BIMSTEC સમિટમાં પીએમ મોદી અને મોહમ્મદ યુનુસ વચ્ચે નહીં યોજાય દ્વિપક્ષીય બેઠક, ભારતે કરી દીધો ઇન્કાર

મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળના બાંગ્લાદેશને ભારતે મોટો ઝટકો આપ્યો છે. ભારતે બેંગકોકમાં યોજાનારી BIMSTEC સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના વચગાળાના સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજવાનો ઇનકાર કર્યો છે.

આ પણ વાચો :- હાઈકોર્ટના જજ જસ્ટિસ યશવંત વર્માની ટ્રાન્સફર પાછળનું કારણ આવ્યું સામે, લેવાઇ શકે છે કડક પગલા

હકીકતમાં, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ આવતા મહિને 2-4 એપ્રિલના રોજ યોજાનાર BIMSTEC સમિટમાં ભાગ લેવા જઈ રહ્યા છે. આ પહેલી વાર હશે જ્યારે પીએમ મોદી અને યુનુસ બહુપક્ષીય કાર્યક્રમમાં સામસામે હશે. પરંતુ આ સમિટ દરમિયાન બંને દેશોના ટોચના નેતાઓ વચ્ચે કોઈ દ્વિપક્ષીય બેઠક થશે નહીં.

બાંગ્લાદેશે ભારતને મળવા વિનંતી કરી હતી :- બાંગ્લાદેશે BIMSTEC સમિટમાં ભારત અને બાંગ્લાદેશના ટોચના નેતાઓ વચ્ચે બેઠક માટે વિનંતી કરી હતી. બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં વિદેશ બાબતોના સલાહકાર તૌહીદ હુસૈને આ વાતની પુષ્ટિ કરી હતી.

બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં વિદેશ બાબતોના સલાહકાર તૌહીદ હુસૈને એક નિવેદન આપ્યું. તેમણે કહ્યું હતું કે, “અમે થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં યોજાનારી BIMSTEC સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ વચ્ચે દ્વિપક્ષીય બેઠકનું આયોજન કરવા માટે ભારત સાથે રાજદ્વારી સંપર્ક કર્યો છે.

આ પણ વાચો :- અમેરિકામાં ગ્રીનકાર્ડ ધરાવતા ભારતીયો પણ પરેશાન, કડક તપાસ-પૂછપરછનો કરવો પડી રહ્યો છે સામનો

ભારત-બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ બેઠક યોગ્ય નથી :- સૂત્રોએ જણાવ્યું હતું કે, “ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હાલમાં પરિસ્થિતિ સારી નથી. આવી સ્થિતિમાં, બંને દેશોના ટોચના નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોગ્ય નથી. જોકે, આ બહુપક્ષીય કાર્યક્રમમાં એકબીજાને રૂબરૂ મળવાની કે શુભેચ્છા પાઠવવાની શક્યતા નકારી શકાય નહીં, પરંતુ આ સિવાય, કોઈ દ્વિપક્ષીય બેઠકની અપેક્ષા નથી.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

રાષ્ટ્રપતિ મુર્મુનું રાષ્ટ્રજોગ સંબોધન: ઓપરેશન સિંદૂરથી સિંધુ જળ સંધિ સુધી અનેક મુદ્દાનો ઉલ્લેખ

80મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશને સંબોધન કરીને દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. રાષ્ટ્રપતિના સંબોધનમાં ભારતની વિકાસયાત્રા, રાષ્ટ્રીય એકતા, સુરક્ષા, આતંકવાદ સામેની લડત, સશસ્ત્ર દળોની ક્ષમતા અને વિકસિત ભારતના સંકલ્પ જેવા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ સચિવાલય અને કેન્દ્ર સરકારના સત્તાવાર દસ્તાવેજોમાં પણ 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાના આ સંબોધનની પુષ્ટિ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં સ્વતંત્રતા સંગ્રામના બલિદાનોને યાદ કરતાં જણાવ્યું કે ભારતની આઝાદી માત્ર એક ઐતિહાસિક ઘટના નથી, પરંતુ દેશના નાગરિકોના સતત પ્રયાસો અને જવાબદારી સાથે જોડાયેલી યાત્રા છે. તેમણે ભારતને વધુ વિકસિત, આત્મનિર્ભર અને મજબૂત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પને આગળ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. રાષ્ટ્રપતિ મુર્મુએ સરદાર પટેલના યોગદાનને યાદ કર્યું રાષ્ટ્રપતિ મુર્મુએ ભારતની એકતા અને અખંડિતતાના સંદર્ભમાં…

શિક્ષણક્ષેત્રે નર્મદા જીલ્લા ની મોટી સિદ્ધી 92% બાળકો ને મળ્યો પુનઃપ્રવેશ…

શિક્ષણક્ષેત્રે નર્મદા જિલ્લાની વધુ એક મોટી સિદ્ધિ: 92% ડ્રોપઆઉટ બાળકોને શાળામાં પુનઃપ્રવેશ, રાજ્યમાં પ્રથમ શિક્ષણક્ષેત્રે નર્મદા જિલ્લામાં 4,224 ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓમાંથી 3,906 બાળકોને ફરી શાળામાં પ્રવેશ અપાયો. 92% ડ્રોપઆઉટ રેશિયો ઘટાડીને નર્મદા જિલ્લો સમગ્ર ગુજરાતમાં પ્રથમ બન્યો. રાજ્યના શિક્ષણ ક્ષેત્રે નર્મદા જિલ્લાએ ફરી એકવાર સમગ્ર ગુજરાતમાં ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. જિલ્લામાં શાળામાંથી ડ્રોપઆઉટ થયેલા કુલ 4,224 વિદ્યાર્થીઓમાંથી 3,906 બાળકોને ફરીથી શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો છે. આ સાથે નર્મદા જિલ્લાએ 92 ટકા ડ્રોપઆઉટ રેશિયો ઘટાડીને સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.આ સિદ્ધિ નર્મદા જિલ્લા માટે એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે થોડા સમય પહેલાં ધોરણ-10ના પરિણામમાં પણ જિલ્લાએ સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. હવે વિદ્યાર્થીઓને ફરી શિક્ષણ વ્યવસ્થામાં જોડવાની કામગીરીમાં પણ નર્મદા જિલ્લાએ આગવું સ્થાન મેળવ્યું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *