ભારત-અમેરિકા વચ્ચે આજે જે સહયોગ છે, તે મનમોહન સિંહના વિઝન વિના શક્ય ન હોતઃ બિડેન

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો અને તેમને સાચા રાજકારણી ગણાવ્યા. વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચે જે પ્રકારનો સહયોગ આજે છે તે મનમોહન સિંહના વિઝન વિના શક્ય ન હોત. ઉલ્લેખનીય છે કે મનમોહન સિંહ 2004 થી 2014 સુધી 10 વર્ષ ભારતના વડાપ્રધાન હતા. મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે 92 વર્ષની વયે અવસાન થયું હતું. -> બિડેને મનમોહન સિંહને સાચા રાજકારણી ગણાવ્યા :- વ્હાઇટ હાઉસ તરફથી જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘અમેરિકા અને ભારત વચ્ચે આજે જે અભૂતપૂર્વ સ્તરનો સહકાર છે તે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની વ્યૂહાત્મક દ્રષ્ટિ અને રાજકીય હિંમત વિના શક્ય ન હોત. ભારત-યુએસ-ભારત નાગરિક પરમાણુ…