કાંદિવલી–બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇન માટે 30 દિવસનો મેજર બ્લોક, ગુજરાત–મુંબઈ ટ્રેનો પ્રભાવિત

મુંબઈ ઉપનગરીય રેલ વ્યવહારને વધુ સુઘડ અને ક્ષમતાવાળો બનાવવા માટે પશ્ચિમ રેલવે દ્વારા કાંદિવલી અને બોરીવલી સ્ટેશનો વચ્ચે છઠ્ઠી રેલવે લાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ કામને ઝડપથી પૂર્ણ કરવા માટે 20 ડિસેમ્બર, 2025થી 18 જાન્યુઆરી, 2026 સુધી કુલ 30 દિવસનો મેજર બ્લોક જાહેર કરવામાં આવ્યો છે. આ લાંબા ગાળાના બ્લોકને કારણે ગુજરાત અને મુંબઈ વચ્ચે દોડતી અનેક એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનોના રૂટ, સમય અને ટર્મિનેશનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. રેલવે પ્રશાસને મુસાફરોને આગોતરી આયોજન કરવાની અપીલ કરી છે. અમદાવાદ–બોરીવલી એક્સપ્રેસ વસઈ રોડ સુધી જ દોડશે મેજર બ્લોકના કારણે કેટલીક ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ અને શોર્ટ ઓરિજિનેટ કરવામાં આવી છે. – ટ્રેન નંબર 19418 (અમદાવાદ–બોરીવલી એક્સપ્રેસ) 10 જાન્યુઆરી, 2026ના રોજ આ ટ્રેન બોરીવલી સુધી…

મુંબઈ: રેલવે કર્મચારીઓની હડતાળ વચ્ચે અકસ્માત, 4 મુસાફરો આવ્યા ટ્રેન અડફેટે; 2નાં મોત

ગુરુવારે સાંજે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) રેલવે સ્ટેશન પર રેલવે કર્મચારીઓની હડતાળ દરમિયાન એક ગંભીર અકસ્માત બન્યો હતો. લોકલ ટ્રેન સેવા બંધ હોવાને કારણે ટ્રેક પર ચાલતા ચાર મુસાફરોને એક ટ્રેન ટક્કર મારી હતી. આ દુર્ઘટના સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશનની નજીક બની. અહેવાલો અનુસાર, રેલવે કર્મચારીઓએ ગુરુવારે સાંજે 5:50 થી 6:45 વાગ્યા સુધી CSMT પર કામ બંધ કરી હડતાળ કરી હતી. હડતાળનો ઉદ્દેશ મુંબ્રા અકસ્માતમાં નોંધાયેલી FIR અને અન્ય વ્યાવસાયિક મુદ્દાઓને લઈને હતો. કાર્યરત લોકલ ટ્રેન સેવાઓ લગભગ એક કલાક માટે બંધ રહી, જેના કારણે હજારો મુસાફરો સ્ટેશન પર અટવાયા. હડતાળ અને ટ્રેન બંધના કારણે કેટલાક મુસાફરો ટ્રેક પર ચાલવા લાગ્યા હતા, અને તે સમયે સેન્ડહર્સ્ટ રોડ નજીક ટ્રેન તેમના પર વળી. દુર્ઘટનામાં ચારમાંથી બે મુસાફરોનું…