જૂનાગઢ: મહાશિવરાત્રી મેળાનો ચોથો દિવસ, ભવનાથમાં 4 લાખથી વધુ ભક્તોની ભીડ
જૂનાગઢ ખાતે ચાલી રહેલા મહાશિવરાત્રીના ભવ્ય મેળાનો આજે ચોથો દિવસ છે. ભવનાથ મંદિર ખાતે અત્યાર સુધીમાં 4 લાખથી વધુ ભક્તોએ દર્શન કરી પુણ્યનો લાભ લીધો છે. ‘મિની કુંભ’ તરીકે ઓળખાતા આ મેળામાં જીવ અને શિવના મિલનનો અનોખો આધ્યાત્મિક માહોલ જોવા મળી રહ્યો છે. ભવનાથ મહાદેવના મંદિરમાં અવિરત ભક્તોનો ધસારો યથાવત છે. ગર્ભગૃહમાં બિલીપત્રથી વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી ભક્તો દર્શનાર્થે ઉમટી રહ્યા છે. તંત્ર દ્વારા સુરક્ષા અને સુવિધાની સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે. 1,000 બસોનું સંચાલન: યાત્રિકો માટે વિશેષ આયોજન મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે યોજાયેલા આ વિશાળ મેળામાં લાખો શ્રદ્ધાળુઓની સલામત અને સુલભ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે Gujarat State Road Transport Corporation (એસ.ટી. નિગમ) દ્વારા…
જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો ભવ્ય પ્રારંભ: ભવનાથમાં ભક્તોની ભીડ, 10થી 12 લાખ લોકો માટે વિશાળ આયોજન
જૂનાગઢમાં પ્રખ્યાત ભવનાથ મહાદેવ ખાતે મહાશિવરાત્રી મેળાનો આજથી ભવ્ય પ્રારંભ થયો છે. મેળાની પૂર્વ સંધ્યાએ જ હજારો શ્રદ્ધાળુઓ ભવનાથ ખાતે ઉમટી પડ્યા હતા. ગિરનાર દરવાજાથી ભવનાથ મહાદેવ મંદિર સુધી શિવભક્તોની લાંબી કતારો જોવા મળી હતી અને “બોલ બમ”ના જયઘોષ સાથે સમગ્ર વિસ્તાર ભક્તિમય બન્યો હતો. 10થી 12 લાખ લોકો માટે આયોજન આ વર્ષે મેળામાં અંદાજે 10થી 12 લાખ શ્રદ્ધાળુઓ ભાગ લેશે તેવા અંદાજ સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. કલેક્ટર અને એસપી સહિતના અધિકારીઓએ વ્યવસ્થાઓની સમીક્ષા કરીને સુરક્ષા અને સુવિધાઓ અંગે ખાસ માર્ગદર્શન આપ્યું છે. ટ્રાફિક માટે ખાસ વ્યવસ્થા મેળાની શરૂઆત સાથે જ શહેરમાં ભારે વાહનવ્યવહાર નોંધાયો હતો. બે કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગતા પોલીસ દ્વારા ટ્રાફિક મેનેજમેન્ટ સઘન બનાવવામાં આવ્યું હતું.…
ગિરનારની ગોદમાં મહાશિવરાત્રીનો મેળો મીની કુંભ તરીકે ઉજવવા તૈયારીઓ શરુ
સમસ્ત વિશ્વમાં પ્રખ્યાત ગિરનારના તળેટી વિસ્તારમાં આગામી તા. 11 ફેબ્રુઆરીથી પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળો યોજાનાર છે. તેનું આયોજન મીની કુંભ તરીકે કરવામાં આવશે. તે માટે ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મોડી રાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં જિલ્લાક્ષમીઓ, સાધુ-સંતો અને પદાધિકારીઓ હાજર રહ્યા. તડામાર તૈયારીઓ શરૂ જૂનાગઢ વહીવટી તંત્ર છેલ્લા દિવસોથી મેળાને ભવ્ય રીતે ઉજવવા માટે તડામાર તૈયારી શરૂ કરી છે. ભવનાથ મંદિર અને આસપાસના વિસ્તારોમાં દબાણ દૂર કરવા, પાર્કિંગ ઉપલબ્ધ કરાવવું અને રવેડી રૂટનું આયોજન કરવું તે મુખ્ય કાર્યો છે. જિલ્લામાં જિલ્લા કલેકટર અનીલકુમાર રાણાવસીયાએ સાધુ-સંતો સાથે પણ બેઠક કરી તૈયારીઓને ઝડપ આપી હતી. મીની કુંભ તરીકે આયોજન મીની કુંભ તરીકે આ વર્ષના મહાશિવરાત્રી મેળામાં કલેકટર, કમિશ્નર, ધારાસભ્ય, શહેર ભાજપ પ્રમુખ અને મહાદેવગીરી બાપુ,…









