દિલ્હીના મુસ્તફાબાદમાં ચાર માળની ઇમારત ધરાશાયી, 6 લોકોના મોત…. જુઓ દુર્ઘટનાના CCTV
દિલ્હીના મુસ્તફાબાદ વિસ્તારમાં એક મોટી દુર્ઘટના બની હતી જ્યારે એક ચાર માળની ઇમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે લગભગ 28 લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે. આ ઇમારતમાં ઘણા પરિવારો રહેતા હતા, તેથી મૃતકો અને ઘાયલોની સંખ્યા વધવાની આશંકા છે. બચાવ કામગીરી શરૂ ફાયર વિભાગના અધિકારી રાજેન્દ્ર અટવાલે માહિતી આપી હતી કે તેમને બપોરે લગભગ 2:50 વાગ્યે અકસ્માતની માહિતી મળી હતી. સ્થળ પર પહોંચતા જાણવા મળ્યું કે આખી ઇમારત પત્તાની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. NDRF અને દિલ્હી ફાયર સર્વિસની ટીમો છેલ્લા 6 કલાકથી સતત બચાવ કામગીરી ચલાવી રહી છે. અત્યાર સુધીમાં કાટમાળમાંથી 10 લોકોને બચાવવામાં આવ્યા છે, જેમાંથી 6 લોકોના મોત થયા છે. અકસ્માતની…







