JKના કિશ્તવાડમાં બે આતંકવાદીઓ ઠાર; સુરક્ષા દળોએ સંયુક્ત કાર્યવાહીમાં બે AK-47 કરી જપ્ત
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા. અધિકારીઓએ જણાવ્યું કે રવિવારે એક દૂરના વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ. અથડામણ પછી સર્ચ ઓપરેશન દરમિયાન, સૈનિકોએ બે આતંકવાદીઓના મૃતદેહ શોધી કાઢ્યા. તેમની પાસેથી બે AK-47 રાઈફલ પણ મળી આવી. આર્મી યુનિટ વ્હાઇટ નાઈટ કોર્પ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે કિશ્તવાડ જિલ્લામાં બે આતંકવાદીઓ માર્યા ગયા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા બે પાકિસ્તાની આતંકવાદીઓની હાજરી અંગે માહિતી મળી હતી. ત્યારબાદ, સેના, પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ની સંયુક્ત ટીમોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું અને સવારે 10:30 વાગ્યાની આસપાસ ચત્રુ બેલ્ટના પાસરકુટ વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું. આતંકવાદીઓ માટીના ઘરમાં છુપાયેલા હતા…
જમ્મુ કાશ્મીરમાંથી અનોખી તસવીર આવી સામે, આતંકવાદી અબીઝ રમઝાન શેખના પિતાએ કર્યું આ કામ
જ્યારે સમગ્ર દેશ ઉત્સાહથી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યો હતો, ત્યારે જમ્મુ અને કાશ્મીરના શોપિયામાંથી એક અનોખી તસવીર સામે આવી. શોપિયામાં સક્રિય આતંકવાદી અબીઝ રમઝાન શેખના પિતાએ પોતાના ઘરની બહાર ત્રિરંગો ફરકાવ્યો. સક્રિય આતંકવાદી આબિદ રમઝાન શેખ શોપિયાના છોટીપોરાનો રહેવાસી છે અને તે શ્રેણી A++ આતંકવાદી છે. તેના પિતાએ તેના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આનો એક ફોટો પણ સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ સામે સતત કાર્યવાહી ચાલી રહી છે, અને તેમના નાપાક મનસુબાઓને નિષ્ફળ બનાવવામાં આવી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરને આતંકવાદ મુક્ત બનાવવાના આ પ્રયાસમાં, અત્યાર સુધીમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે. સુરક્ષા દળો સતર્ક છે અને આતંકવાદીઓને યોગ્ય જવાબ આપી રહ્યા છે. શ્રીનગરના લાલ ચોકમાં ઉજવણી શ્રીનગરના લાલ ચોક…
ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવને લઇને CM ઓમર અબ્દુલ્લાનું મોટું નિવેદન, લોકોને ખાસ અપીલ કરી
LoC પર પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર થઈ રહ્યો છે અને ભારતે તેના દરેક હુમલાનો યોગ્ય જવાબ આપ્યો છે. હવે શુક્રવારે સાંજે પણ જમ્મુ, સાંબા અને પૂંછમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને જાસૂસીના ઈરાદાથી મોકલવામાં આવ્યો હતો. આ પહેલા પાકિસ્તાને જમ્મુ પર મિસાઇલોથી હુમલો કર્યો હતો, જેને ભારતના એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તોડી પાડવામાં આવ્યો હતો. હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે, ઓમર અબ્દુલ્લાએ લોકોને પોતાના ઘરોમાં રહેવા અને રસ્તાઓ પર ન આવવાની અપીલ કરી છે. જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું કે જમ્મુ અને તેની આસપાસના વિસ્તારોના તમામ લોકોને મારી નમ્ર અપીલ છે કે કૃપા કરીને રસ્તાઓ પર ન આવો,…
આવતીકાલે ગુજરાતના આ જિલ્લામાં યુદ્ધનું મોકડ્રિલ, ગાંધીનગરમાં બેઠકોનો દોર શરૂ
પહેલગામ આતંકી હુમલા બાદ ભારત એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને 7 મેના રોજ મોક ડ્રીલ કરવા જણાવ્યું છે. ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને એક પરિપત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં ગુજરાતના 15 જિલ્લામાં મોક ડ્રિલનું આયોજન કરવામાં આવશે. પરિપત્રમાં મોકડ્રીલ દરમિયાન લેવાના પગલાંની માહિતી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સરકારે 7 મેના રોજ દેશના 244 જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ કવાયતો અને રિહર્સલનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ‘ગ્રામ્ય સ્તર સુધી આ કવાયતનું આયોજન કરવાનું આયોજન છે.’ આ કવાયતનો ઉદ્દેશ્ય તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નાગરિક સંરક્ષણ મશીનરીની તૈયારીનું મૂલ્યાંકન અને વધારો કરવાનો છે. વર્ષ 1971 બાદ પ્રથમ…
31 માર્ચ 2026 સુધીમાં ભારતમાંથી નક્સલવાદનો ખાત્મો કરી દેવાશે, રાજ્યસભામાં બોલ્યા અમિત શાહ
ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં છેલ્લા 10 વર્ષમાં સુરક્ષા અંગે થયેલા કામનો હિસાબ આપ્યો. તેમણે કહ્યું, “સમય પ્રમાણે પરિવર્તન જરૂરી છે. આપણે દરેક પડકારનો સામનો કરી રહ્યા છીએ. આપણે પાકિસ્તાનમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરી. સરહદની બહાર ઘણા ગુનાઓ થઈ રહ્યા છે. ચાર દાયકાથી દેશમાં ત્રણ ઘા હતા. જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ પહેલો ઘા હતો. બીજો નક્સલવાદ હતો અને ત્રીજો ઉત્તર પૂર્વમાં બળવાખોરીનો હતો. આપણે પાકિસ્તાનમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરી. આપણે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી. પાછલી સરકાર આતંકવાદી હુમલાઓને ભૂલી જતી હતી.” આ પણ વાચો :- Gandhinagar : વિધાનસભામાં અધ્યક્ષ ગુસ્સે થયાં, કહ્યું- “ધારાસભ્યોને ગૃહના નિયમો શીખવા પડશે” ‘હવે આતંકવાદીઓને જ્યાં મરતા હોય ત્યાં દફનાવવામાં આવે છે’ :- ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, “મોદી સરકાર આતંકવાદ…











