સરકારી કાર્યક્રમોમાં ‘વંદે માતરમ’ ગાવું અને વગાડવું ફરજીયાત, નવો પ્રોટોકોલ જાહેર
વંદે માતરમની રચનાની ૧૫૦મી વર્ષગાંઠને નિમિત્તે કેન્દ્ર સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ નવી ગાઇડલાઇન મુજબ, વંદે માતરમના છ શ્લોકનું ગાન અથવા વગાડવું હવે તમામ ખાસ સરકારી કાર્યક્રમોમાં ફરજીયાત રહેશે. સત્તાવાર સંસ્કરણના ગાનનો સમયગાળો ૩ મિનિટ ૧૦ સેકન્ડનો રહેશે. કયા પ્રસંગો પર ફરજીયાત રહેશે? – રાષ્ટ્રપતિ અને રાજયપાલ/લેફટનન્ટ ગવર્નરના આગમન અને પ્રસ્થાન – નાગરિક શપથ સમારોહ અને પદ્મ પુરસ્કાર જેવા નાગરિક સન્માન સમારોહ – રાષ્ટ્રને સંબોધન પહેલા અને પછી – ત્રિરંગા લહેરાવતી પરેડ દરમિયાન જો વંદે માતરમ અને રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ બંને રજૂ કરવામાં આવે, તો પહેલા ‘વંદે માતરમ’ અને ત્યારબાદ ‘જન ગણ મન’ વગાડવામાં આવશે. આ દરમિયાન ઉપસ્થિત દરેક વ્યક્તિએ ધ્યાને ઊભા રહેવું ફરજીયાત રહેશે. જો કે સિનેમા હોલ અથવા દસ્તાવેજી/ન્યુઝરીલના પ્રસારણ દરમિયાન…







