CM ભૂપેન્દ્ર પટેલે ‘ગાંધીનગર પતંગ મહોત્સવ – 2026’નો કરાવ્યો પ્રારંભ, વિદેશી નાગરિકો પણ રહ્યા ઉપસ્થિત
ઉમંગ અને ઉલ્લાસના ઉતરાયણ પર્વ અવસરે ગાંધીનગરમાં સેન્ટ્રલ વિસ્ટા ખાતે સહાય ફાઉન્ડેશન દ્વારા આયોજિત પતંગ મહોત્સવ-૨૦૨૬નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાનદાર પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નગરજનો સાથે પતંગ ઉડ્ડયન ના આનંદ માં સહભાગી થયા હતા અને ઉતરાયણ પર્વ ની શુભેચ્છાઓ પાઠવી હતી.તેમણે મુક્ત આકાશમાં પતંગ ઉડાવીને નગરજનોને મમરાનાં લાડુ અને ચિક્કીનું વિતરણ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સૌ નાગરિકોને ઉતરાયણ ની શુભેચ્છાઓ આપતા જણાવ્યું કે, પતંગ ઉડ્ડયનના પર્વમાં લોકો પોતાના પતંગને જેમ આકાશમાં ઉડાડે છે, તેમ જ સૌ નાગરિકોના જીવનમાં આ પર્વ ઉન્નતિની સાથે સુખ, શાંતિ અને સમૃદ્ધિ ની પણ નવી ઉંચાઈઓ પ્રાપ્ત કરાવનારું ઉમંગ પર્વ બને. વિદેશી નાગરિકો પણ રહ્યા ઉપસ્થિત મુખ્યમંત્રીએ આ ‘ગાંધીનગર પતંગોત્સવ’ના બલૂનને આકાશમાં ઉડાડીને પતંગ મહોત્સવ-2026ની ઉજવણી કરાવી હતી.…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં મકરસંક્રાંતિ પર્વની ઉજવણીમાં સહભાગી થયા, સાંસદ અને ધારાસભ્યો પણ જોડાયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મકરસંક્રાંતિના પર્વની ઉજવણી અમદાવાદના ઐતિહાસિક દરિયાપુર વિસ્તારના વાડીગામ ખાતે સ્થાનિક રહીશો સાથે કરી હતી. મુખ્યમંત્રીએ આ અવસરે રાજ્યના તમામ નાગરિકોને મકરસંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવતા સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરી હતી. જેમ પતંગ આકાશની ઊંચાઈઓને આંબે છે, તેમ ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ સર કરે તેવી ભાવના સાથે મુખ્યમંત્રીએ વાડીગામની મૂળજી પારેખની પોળમાં પતંગ ચગાવીને પર્વનો આનંદ માણ્યો હતો. મુખ્યમંત્રીને પોતાની વચ્ચે જોઈ સ્થાનિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સાંસદ અને ધારાસભ્યો પણ જોડાયા પોળના રહીશોએ પોતપોતાના ધાબા પરથી હર્ષનાદ અને અભિવાદન સાથે મુખ્યમંત્રીનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીએ અભિવાદન ઝીલીને સૌનો ઉત્સાહ વધાર્યો હતો.આ ઉજવણીમાં મુખ્યમંત્રીની સાથે અમદાવાદના સાંસદ દિનેશભાઈ મકવાણા, દરિયાપુરના ધારાસભ્ય કૌશિકભાઈ જૈન, સ્થાનિક કાઉન્સિલરઓ તેમજ રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી…
મકરસંક્રાંતિ પર્વની ઉજવણી | GROUND REPORT | GUJARATI NEWS BULETIN
સુરતના ચૌટા બજારમાં આસ્થા અને સ્વાદનો સંગમ ઉતરાયણના પર્વે દુકાનો પર લાગી લાંબી કતારો સુરતીવાસીઓમાં ભારે ઉત્સાહ, ઊંધિયા માટે વહેલી સવારથી પડાપડી સુરતના ચૌટા બજારમાં જામી અસલી ઉતરાયણની રોનક સ્વાદના શોખીનોનો ઊંધિયું-જલેબીની દુકાનોમાં જમાવડો ઉતરાયણ પર્વે ગૌશાળામાં ભક્તિ અને સેવાનો મેળાવડો ગૌમાતાની સેવા સાથે ઉતરાયણની ઉજવણી ઉતરાયણ પર્વે માટે મેડિકલ કેમ્પની સુવિધા ગૌશાળામાં ભક્તો દ્વારા દાન અને સેવા કાર્ય ગોંડલમાં કોળી સમાજનાં ઈષ્ટદેવના પ્રાગટય દિવસની ઉજવણી શ્રી માંધાતા દેવનાં પ્રાગટય દિવસની ભવ્ય ઉજવણી શોભાયાત્રા અને જ્ઞાતિ ભોજન સમારોહનું ભવ્ય આયોજન રાજ્યકક્ષાનાં મંત્રી પરસોતમ સોલંકીની ઉપસ્થિતિ કેબિનેટ મંત્રી કુવરજી બાવળીય પણ ખાસ હાજર કોળી સમાજનાં અનેક આગેવાનો કાર્યક્રમમાં હાજર શહેર તથા તાલુકાના તમામ ઘર દ્વારા પ્રસાદનું આયોજન ઘર દીઠ સવા મુઠી ખીચડી એકત્ર કરી મહાપ્રસાદ…
મકર સંક્રાંતિ 2026: દાન-સ્નાન માટે કેટલા વાગ્યે છે શુભ મુહૂર્ત? જાણો પૂજાની વિધિ
હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિનું વિશેષ મહત્વ છે. આ વર્ષે મકર સંક્રાંતિ વધુ પુણ્યપ્રદ માનવામાં આવી રહી છે, કારણ કે અનેક વર્ષો બાદ ષટતિલા એકાદશી અને મકર સંક્રાંતિનો શુભ સંયોગ રચાઈ રહ્યો છે. સાથે જ સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ પણ આ દિવસની ધાર્મિક મહત્તા વધારી રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ સંયોગમાં કરેલું સ્નાન અને દાન અનેક ગણું ફળ આપે છે. મકર સંક્રાંતિનું ધાર્મિક મહત્વ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે – “ઉત્તરાયણં દેવયાનં, દક્ષિણાયનં પિતૃયાનમ્”. મકર સંક્રાંતિ અયન સંક્રાંતિ હોવાથી તેને અન્ય સંક્રાંતિઓ કરતાં વિશેષ માનવામાં આવે છે. સામાન્ય સંક્રાંતિમાં આઠ ઘડી પહેલાં અને પછીનો સમય પુણ્યકાળ ગણાય છે, પરંતુ મકર સંક્રાંતિમાં 40 ઘડી પહેલાંથી જ પુણ્યકાળ શરૂ થાય છે, તેથી પ્રાતઃકાળથી સ્નાન-દાન કરવું શાસ્ત્રસંમતિ…










