પ્રજાસત્તાક દિવસ 2026: ભારત 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ કેમ ઉજવાય છે? ઇતિહાસ, મહત્વ અને ઉજવણીઓ

ભારત દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરે છે. આ દિવસ દેશના બંધારણની અમલીકરણની યાદમાં નિર્વિચાર મહત્વ ધરાવે છે અને સમગ્ર દેશ માટે દેશભક્તિ અને ગર્વનો પ્રતીક છે. 2026માં, ભારત 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવશે, જે સોમવારે આવે છે. ઇતિહાસ ભારતને 15 ઓગસ્ટ, 1947 ના રોજ સ્વતંત્રતા મળી, ત્યારે દેશમાં બંધારણના અમલ માટે માર્ગદર્શિકા ન હતી. સ્વતંત્રતા પછીના કાયદા બ્રિટિશ “ભારત સરકાર અધિનિયમ, 1935” પર આધારિત હતા. ભારતીય બંધારણ તૈયાર કરવા માટે મુસદ્દા સમિતિની રચના કરવામાં આવી, જેના અધ્યક્ષ હતા ડૉ. બી.આર. આંબેડકર. સમિતિના પ્રયાસો પછી ભારતીય બંધારણ 26 નવેમ્બર, 1949 ના રોજ પૂર્ણ થયું. આ દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બે મહિના પછી, 26 જાન્યુઆરી, 1950 ના રોજ બંધારણ અમલમાં આવ્યું. આ…

LoC પર નાપાક હરકત: કેમેરા લગાવતી વખતે પાકિસ્તાન દ્વારા ફાયરિંગ, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

20-21 જાન્યુઆરીની રાત્રે ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં લાઇન ઓફ કંટ્રોલ (LoC) પર ભારતીય અને પાકિસ્તાની સૈનિકો વચ્ચે ગોળીબારની ઘટના સર્જાઈ. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર આ અથડામણ ત્યારે થઇ જ્યારે ભારતીય સેનાના 6 નેશનલ રાઇફલ્સના સૈનિક સરહદ પર હાઇ-ટેક સર્વેલન્સ કેમેરા ઇન્સ્ટોલ કરી રહ્યા હતા, જેથી બ્લાઇન્ડ સ્પોટ્સ પર નજર રાખી શકાય. પાકિસ્તાની સૈનિકોએ ઇન્સ્ટોલેશનને ડીસ્ટર્બ કરવા માટે નાના હથિયારથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેના જવાબમાં ભારતીય સૈનિકોએ જડબાતોડ ગોળીબાર કર્યો. આ ઘટનામાં બંને પક્ષમાંથી કોઈ જાનહાનીની જાણ નહીં થઈ. જોકે, ભારતીય સેનાએ તાત્કાલિક કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું અને શંકા વ્યક્ત કરી છે કે પાકિસ્તાની ફાયરિંગનો ઉદ્દેશ ઘૂસણખોરીના પ્રયાસ પરથી સેનાની નજર હટાવવા માટે થઈ શકે છે. શિયાળાના મહિનાઓમાં સુરક્ષા વધારી: LoC પરની…