7 મેટ્રો સ્ટેશન બંધ, રસ્તાઓ પર બેરિકેડથી થયું ‘દિલ્હી જામ’

રાજધાની દિલ્હીમાં ગુરુવારે જંતર-મંતર ખાતે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને કારણે સેન્ટ્રલ દિલ્હીની ટ્રાફિક વ્યવસ્થા પર ભારે અસર જોવા મળી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે અનેક મુખ્ય રસ્તાઓ પર બેરિકેડ લગાવ્યા હતા અને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) દ્વારા 17 મેટ્રો સ્ટેશન બંધ રાખવામાં આવ્યા હતા. આ કારણે હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને અનેક વિસ્તારોમાં વાહનોની લાંબી લાઈનો લાગી હતી. જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને પગલે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી હતી. પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં મોટી સંખ્યામાં જવાનો તૈનાત કર્યા હતા અને વાહન વ્યવહારને નિયંત્રિત કરવા માટે વિવિધ માર્ગો પર રોક લગાવવામાં આવી હતી. આ વ્યવસ્થાના કારણે સેન્ટ્રલ દિલ્હીના અનેક મહત્વપૂર્ણ વિસ્તારોમાં ટ્રાફિક ધીમો પડી ગયો હતો.…

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે વડાપ્રધાન મોદીને ફોન પર કરી વાત, ટ્રાયમ્ફલ આર્ચ પ્રોજેક્ટ પર પણ ટ્રમ્પે આપ્યા ઇશારા

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન પર વાતચીત કરી છે. આ વાતચીત ભારત અને અમેરિકા વચ્ચે સતત ચાલી રહેલા ઉચ્ચસ્તરીય સંપર્કનો એક ભાગ માનવામાં આવી રહી છે. માહિતી સર્જિયો ગોર, જે અમેરિકામાં ભારતના રાજદૂત અને દક્ષિણ-મધ્ય એશિયાના વિશેષ દૂત છે, દ્વારા આપી છે. પહેલાની વાતચીત ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની છેલ્લી ફોન વાતચીત 10 ડિસેમ્બર 2025માં થઈ હતી. તે સમયે બંને નેતાઓએ ટેરિફ અને વેપારને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ તાજેતરની વાતચીત બંને નેતાઓ વચ્ચે ત્રીજી વખતની ફોન પર ચર્ચા બની. ટ્રાયમ્ફલ આર્ચની ચર્ચા 1 ફેબ્રુઆરીએ ટ્રમ્પે પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે વોશિંગ્ટન ડીસીમાં છેલ્લા 200 વર્ષથી એક ટ્રાયમ્ફલ આર્ચ બનાવવા અંગે ચર્ચા થઈ રહી છે, પરંતુ હજુ…

ઇન્ડિયા ગેટ પર પ્રદૂષણ વિરોધ પ્રદર્શન દરમિયાન પેપર સ્પ્રે હુમલો, 3–4 પોલીસકર્મીઓ ઘાયલ; FIR નોંધાઇ

દિલ્હીમાં વધી રહેલા વાયુ પ્રદૂષણ સામે રવિવારે સાંજે ઇન્ડિયા ગેટ પર નાગરિકો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનમાં અચાનક તંગદિલી સર્જાઈ હતી. પ્રદર્શનકારીઓએ પોલીસ પર પેપર સ્પ્રેનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો, જેના કારણે 3 થી 4 પોલીસકર્મીઓ ઘાયલ થયા અને તેમને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા. વિરોધ દરમિયાન હિડમાના પોસ્ટરો મળ્યા પોલીસના જણાવ્યા અનુસાર, પ્રદર્શનકારીઓ તાજેતરમાં માર્યા ગયેલા નક્સલી કમાન્ડર માધવી હિડમાના પોસ્ટરો લઈને આવ્યા હતા. પોસ્ટરો ક્યાંથી લાવવામાં આવ્યા અને તેમની પાછળ કોણ છે, તેની તપાસ ચાલુ છે. સુપ્રીમ કોર્ટના આદેશ છતાં ઇન્ડિયા ગેટ પર જ વિરોધ પ્રદર્શનકારીઓ દિલ્હીની ઝેરી હવા સામે તાત્કાલિક પગલાંની માંગ કરી રહ્યા હતા. પોલીસે સુપ્રીમ કોર્ટનો આદેશ દર્શાવીને જણાવ્યું કે દિલ્હીમાં કોઈપણ પ્રકારના વિરોધ માટે જંતર મંતર…

દિલ્હીમાં પ્રદૂષણ પર ભારે હોબાળો! ‘ઝેરી હવા’ સામે લોકો રસ્તા પર ઉતર્યા, ઇન્ડિયા ગેટ પર પ્રદર્શનકારીઓની અટકાયત

રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર સતત ખતરનાક બની રહ્યું છે. છેલ્લા એક મહિનાથી હવાની ગુણવત્તા ગંભીર સ્તરે પહોંચી છે. અનેક વિસ્તારોમાં AQI 420 થી ઉપર નોંધાયો છે, જે “Hazardous” કેટેગરીમાં આવે છે. લોકો રસ્તા પર ઉતર્યા – ઇન્ડિયા ગેટ પર પ્રદર્શન દિલ્હીની હવામાં વધતા ઝેર સામે લોકો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ઇન્ડિયા ગેટ પર અનેક નાગરિકો અને રાજકીય પક્ષોના કાર્યકરો ભેગા થયા હતા. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ સહિતના અનેક નેતાઓએ પણ આ વિરોધમાં ભાગ લીધો. પરંતુ, દિલ્હી પોલીસે પ્રદર્શનકારીઓને અટકાયત કરી હતી. પોલીસે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ઇન્ડિયા ગેટ વિરોધ માટે માન્ય સ્થળ નથી, તેથી જંતર-મંતર તરફ જવાની સૂચના આપવામાં આવી હતી. AAP પ્રવક્તા પ્રિયંકા કક્કરનો આરોપ વિરોધ દરમિયાન આમ આદમી…