Keshodના ગંગનાથ મહાદેવ મંદિરે શ્રાવણના છેલ્લા સોમવારે ભક્તોની ભારે ભીડ, Spiritual Fervor 2026

Keshodના ગંગનાથ મહાદેવ મંદિરે શ્રાવણના છેલ્લા સોમવારે ભક્તોની ભારે ભીડ, એકસો જેટલી બરફની પાટથી અમરનાથ મહાદેવના અલૌકિક દર્શન Keshod: શ્રાવણ માસના છેલ્લા સોમવાર નિમિત્તે Keshod શહેરના ગંગનાથ મહાદેવ મંદિરે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણના પવિત્ર માસમાં ભગવાન શિવની આરાધના માટે ભક્તોમાં વિશેષ આસ્થા જોવા મળતી હોય છે ત્યારે શ્રાવણના અંતિમ સોમવારે ગંગનાથ મહાદેવ મંદિર ખાતે પણ ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. મંદિર ખાતે યોજાયેલા વિશેષ આયોજનમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ખાસ કરીને આશરે એકસો જેટલી બરફની પાટમાંથી તૈયાર કરવામાં આવેલી અમરનાથ મહાદેવની પ્રતિકૃતિ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની હતી. બરફથી તૈયાર કરાયેલા અમરનાથ મહાદેવના અલૌકિક સ્વરૂપના દર્શન કરવા માટે Keshod શહેર ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિર પરિસરમાં…