ મુસ્લિમો અને પાસમાંડા મુસ્લિમોના હિતોને નુકસાન થયું હતું. નવો કાયદો પારદર્શિતાને પ્રોત્સાહન આપશેપ્રધાનમંત્રીએ કહ્યું કે આ નવો કાયદો વકફ બાબતોમાં પારદર્શિતાને પ્રોત્સાહન આપશે અને લોકોના અધિકારોનું રક્ષણ કરશે. તેમણે તેને સામાજિક-આર્થિક ન્યાય તેમજ સમાવેશી વિકાસનું પ્રતીક ગણાવ્યું.…
BIMSTEC સમિટમાં ભાગ લેવા PM મોદી પહોંચ્યા થાઇલેન્ડ, આ નેતાઓ સાથે કરી શકે છે મુલાકાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે બે દિવસની મુલાકાતે થાઇલેન્ડ પહોંચ્યા છે. જ્યાં તેઓ BIMSTEC સમિટમાં હાજરી આપશે અને વિવિધ દ્વિપક્ષીય બેઠકોમાં ભાગ લેશે. પોતાની મુલાકાત વિશે માહિતી શેર કરતા વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું, “આગામી ત્રણ દિવસમાં, હું થાઇલેન્ડ અને શ્રીલંકાની મુલાકાત લઈશ અને આ દેશો અને BIMSTEC દેશો સાથે ભારતના સહયોગને પ્રોત્સાહન આપવાના હેતુથી વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈશ.” થાઇલેન્ડમાં પ્રધાનમંત્રીનો કાર્યક્રમપ્રધાનમંત્રી મોદી બેંગકોકમાં થાઇલેન્ડના પ્રધાનમંત્રી પૈતોગતાર્ન શિનાવાત્રાને મળશે અને બંને દેશો વચ્ચે પરસ્પર સહયોગના તમામ પાસાઓ પર ચર્ચા કરશે. આ ઉપરાંત, તેઓ થાઇલેન્ડના રાજા મહા વજીરાલોંગકોર્ન (રામા દસમાં) ને પણ મળશે. ગુરુવારે સાંજે, વડાપ્રધાન મોદી મોદી BIMSTEC સમિટમાં હાજરી આપશે, જેમાં બંગાળની ખાડી ક્ષેત્રના સાત દેશોના નેતાઓ હાજરી આપશે. BIMSTEC માં PM મોદી આ નેતાઓને…
નિધિ તિવારીને પ્રધાનમંત્રીના અંગત સચિવની જવાબદારી મળી
પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) માં નાયબ સચિવ તરીકે ઉત્તમ સેવાઓ આપનાર નિધિ તિવારીને હવે પ્રધાનમંત્રીના અંગત સચિવની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. આ પદ સંભાળતી વખતે, તેમણે વડા પ્રધાનના રોજિંદા કામનું સંકલન, મહત્વપૂર્ણ બેઠકોનું આયોજન અને વિવિધ સરકારી વિભાગો સાથે સંકલન જેવા મહત્વપૂર્ણ કાર્યો સંભાળવાના રહેશે. નિધિ તિવારી કોણ છે?:- નિધિ તિવારી 2014 બેચની ભારતીય વિદેશ સેવા (IFS) અધિકારી છે. નવેમ્બર 2022 માં, તેમને પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) માં નાયબ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પહેલા, તેણીએ વિદેશ મંત્રાલય (MEA) ના નિઃશસ્ત્રીકરણ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા બાબતોના વિભાગમાં અંડર સેક્રેટરી તરીકે સેવા આપી હતી. નિધિ તિવારી મૂળ વારાણસીના મેહમૂરગંજની રહેવાસી છે. સિવિલ સર્વિસ પરીક્ષામાં ઉત્તમ પ્રદર્શન:- નિધિ તિવારીએ 2013 ની સિવિલ સર્વિસ પરીક્ષામાં 96મો ક્રમ મેળવ્યો હતો.…
વડાપ્રધાન મોદીનું કામ દેશ અને સંસ્કૃતિના હીતમાં, RSSના કાર્યકારી સભ્ય રાજીવ તુલીનું નિવેદન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે મહારાષ્ટ્રના નાગપુરની મુલાકાતે હતા, જ્યાં તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્યાલયની મુલાકાત લીધી. આ સમયગાળા દરમિયાન તેઓ સંઘના સ્થાપક ડૉ. કેશવ બલિરામ હેડગેવાર અને બીજા સરસંઘચાલક એમ.એસ. ને મળ્યા. ગોલવલકરની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી. પીએમ મોદીની આ મુલાકાત પર પ્રતિક્રિયા આપતા, દિલ્હી આરએસએસ કાર્યકારી સભ્ય રાજીવ તુલીએ કહ્યું કે આ એક સ્વયંસેવક અને ભૂતપૂર્વ પ્રચારક તરીકે સંઘ પ્રત્યેની તેમની કૃતજ્ઞતાનું પ્રતીક છે. આ પણ વાચો :- ટ્રમ્પે એક તરફ જેલેન્સકીને આપી ચેતવણી તો બીજી તરફ રશિયાની કાઢી ઝાટકણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગપુરમાં બનનારી માધવ આંખ હોસ્પિટલ અને સંશોધન સંસ્થાનું ભૂમિપૂજન અને શિલાન્યાસ સમારોહ કર્યો. આ સંસ્થા આંખની સારવારના ક્ષેત્રમાં અત્યાધુનિક સુવિધાઓ પૂરી પાડશે, જેથી દેશભરના દર્દીઓ વધુ સારી સારવાર અને આધુનિક તકનીકોનો…
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદીને ગણાવ્યા ખુબજ ‘સ્માર્ટ’ વ્યક્તિ, ગણાવ્યા નિકટના મિત્ર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે અને તેમને ‘નિકટના મિત્ર’ અને ‘ખૂબ જ સ્માર્ટ વ્યક્તિ’ ગણાવ્યા છે. શુક્રવારે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે ભારત સાથે ચાલી રહેલી ટેરિફ વાટાઘાટો ખૂબ સારી રીતે કાર્ય કરશે. અમેરિકન રાષ્ટ્રપતિએ પત્રકારોને જણાવ્યું હતું કે, ‘વડાપ્રધાન મોદી તાજેતરમાં અહીં આવ્યા હતા અને અમે હંમેશા ખૂબ સારા મિત્રો રહ્યા છીએ.’ ભારત વિશ્વમાં સૌથી વધુ ટેરિફ ધરાવતા દેશોમાંનો એક છે. તે ખૂબ જ હોશિયાર છે. આ પણ વાંચો :- મ્યાનમારથી લઇ મણિપુર સુધી ધ્રુજી ધરતી, સૌથી વધુ નુકસાન બેંગકોકમાં , પત્તાના મહેલની જેમ તૂટી પડી બિલ્ડીંગો પીએમ મોદીને ખૂબ જ સ્માર્ટ કહ્યા :- પીએમ મોદી વિશે ટ્રમ્પે આગળ કહ્યું, ‘તેઓ…
બાંગ્લાદેશના સ્વતંત્રતા દિવસ નિમિતે PM મોદીએ પાઠવી શુભેચ્છા, કહ્યું ભાગીદારીને વિકસાવવા પ્રતિબદ્ધ છીએ
ભારત-બાંગ્લાદેશ વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના વચગાળાના સરકારના વડા મુહમ્મદ યુનુસને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવવા પત્ર લખ્યો. તેમણે બંને દેશો વચ્ચે ભાગીદારીને આગળ વધારવા માટે ભારતની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો પ્રધાનમંત્રીએ લખ્યું, “મહામહિમ, હું બાંગ્લાદેશના રાષ્ટ્રીય દિવસ નિમિત્તે તમને અને બાંગ્લાદેશના લોકોને મારી શુભકામનાઓ પાઠવું છું.” પીએમએ લખ્યું, “આ દિવસ આપણા સહિયારા ઇતિહાસ અને આપણી દ્વિપક્ષીય ભાગીદારીનો પાયો નાખનારા બલિદાનોની સાક્ષી તરીકે ઉભો છે. બાંગ્લાદેશના મુક્તિ યુદ્ધની ભાવના આપણા સંબંધોને માર્ગદર્શન આપી રહી છે, જે ઘણા ક્ષેત્રોમાં વિકસ્યા છે, જેનાથી આપણા લોકોને મૂર્ત લાભો થયા છે.” પ્રધાનમંત્રીએ કહ્યું, “આપણે શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટેની આપણી સામાન્ય આકાંક્ષાઓથી પ્રેરિત અને એકબીજાના હિતો અને ચિંતાઓ પ્રત્યે પરસ્પર સંવેદનશીલતા પર આધારિત આ ભાગીદારીને વધુ વિકસાવવા…
PM મોદી જોશે ‘છાવા’, સંસદમાં યોજાશે ફિલ્મનું ખાસ સ્ક્રિનિંગ, અમિત શાહ પણ આપશે હાજરી
–> પીએમ મોદી છાવા જોવા આવશે:- વિકી કૌશલની ઐતિહાસિક ફિલ્મ ‘છાવા’ને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. રિલીઝ થયાના 40 દિવસ પછી પણ, ફિલ્મ બોક્સ ઓફિસ પર ભારે કમાણી કરી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અગાઉ ‘છાવા’ની પ્રશંસા કરી હતી અને હવે તેઓ વિકી કૌશલની આ ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજરી આપવા જઈ રહ્યા છે. સંસદ ‘છાવા’નું ખાસ સ્ક્રીનિંગ યોજવા જઈ રહી છે. પીએમ મોદી આ મંગળવારે સંસદના પુસ્તકાલય ભવનમાં બાલયોગી ઓડિટોરિયમમાં વિકી કૌશલની ફિલ્મ જોશે. આ સ્ક્રીનિંગમાં વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત ભાજપના ઘણા મંત્રીઓ અને સાંસદો પણ હાજર રહેશે. –> ‘છાવા’ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજરી આપશે વિકી કૌશલ:- સંભાજીની ભૂમિકા ભજવીને પ્રશંસા મેળવી રહેલા વિકી કૌશલ, દિગ્દર્શક લક્ષ્મણ ઉત્તેકર અને નિર્માતા દિનેશ વિજન…
BIMSTEC સમિટમાં પીએમ મોદી અને મોહમ્મદ યુનુસ વચ્ચે નહીં યોજાય દ્વિપક્ષીય બેઠક, ભારતે કરી દીધો ઇન્કાર
મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળના બાંગ્લાદેશને ભારતે મોટો ઝટકો આપ્યો છે. ભારતે બેંગકોકમાં યોજાનારી BIMSTEC સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના વચગાળાના સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજવાનો ઇનકાર કર્યો છે. આ પણ વાચો :- હાઈકોર્ટના જજ જસ્ટિસ યશવંત વર્માની ટ્રાન્સફર પાછળનું કારણ આવ્યું સામે, લેવાઇ શકે છે કડક પગલા હકીકતમાં, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ આવતા મહિને 2-4 એપ્રિલના રોજ યોજાનાર BIMSTEC સમિટમાં ભાગ લેવા જઈ રહ્યા છે. આ પહેલી વાર હશે જ્યારે પીએમ મોદી અને યુનુસ બહુપક્ષીય કાર્યક્રમમાં સામસામે હશે. પરંતુ આ સમિટ દરમિયાન બંને દેશોના ટોચના નેતાઓ વચ્ચે કોઈ દ્વિપક્ષીય બેઠક થશે નહીં. બાંગ્લાદેશે ભારતને મળવા વિનંતી કરી હતી :- બાંગ્લાદેશે BIMSTEC…
મોરેશિયસમાં વડાપ્રધાન મોદીનું ફુલોનો હાર પહેરાવી, ગળે લગાવી કરાયું સ્વાગત, અપાયું ગાર્ડ ઓફ ઓનર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે મોરેશિયસ પહોંચ્યા છે. પોર્ટ લુઇસ એરપોર્ટ પર મોરેશિયસના પીએમ નવીન રામગુલામે ફૂલોની માળા પહેરાવીને પીએમ મોદીનું સ્વાગત કર્યું. આ સમય દરમિયાન, બંને નેતાઓ વચ્ચે ઘણી ઉષ્માભરી વાતચીત જોવા મળી. તમને જણાવી દઈએ કે પીએમ મોદી 12 માર્ચે મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. ભારતીય નૌકાદળના જહાજ સાથે ભારતીય સંરક્ષણ દળોની ટુકડી પણ આ સમારોહમાં ભાગ લેશે. આ પણ વાંચો :- આજે લોકસભામાં રજુ થશે આ બિલ, ભારતમાં ગેરકાયદે રહેતા લોકો સામે કડક કાર્યવાહીની જોગવાઇ મોરેશિયસમાં પીએમ મોદીનું ખૂબ જ ખાસ રીતે સ્વાગત કરવામાં આવ્યું. પીએમ નવીન રામગુલામ તેમના સમગ્ર મંત્રીમંડળ સાથે પીએમ મોદીનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યા. આ દરમિયાન તેમણે પહેલા પીએમ મોદીને ગળે લગાવ્યા, પછી તેમને…
















