લાલ કિલ્લા હુમલા મામલે UNનો મોટો ખુલાસો, જૈશ-એ-મોહમ્મદ જવાબદાર

નવી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા નજીક થયેલા હમલાને લઈને સંયુક્ત રાષ્ટ્ર (UN) ની આતંકવાદ વિરોધી દેખરેખ ટીમે મહત્વપૂર્ણ માહિતી જાહેર કરી છે. અહેવાલમાં જણાવાયું છે કે એક સભ્ય દેશના સૂચન અનુસાર આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ ખુલાસા પછી પાકિસ્તાનની ભૂમિકા અંગે આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી ચર્ચા તીવ્ર બની છે. હુમલામાં 15 લોકોના મોત UNના અહેવાલ અનુસાર, 9 નવેમ્બરના રોજ લાલ કિલ્લા પર થયેલા આ હુમલામાં 15 લોકોનું મોત થયું. આ ઘટના ભારત માટે અત્યંત ગંભીર હતી, કારણ કે લાલ કિલ્લો દેશના ઇતિહાસ અને ગૌરવનું પ્રતીક છે. જૈશ-એ-મોહમ્મદે અગાઉ પણ અનેક હુમલાઓની જવાબદારી સ્વીકારી છે, જેમાં લાલ કિલ્લાનો હમલો પણ સામેલ છે. જૈશ-એ-મોહમ્મદનો ઇતિહાસ અને નવો વિકાસ જૈશ-એ-મોહમ્મદ ખાસ કરીને ભારત વિરોધી આતંકવાદી…

પાકિસ્તાનનો આતંકી પ્રેમ ફરી ઉજાગર: ‘કાશ્મીર એકતા દિવસ’ પર PoKમાં UN-પ્રતિબંધિત આતંકીઓએ મંચ શોભાવ્યો

પાકિસ્તાન દ્વારા ઉજવાતા ‘કાશ્મીર એકતા દિવસ’ની આડમાં આતંકવાદને મળતું ખુલ્લું સમર્થન ફરી એકવાર દુનિયા સામે આવી ગયું છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ના રાવલકોટમાં યોજાયેલી સત્તાવાર રેલીઓમાં સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા પ્રતિબંધિત જાહેર કરાયેલા આતંકવાદી સંગઠનો અને તેમના ટોચના નેતાઓ ખુલ્લેઆમ મંચ પર નજરે પડ્યા હતા. ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા તૈયાર કરાયેલા ડોઝિયર જેમાં જે આતંકીઓના નામો નોંધાયેલા છે, તે જ ચહેરાઓ પાકિસ્તાનની ધરતી પર ભારત વિરોધી ભાષણો આપતા જોવા મળ્યા છે. જૈશ-એ-મોહમ્મદની ખુલ્લી રેલી ટાઇમ્સ નાઉના અહેવાલ મુજબ, 5 ફેબ્રુઆરીએ રાવલકોટમાં જૈશ-એ-મોહમ્મદ (JeM) દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં સશસ્ત્ર આતંકવાદીઓ તેમજ સંગઠનના વરિષ્ઠ મૌલવીઓએ ભાગ લીધો હતો. મંચ પર મસૂદ અઝહરના નજીકના સંબંધીઓ અને કમાન્ડરો—મૌલાના અબ્દુલ મતીન, મુફ્તી મસૂદ ઇલ્યાસ અને સૈફુલ્લાહ…

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, સર્ચ ઓપરેશન ચાલુ

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સામે સુરક્ષા દળોની કાર્યવાહી સતત તેજ બની રહી છે. આ દરમિયાન જમ્મુ વિભાગના કિશ્તવાડ જિલ્લાના છત્રુ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ, સુરક્ષા દળોએ બે થી ત્રણ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓને ઘેરી લીધા છે અને તેમને પકડી પાડવા માટે વિશાળ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. આતંકવાદીઓ ભાગી ન જાય તે માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સ્થાનિક સ્તરે સુરક્ષાના કારણોસર કેટલાક વિસ્તારોમાં નિયંત્રણો પણ લાગુ કરવામાં આવ્યા છે. સેનાના જવાનો નજીકથી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ઉધમપુર જિલ્લામાં બે આતંકવાદીઓ ઠાર આ પહેલાં ઉધમપુર જિલ્લાના બસંતગઢ વિસ્તારમાં સુરક્ષા દળોએ મોટી સફળતા મેળવી હતી. સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPFની સંયુક્ત ટીમે એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદના બે…

જમ્મુ કાશ્મીર : સાંબામાં બોર્ડર પાસે ફરી ડ્રોન દેખાયા, સેનાએ સક્રિય મોરચો સાંભળ્યો

જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાની ડ્રોનની પ્રવૃત્તિ ફરીથી વધતી જઈ રહી છે. રવિવારે (18 જાન્યુઆરી) સાંબામાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીક શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યા, જેના કારણે સેનાએ તાત્કાલિક મોરચો સંભાળ્યો. આ દરમિયાન સ્થાનિક અને સુરક્ષા અધિકારીઓમાં વ્યાપક ચિંતા ફેલાઈ ગઈ. ડ્રોનની પ્રવૃત્તિ અને પેહલાનો બનાવ મળતી માહિતી પ્રમાણે, રવિવારે સવારે લગભગ 11.30 વાગ્યે રામગઢ સેક્ટરમાં ડ્રોન જોવા મળ્યો, જે થોડા સમય માટે ભારતીય પ્રદેશ પર ફરતું રહ્યું. શનિવારે પણ સાંબા જિલ્લાના રામગઢ સેક્ટરમાં ડ્રોનની પ્રવૃત્તિ નોંધાઇ હતી. સાંજે 7 વાગ્યાની આસપાસ પાકિસ્તાન તરફથી એક ડ્રોન જેવી વસ્તુ દેખાઇ અને કંદ્રાલ ગામની ઉપર ઘણા મિનિટો સુધી ફરતી રહી. સેનાની કાર્યવાહી ડ્રોનની ગતિવિધિ જોઈને સુરક્ષા દળોએ તાત્કાલિક સર્ચ ઓપરેશન શરૂ કર્યું, જે દરમિયાન કોઈ ગેરકાયદેસર સામગ્રી મળી નહોતી. અગાઉ…

જમ્મુ-કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા, અવંતીપોરામાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ

જમ્મુ અને કાશ્મીર પોલીસને આતંકવાદ સામેની લડાઈમાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. અવંતીપોરા વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે જોડાયેલા આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી 42મી રાષ્ટ્રીય રાઇફલ્સ (RR) અને CRPFની 180મી બટાલિયન સાથે સંયુક્ત રૂપે હાથ ધરવામાં આવી હતી. પોલીસે નાનાર મીદુરા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે ચોક્કસ માહિતી મળ્યા બાદ સમગ્ર વિસ્તાર ઘેરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન, નાનારના ગણાઈ મોહલ્લાના રહેવાસી નઝીર અહેમદ ગનાઈની ધરપકડ કરવામાં આવી. તપાસ દરમ્યાન તેણે એક બગીચામાં છુપાવેલા આતંકવાદી ઠેકાણાની માહિતી આપી. સુરક્ષા દળોએ તરત જ તે ઠેકાણું શોધી કાઢ્યું અને નાશ કરેલાં વિસ્ફોટક સાધનોમાં બે હેન્ડ ગ્રેનેડ, એક ડેટોનેટર અને અન્ય વિસ્ફોટક સામગ્રીનો સમાવેશ હતો. આ ઠેકાણું ત્રાલ અને અવંતીપોરા જેવા વિસ્તારોમાં આતંકી હુમલાઓ માટે તૈયાર કરવામાં…

અલ-ફલાહ યુનિવર્સિટી: 200થી વધુ કર્મચારીઓ એજન્સીની તપાસ હેઠળ, પોલીસ તપાસનો ધમધમાટ

દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર બોમ્બ વિસ્ફોટના કેસમાં તપાસનો ધમધમાટ હવે ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટી સુધી પહોંચ્યો છે. અહેવાલો મુજબ, યુનિવર્સિટીના 200થી વધુ ડોક્ટરો, લેક્ચરર્સ અને સ્ટાફ સભ્યો હવે એજન્સીઓના રડાર પર છે. તપાસ એજન્સીઓએ એક વ્હાઇટ-કોલર આતંકી મોડ્યુલના ખુલાસા બાદ યુનિવર્સિટીના સ્ટાફના લોકર અને બહાર રહેતા વિદ્યાર્થીઓના રૂમની પણ તપાસ શરૂ કરી દીધી છે. અત્યાર સુધીમાં 1,000થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી છે. એજન્સીઓ દ્વારા તપાસના મુખ્ય મુદ્દા – યુનિવર્સિટીની અંદર કોઈ હેન્ડલર હાજર હતો કે નહીં તે શોધી રહી છે. – આત્મઘાતી બોમ્બર ડૉ. ઉમર ઉન નબીને વિશેષ સુવિધાઓ આપવામાં આવી હતી. – યુનિવર્સિટીમાં રહેતા અન્ય સાત લોકો સાથે ઉમરના સંબંધો અંગે પણ તપાસ ચાલી રહી છે. – નૂહમાં ડૉ. ઉમર ઉન નબીને રૂમ…

દિલ્હી લાલ કિલ્લા વિસ્ફોટ: એન્જિનિયરથી ડૉક્ટર અને મૌલવી સુધી, વ્યાવસાયિકોની આડમાં આતંકવાદી કાવતરું

દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા સામે સોમવાર, 10 નવેમ્બરના રોજ I-20 કારમાં થયેલા શક્તિશાળી વિસ્ફોટમાં દસ લોકોના મૃત્યુ અને ઘણા લોકો ઘાયલ થયા હતા. તપાસમાં જાણવા મળ્યું કે વિસ્ફોટ કરનાર કાર ડોક્ટર ઓમરે ચલાવી હતી. વિસ્ફોટ પહેલાં જ ફરીદાબાદમાં અલ-ફલાહ યુનિવર્સિટીના ડૉ. મુઝમ્મિલ અને ડૉ. શાહીનની ધરપકડ કરવામાં આવી હતી. તેમના ભાડાના મકાનોમાંથી લગભગ 3,000 કિલોગ્રામ વિસ્ફોટકો જપ્ત થયા હતા. આ ઘટનાથી આગળ વધતાં, એજન્સીઓએ શ્રેણીબદ્ધ ધરપકડો કરી છે. ડૉ. મુઝમ્મિલ ગનાઈ 35 વર્ષીય ડૉ. મુઝમ્મિલ ગનાઈ, જમ્મુ-કાશ્મીરના પુલવામાનો રહેવાસી, ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીમાં કાર્યરત હતો. ATS અને પોલીસને શંકા છે કે તે આતંકવાદી મોડ્યુલનો મુખ્ય સભ્ય હતો. ધરપકડ બાદ તેના ભાડાના મકાનમાંથી 358 કિલો શંકાસ્પદ એમોનિયમ નાઇટ્રેટ, ક્રિન્કોવ એસોલ્ટ રાઇફલ, 91 જીવંત ગોળીઓ, કારતૂસ અને બોમ્બ બનાવવા…