PM મોદી લેશે કુવૈતની મુલાકાત, 43 વર્ષ બાદ પ્રથમવાર કોઇ ભારતીય PM દ્વારા આ દેશનો પ્રવાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21-22 ડિસેમ્બરે કુવૈતની મુલાકાત લઈ શકે છે. પીએમ મોદીની ખાડી દેશ કુવૈતની આ મુલાકાત ઘણી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તાજેતરમાં જ કુવૈતના વિદેશ મંત્રી ભારત આવ્યા હતા અને પીએમને કુવૈત આવવાનું આમંત્રણ આપ્યું હતું. આ પહેલા વર્ષ 1981માં એક ભારતીય પીએમ કુવૈતની મુલાકાતે ગયા હતા. -> પીએમ મોદીની આ પ્રથમ કુવૈત મુલાકાત હશે :- ભારત અને કુવૈત વચ્ચે 1961માં રાજદ્વારી સંબંધો સ્થાપિત થયા હતા, ત્યારબાદ બંને દેશો વચ્ચેના સંબંધો શાનદાર રહ્યા છે. કુવૈતમાં મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો વસે છે. ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC)માં કુવૈત એકમાત્ર એવો દેશ છે જ્યાં પીએમ મોદીએ હજુ સુધી મુલાકાત લીધી નથી.કુવૈત હાલમાં GCCનું અધ્યક્ષ રાષ્ટ્ર છે. કુવૈત ઉપરાંત, GCCમાં સંયુક્ત આરબ અમીરાત, બહેરીન, સાઉદી અરેબિયા,…

આજે વિજય દિવસ, પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુએ શહીદોને આપી શ્રદ્ધાંજલી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારે ‘વિજય દિવસ’ના અવસર પર 1971ના યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતના વિજયના નાયકોને શ્રદ્ધાંજલિ આપી હતી. વિજય દિવસ દર વર્ષે 16 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં ભારતીય સેનાની અદમ્ય હિંમત અને શહીદ થયેલા સૈનિકોના બલિદાનને યાદ કરવાનો આ દિવસ છે. મુર્મુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કૃતજ્ઞ રાષ્ટ્ર આપણા નાયકોના સર્વોચ્ચ બલિદાનને યાદ કરે છે. તેમની (બહાદુરીની) વાર્તાઓ દરેક ભારતીયને પ્રેરણા આપે છે અને રાષ્ટ્રીય ગૌરવનો સ્ત્રોત બની રહેશે. જ્યારે મોદીએ ‘X’ પર લખ્યું, “આજે વિજય દિવસ પર, અમે તે બહાદુર સૈનિકોની હિંમત અને બલિદાનનું સન્માન કરીએ છીએ જેમણે 1971માં ભારતની ઐતિહાસિક જીતમાં યોગદાન આપ્યું હતું.” તેમણે કહ્યું કે તેમના નિઃસ્વાર્થ સમર્પણ અને અતૂટ નિશ્ચયે…