સોનમ વાંગચુકની જેલમુક્તિ મુદ્દે સુપ્રીમ કોર્ટની સરકારને ટકોર: “તબિયત સારી નથી, અટકાયત પર પુનર્વિચાર કરો”
લદ્દાખને રાજ્યનો દરજ્જો અપાવવાની માંગ સાથે આંદોલન ચલાવતા જાણીતા પર્યાવરણવાદી અને શિક્ષણવિદ સોનમ વાંગચુકની અટકાયત મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે સ્પષ્ટ જવાબ માંગ્યો છે. જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ પી.બી. વરાલેની બેન્ચે વાંગચુકના સ્વાસ્થ્ય પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે નોંધ્યું હતું કે વાંગચુકના હેલ્થ રિપોર્ટ ચિંતાજનક છે અને તેમની વધતી ઉંમર તથા તબિયતને ધ્યાનમાં રાખીને માનવીય અભિગમ અપનાવી અટકાયતના આદેશ પર પુનર્વિચાર કરવો જોઈએ તેવી મૌખિક ટિપ્પણી કરી હતી. કેન્દ્ર સરકારનો ગંભીર આરોપ: ‘આરબ સ્પ્રિંગ’ જેવી ક્રાંતિની કોશિશ સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર વતી હાજર એડિશનલ સોલિસિટર જનરલે વાંગચુકની મુક્તિનો કડક વિરોધ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે વાંગચુકે લેહમાં લોકોને ઉશ્કેર્યા હતા, જેના પરિણામે થયેલી હિંસામાં ચાર લોકોના મોત થયા હતા. કેન્દ્ર…
લદાખમાં હિંસા બાદ સરકારની કડક કાર્યવાહી, કેન્દ્રિય ગૃહ મંત્રાલય કરશે પ્રતિનિધિમંડળ સાથે બેઠક
લદાખમાં રાજ્યનો દરજ્જો આપવામાં અને બંધારણીની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવા માટે ચાલી રહેલા આંદોલન વચ્ચે મંગળવારે ભારે હિંસા ફાટી ઉઠી, જેમાં ચાર લોકોના મોત થયા અને 70થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ હિંસક ઘટનાઓ બાદ સરકારએ તાત્કાલિક કડક પગલાં ભર્યા છે. લેહના જિલ્લા મેજિસ્ટ્રેટ રોમિલ સિંહ ડોંકે તાત્કાલિક અસરથી પાંચ કે તેથી વધુ લોકોના એકઠા થવા, રેલી અને વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ લાગુ કર્યો છે. આ પ્રતિબંધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 163 હેઠળ જારી કરવામાં આવ્યો છે અને ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વિરોધ દરમિયાન કેટલાક યુવાનો દ્વારા પથ્થરમારો અને BJP કાર્યાલયમાં આગ લગાવવાની ઘટના બની હતી. પોલીસએ ટીયર ગેસ અને લાઠીચાર્જનો ઉપયોગ કરી ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો છે. પરિસ્થિતિને નિયંત્રિત કરવા…








