Vadodaraમાં શિક્ષક દિનની ભવ્ય ઉજવણી: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શિક્ષકો, આચાર્યો અને નિવૃત્ત કર્મચારીઓનું સન્માન
Vadodara: 5 સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન. આ દિવસને શિક્ષકોના યોગદાન અને રાષ્ટ્રનિર્માણમાં તેમની ભૂમિકાને વંદન કરવાનો દિવસ માનવામાં આવે છે. ત્યારે Vadodara નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શિક્ષક દિન નિમિત્તે **“શિક્ષક સન્માન સમારોહ”**નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આજવા રોડ સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા શિક્ષકો, આચાર્યો, શાળાઓ તથા નિવૃત્ત કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ, સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ડૉ. મનીષાબેન વકીલ, Vadodara લોકસભા મતવિસ્તારના સાંસદ ડૉ. હેમાંગભાઈ જોશી, Vadodara મહાનગરપાલિકાના મેયર ગીતાબેન મકવાણા, પૂર્વ રજિસ્ટ્રાર અને શિક્ષણવિદ્ ડૉ. જયપ્રકાશભાઈ સોની સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત માંજલપુરના ધારાસભ્ય સતિષભાઈ પટેલ, ડેપ્યુટી મેયર આદિત્યભાઈ પટેલ, સ્થાયી સમિતિના અધ્યક્ષ વર્ષાબેન વ્યાસ, શાસક પક્ષના નેતા શ્વેતાબેન માછી, દંડક વિજયભાઈ ચૌહાણ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અંજનાબેન ઠક્કર, શાસનાધિકારી ડૉ. વિપુલભાઈ ભરતિયા સહિત શિક્ષણ ક્ષેત્રના આગેવાનો અને અન્ય મહાનુભાવો પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
-> દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો પ્રારંભ : કાર્યક્રમનો પ્રારંભ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અંજનાબેન ઠક્કરે સ્વાગત પ્રવચન આપી ઉપસ્થિત મહાનુભાવો, શિક્ષકો અને કર્મચારીઓનું સ્વાગત કર્યું હતું. મહાનુભાવોને શાલ અને મોમેન્ટો અર્પણ કરી ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વહીવટી કામગીરીમાં સરળતા, ઝડપ અને પારદર્શિતા લાવવાના હેતુથી તૈયાર કરવામાં આવેલી **“નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એપ”**નું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ એપના માધ્યમથી શિક્ષણ સમિતિની વિવિધ વહીવટી પ્રક્રિયાઓને વધુ સુવ્યવસ્થિત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
Vadodara મુખ્ય અતિથિ ડૉ. મનીષાબેન વકીલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે શિક્ષકનું સન્માન એટલે સમાજ અને રાષ્ટ્રના ઉત્તમ નિર્માણમાં યોગદાન આપનાર વ્યક્તિનું સન્માન. તેમણે **“Once a Teacher, Always a Teacher”**નો સંદેશ આપીને શિક્ષકોની સમાજમાં રહેલી કાયમી ભૂમિકા પર ભાર મૂક્યો હતો.તેમણે ટેક્નોલોજીના યુગમાં શિક્ષણ સાથે પુસ્તકોનું મહત્વ પણ જાળવી રાખવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. તેમના જણાવ્યા મુજબ શિક્ષકનું સાચું કાર્ય માત્ર ભણાવવાનું નથી, પરંતુ બાળકમાં રહેલી પ્રતિભા અને શ્રેષ્ઠતાને ઓળખીને તેને બહાર લાવવાનું છે.
-> Vadodara શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે સંવાદનું મહત્વ : સાંસદ ડૉ. હેમાંગભાઈ જોશીએ “શિક્ષક ગૌરવ દિવસ અને રાષ્ટ્રનિર્માણમાં શિક્ષકોની ભૂમિકા” વિષય પર પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું. તેમણે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના સંવાદને અર્જુન અને શ્રીકૃષ્ણના સંવાદ સાથે સરખાવ્યો હતો.તેમણે જણાવ્યું હતું કે શિક્ષક જો બાળકની શક્તિ, ક્ષમતા અને દિશાને યોગ્ય રીતે ઓળખે તો બાળકના જીવનમાં મોટું પરિવર્તન લાવી શકાય છે. શિક્ષક માત્ર વિષયનું જ્ઞાન આપનાર નથી, પરંતુ વિદ્યાર્થીના વ્યક્તિત્વ અને ભવિષ્યનું ઘડતર કરનાર માર્ગદર્શક છે.

સમારોહ દરમિયાન ચોથા વર્ગના નિવૃત્ત કર્મચારીઓ, નિવૃત્ત શિક્ષકો અને નિવૃત્ત બાલવાડી શિક્ષકોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. નિવૃત્ત શિક્ષક કિરીટભાઈ વાઘેલાએ નિવૃત્ત કર્મચારીઓ અને શિક્ષકોને સન્માન આપવા બદલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો આભાર માન્યો હતો અને સમિતિની ઝડપી કામગીરીની પ્રશંસા કરી હતી.ડૉ. જયપ્રકાશભાઈ સોનીએ જણાવ્યું હતું કે શિક્ષકની સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા બાળકમાં રહેલી શ્રેષ્ઠતાને બહાર લાવવાની છે. તેમણે શિક્ષકને રાષ્ટ્રનિર્માણની પ્રક્રિયાનો મહત્વપૂર્ણ આધાર ગણાવતા કહ્યું હતું કે સારા નાગરિકો તૈયાર કરવાની જવાબદારી શિક્ષકના ખભા પર છે. તેમણે મોબાઈલ અને ટેક્નોલોજીનો યોગ્ય દિશામાં ઉપયોગ કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
-> શ્રેષ્ઠ શાળા, આચાર્ય અને શિક્ષકોનું સન્માન :
- શ્રેષ્ઠ શાળા: સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા, બપોર – રૂ. 25,000
- શ્રેષ્ઠ આચાર્ય: હરેશભાઈ રાઠોડ, પૂજ્ય ડોંગરેજી પ્રાથમિક શાળા – રૂ. 15,000
- શ્રેષ્ઠ શિક્ષક: અમીતાબેન પટેલ, કવિ દુલાકા પ્રાથમિક શાળા – રૂ. 11,000
- શ્રેષ્ઠ બાલવાડી: માણેકરાવ બાલવાડી, સયાજીપુરા – રૂ. 9,000
આ ઉપરાંત સૌથી વધુ વિદ્યાર્થી હાજરી ધરાવતી મહારાણી શાંતાદેવી પ્રાથમિક શાળાનું પણ સન્માન કરાયું હતું. સૌથી વધુ હાજરી ધરાવતા શિક્ષકો તરીકે પ્રીતિબેન પરમાર, પિંકીબેન પટેલ, બાળકૃષ્ણ પંડયા, દિપક આચાર્ય અને વનરાજસિંહ પરમારનું સન્માન કરવામાં આવ્યું હતું.શ્રેષ્ઠ CRC કો-ઓર્ડિનેટર ભાર્ગવભાઈ પંડયા, શ્રેષ્ઠ સ્પેશિયલ એજ્યુકેટર નિતાબેન ગાંધી અને શ્રેષ્ઠ બાળમિત્ર નુસરત મલેકને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વિશિષ્ટ સન્માનોમાં Indian Overseas Bank દ્વારા વિશેષ હેમ્પર અર્પણ કરવામાં આવ્યા હતા.
-> સરકારી શાળાઓમાં વધતી વિદ્યાર્થી સંખ્યા આનંદની વાત :Vadodara મહાનગરપાલિકાના મેયર ગીતાબેન મકવાણાએ શિક્ષકોને વંદન કરતાં જણાવ્યું હતું કે માતા-પિતા બાદ સમાજમાં શિક્ષકનું સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે બાળકોને શાળાએ આવવું ગમે અને ભણવું ગમે તેવું આનંદદાયક વાતાવરણ ઊભું કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે તે આનંદની બાબત હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.શાસનાધિકારી ડૉ. વિપુલભાઈ ભરતિયાએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વિવિધ સિદ્ધિઓ અને કામગીરીની માહિતી રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વહીવટી પ્રક્રિયાને સરળ બનાવવા માટે એપ તૈયાર કરવામાં આવી છે. CSRના માધ્યમથી શાળાઓમાં ભૌતિક સુવિધાઓ વધારવા ઉપરાંત પ્રતિભા સ્ટુડિયોને પણ સારો પ્રતિસાદ મળ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિક્ષણક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકો અને શિક્ષણકર્મીઓનું ગૌરવ વધારવામાં આવ્યું હતું. **“શિક્ષક એટલે રાષ્ટ્રના ભાવિનું ઘડતર કરનાર શિલ્પી”**ની ભાવનાને ઉજાગર કરતા આ સમારોહમાં શિક્ષકોના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું.અંતે કેળવણી નિરીક્ષક (વહીવટ) ધવલભાઈ પટેલે ઉપસ્થિત સૌ મહાનુભાવો, શિક્ષકો અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
- us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAFollow GRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276






Comments are closed.