IAF લશ્કરી કવાયત: 3-6 ડિસેમ્બર દરમિયાન પાકિસ્તાન સરહદ નજીક એરસ્પેસ રિઝર્વ, NOTAM જારી
ભારતીય વાયુસેનાએ (IAF) 3 ડિસેમ્બરથી 6 ડિસેમ્બર, 2025 સુધી પાકિસ્તાન સરહદ નજીક દક્ષિણ ક્ષેત્રમાં એક મોટી લશ્કરી કવાયત માટે એરસ્પેસ રિઝર્વ કરવાની જાહેરાત કરી છે. આ માટે નોટમ (NOTAM) જારી કરવામાં આવ્યું છે, જે પાઇલટ્સ, એર ટ્રાફિક કંટ્રોલર્સ અને એરક્રાફ્ટ ઓપરેટર્સ માટે સત્તાવાર સૂચના છે. કવાયતનું વિસ્તાર અને અસર NOTAM અનુસાર, આ એરસ્પેસ રિઝર્વેશન રાજસ્થાનના જોધપુર અને બાડમેર જિલ્લામાં લાગુ પડશે, જે પાકિસ્તાનના રહીમ યાર ખાન અને કરાચી હવાઈ ટ્રાફિક રૂટની નજીક છે. આ પ્રક્રિયા દરમિયાન કરાચી અને રહીમ યાર ખાન હવાઈ રૂટ પર ફ્લાઇટ્સને અસર થઈ શકે છે. કવાયતનો હેતુ આ લશ્કરી કવાયત દરમિયાન ભારતીય વાયુસેનાના ફાઇટર એરક્રાફ્ટ અને સર્વેલન્સ પ્લેટફોર્મ સક્રિય રહેશે. અધિકારીઓએ જણાવ્યું છે કે, આ કવાયત પ્રાદેશિક સુરક્ષા, ઓપરેશનલ તૈયારી અને કૌશલ્ય…
બંગાળની ખાડીમાં મિસાઇલ પરીક્ષણ થવાની શક્યતા ! ભારતે 6-8 ડિસેમ્બર વચ્ચે જારી કર્યું NOTAM
ભારત 6-8 ડિસેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં મિસાઇલ પરીક્ષણની તૈયારી કરી રહ્યું છે. સંભવિત મિસાઇલ પરીક્ષણને કારણે નોટામ જારી કરવામાં આવ્યું છે, જેનાથી 1,400 કિલોમીટરથી વધુનો નો-ફ્લાય ઝોન સ્થાપિત થયો છે. આ પરીક્ષણ 1,400 કિલોમીટરથી વધુની રેન્જ સુધી પહોંચી શકે છે, જે શક્તિશાળી અને લાંબા અંતરની મિસાઇલની શક્યતા દર્શાવે છે. અગાઉ, ભારતે 15 થી 17 ઓક્ટોબર, 2025 દરમિયાન બંગાળની ખાડીમાં મિસાઇલ પરીક્ષણ અંગે એક નોટામ જારી કર્યું હતું. આ સમયગાળા દરમિયાન, આશરે 1,480 કિલોમીટરના વિસ્તારને નો-ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. ભારતીય સેના સતત તેની લશ્કરી ક્ષમતાઓમાં વધારો કરી રહી છે, અને આ મિસાઇલ પરીક્ષણોને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભારતે 24 અને 25 સપ્ટેમ્બરના રોજ બંગાળની ખાડીમાં મિસાઇલ પરીક્ષણો પણ કર્યા હતા. આ પરીક્ષણો અબ્દુલ…
India v/s Pakistan: તણાવ વચ્ચે મોટાભાગની હવાઈ સેવાઓ સામાન્ય, 15 મે સુધી 32 એરપોર્ટ બંધ
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવના પગલે દેશના 32 એરપોર્ટ પર હવાઈ સેવાઓ અસ્થાયી રીતે બંધ કરવાનું નિર્ણય લેવામાં આવ્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) દ્વારા NOTAM (Notice to Airmen) જારી કરી 15 મેના રોજ સવારે 5:29 વાગ્યા સુધી આ પ્રતિબંધ લાગુ રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે અનેક એરપોર્ટ પર કામગીરી બંધ કરવામાં આવી છે, ત્યારે અન્ય મહત્વના એરપોર્ટ, જેમ કે દિલ્હી અને મુંબઈ, પર હાલ પ્રક્રિયાઓ સામાન્ય છે. જોકે, કડક સુરક્ષા વ્યવસ્થાઓને કારણે કેટલીક ફ્લાઇટ્સના સમયપત્રકમાં ફેરફાર આવવાની સંભાવના છે. કયા એરપોર્ટ બંધ છે? આ પ્રતિબંધ હેઠળ ઉત્તર અને પશ્ચિમ ભારતના કુલ 32 એરપોર્ટ આવે છે, જેમાં ખાસ કરીને સરહદી અને સંવેદનશીલ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. આ એરપોર્ટમાં…









