ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના આખા પરિવારનો થયો ખાતમો, જાણો શું કહ્યું આતંકીએ
પાકિસ્તાનના બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના મુખ્ય ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરવામાં આવી છે. જેમાં મસૂદ અઝહરના સમગ્ર પરિવારના 10 સભ્યો માર્યા ગયા હોવાના અહેવાલો છે, જેમાં તેની પત્ની, પુત્ર અને મોટી બહેનનો સમાવેશ થાય છે. ટીવી રિપોર્ટ્સ અનુસાર, આ હુમલામાં મસૂદની મોટી બહેન, સાળી અને ચાર નજીકના સાથીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. માર્યા ગયેલાઓમાં મૌલાના કાશિફ, તેમનો પરિવાર, મૌલાના અબ્દુલ રઉફની મોટી પુત્રી, પૌત્ર અને ચાર બાળકોનો સમાવેશ થાય છે. આ હુમલામાં પોતાના પરિવારના વિનાશ બાદ મસૂદ અઝહર ખૂબ જ નારાજ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમણે કહ્યું, “જો હું પણ મરી ગયો હોત તો સારું થાત.” સૂત્રો કહે છે કે જ્યારે ભારતે આતંકવાદી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી છે. હુમલો કર્યો ત્યારે આ બધા લોકો મરકઝ પરિસરમાં…







