Navsariમાં દેશના પ્રથમ AI આધારિત ‘નમો કમલમ’ કાર્યાલયનું લોકાર્પણ, PM મોદીએ કહ્યું- જનશક્તિથી આવતું પરિવર્તન સ્થાયી હોય છે Vibrant Progress 2026

Navsariમાં દેશના પ્રથમ AI આધારિત ‘નમો કમલમ’ કાર્યાલયનું લોકાર્પણ, PM મોદીએ કહ્યું- જનશક્તિથી આવતું પરિવર્તન સ્થાયી હોય છે Navsari, 8 સપ્ટેમ્બર 2026: Navsari ખાતે આજે વિકાસ અને સંગઠનના ક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નવસારી હાઇવે પર ગ્રીડ નજીક દેશના પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત અત્યાધુનિક ‘નમો કમલમ’ ભાજપા કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. લોકાર્પણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘નમો કમલમ’ પરિસરના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. જેમાં મુખ્ય કાર્યાલય, મીડિયા વિભાગ, કોલ સેન્ટર, લાઇબ્રેરી, સાંસદ અને ધારાસભ્યોની કેબિન તેમજ પંડિત દિનદયાળ મીટિંગ હોલ, શ્યામાપ્રસાદ…