Ahmedabad Civil Hospital 254th Organ Donation: પુત્ર ગુમાવ્યો પણ ૪ લોકોને જીવતદાન આપ્યું.. Gift of Life..

Ahmedabad સિવિલ હોસ્પિટલમાં 254મું અંગદાન: રોહિતસિંહના ચાર અંગોથી ચાર દર્દીઓને મળશે નવજીવન Ahmedabad: Ahmedabad સિવિલ હોસ્પિટલમાં માનવતા, સંવેદનશીલતા અને સેવાભાવનું વધુ એક પ્રેરણાદાયી ઉદાહરણ સામે આવ્યું છે. મૂળ દિલ્હીના વતની અને હાલ અમદાવાદમાં નોકરી-વ્યવસાય માટે રહેતા 31 વર્ષીય રોહિતસિંહના બ્રેઇનડેડ જાહેર થયા બાદ તેમના પરિવારે અત્યંત દુઃખની ઘડીમાં પણ માનવતાને સર્વોચ્ચ સ્થાન આપીને તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો છે. પરિવારના આ સંવેદનશીલ નિર્ણયને કારણે રોહિતસિંહના લીવર, બંને કિડની અને પેનક્રિયાઝ સહિત કુલ ચાર અંગો ચાર જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપશે. Ahmedabad સિવિલ હોસ્પિટલ ખાતે થયેલું આ અંગદાન સેવાયાત્રાનું 254મું અંગદાન છે. એક તરફ પરિવાર માટે આ ઘટના પોતાના સ્વજનને ગુમાવવાનું અસહ્ય દુઃખ લઈને આવી હતી, તો બીજી તરફ તેમના નિર્ણયે અન્ય ચાર પરિવારોમાં નવી આશા જગાવી…