PoJKમાં પાકિસ્તાનની બર્બરતા પર ભારતનો કડક પ્રહાર, જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ હોવાનું પુનરોચ્ચાર
પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ-કાશ્મીર (PoJK)માં તાજેતરમાં સર્જાયેલી પરિસ્થિતિને લઈને ભારતે પાકિસ્તાન સામે કડક વાંધો નોંધાવ્યો છે. વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે PoJKમાં નિર્દોષ નાગરિકો સામે કરવામાં આવી રહેલી કાર્યવાહી લોકશાહી મૂલ્યો અને માનવ અધિકારોની ભાવનાના વિરુદ્ધ છે. ભારતે આ કાર્યવાહીનો સખત વિરોધ કરતાં ફરી એકવાર સ્પષ્ટ કર્યું કે સમગ્ર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતના અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે. PoJKમાં વિરોધ પ્રદર્શન અને દમન પર ચિંતા વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ-કાશ્મીરમાં લોકો મોંઘવારી, બેરોજગારી, વીજળી, ખાદ્યસામગ્રીની અછત અને અન્ય મૂળભૂત સુવિધાઓના પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પરંતુ લોકોની ફરિયાદો સાંભળવાના બદલે પાકિસ્તાની તંત્ર બળપ્રયોગ અને દમનની નીતિ અપનાવી રહ્યું છે. ભારતના જણાવ્યા અનુસાર, શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા નાગરિકો સામે…
સ્કૂલના વિદ્યાર્થીઓના હાથમાં પુસ્તકને બદલે ઝાડુ-પોતા ! | GUJARATI NEWS BULLETIN
સ્કૂલના વિદ્યાર્થીઓના હાથમાં પુસ્તકને બદલે ઝાડુ-પોતા સુરત: સરકારી શાળામાં બાળકો પાસે કાળી મજૂરી કરાવવાનો આક્ષેપ ભર તડકામાં શાળાની સાફસફાઈ કરાવતો વીડિયો વાયરલ ગ્રિલ અને પટાંગણની સફાઈ કરતા બાળકોનો વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાસ્પદ શિક્ષકોની હાજરીમાં જ બાળકો પાસે સફાઈ શાળાના આચાર્યએ ભૂલ સ્વીકારી “આગળથી આવું નહીં થાય” સ્વચ્છતા જનજાગૃતિ માટેનો ઉદ્દેશ્ય હોવાનું સ્પષ્ટીકરણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ મામલો ગંભીરતાથી લીધો સમિતિ અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાનું નિવેદન, “આ બાબત યોગ્ય નથી” સર્વ શિક્ષા અભિયાન હેઠળ સફાઈ માટે ગ્રાન્ટ ઉપલબ્ધ વધારાની ગ્રાન્ટ પણ આપવામાં આવી રહી હોવાનો ઉલ્લેખ સ્થળ તપાસ માટે નિરીક્ષકોની ટીમ મોકલાશે રિપોર્ટ બાદ જવાબદાર સામે કાર્યવાહી થશે તમામ શાળાઓને પરિપત્ર બહાર પાડવામાં આવશે આણંદ: નાપાડ તળપદના ભગવાન નગર આંગણવાડી કેન્દ્રમાં બેદરકારીના આક્ષેપ નાના ભુલકાઓ પાસેથી કચરો વાળાવવાનો…
સોનમ વાંગચુકની મુક્તિ પર કેન્દ્રની ‘બ્રેક’: સુપ્રીમ કોર્ટમાં સરકારે રિહાઈનો કર્યો સખત વિરોધ
લદ્દાખના પર્યાવરણવિદ અને ‘રીયલ લાઈફ ફૂનસુખ વાંગડુ’ તરીકે ઓળખાતા સોનમ વાંગચુકની અટકાયતનો મામલો હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે. નેશનલ સિક્યુરિટી એક્ટ (NSA) હેઠળ તેમની ધરપકડને પડકારતી અરજી પર સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે વાંગચુકને સ્વાસ્થ્યના આધારે મુક્ત કરી શકાય તેમ નથી, કારણ કે તેઓ મેડિકલ દ્રષ્ટિએ સંપૂર્ણપણે સ્વસ્થ છે. સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને માંગ કરી હતી કે તેમના પતિનું સ્વાસ્થ્ય લથડી રહ્યું છે, તેથી તેમને જામીન આપવામાં આવે. જોકે, કેન્દ્ર સરકાર વતી રજૂ કરાયેલા સોગંદનામામાં જણાવાયું છે, “અટકાયત દરમિયાન અત્યાર સુધીમાં ૨૪ વખત વાંગચુકની મેડિકલ તપાસ કરવામાં આવી છે. તમામ રિપોર્ટ્સ મુજબ તેઓ શારીરિક રીતે સક્ષમ છે અને તેમને કોઈ ગંભીર બીમારી નથી.” લદ્દાખને છઠ્ઠી અનુસૂચિમાં સામેલ…
ભૂમધ્ય સમુદ્ર બન્યો ‘મોતનું સરનામું’: લીબિયાના કિનારે હોડી પલટી, 53 ના જીવન સમુદ્રમાં દફન
યુરોપમાં સારી જીવનની શોધમાં નીકળેલી હોડીમાં 53 પરપ્રાંતિય શ્રમિકોનું ભૂમધ્ય સમુદ્રમાં કરુણ મોત નીપજ્યું છે. ઉત્તર આફ્રિકા દેશ લીબિયાના દરિયાકાંઠેથી યુરોપ પહોંચવાના પ્રયાસમાં નીકળેલી હોડી તોફાની મોજાઓ સામે હાર માની ગઈ અને પલટી ગઈ, જેના કારણે ડઝનો લોકોના સપનાઓ મોજામાં વિખરી ગયા. માનવ તસ્કરીનો ભયાનક માહોલ પ્રાપ્ત અહેવાલો મુજબ, માનવ તસ્કરોએ ક્ષમતા કરતા વધુ લોકોને નાનકડી રબર બોટમાં ભરી, સલામતી સાધનો કે લાઈફ જેકેટ વગર દરિયામાં છોડ્યાં હતા. મોજાઓના અથડામણ અથવા એન્જિન ફેઈલ થવાને કારણે બોટ પલટી ગઈ. મૃતકોમાં અનેક મહિલાઓ અને બાળકો શામેલ છે, જે ગરીબી અને અંધાધૂંધી જીવનથી બચવા યુરોપમાં આશરો મેળવવા નીકળ્યા હતા. “તરતા કબ્રસ્તાન” સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર સંગઠન (IOM)ના મતે, ભૂમધ્ય સમુદ્રનો આ પટ્ટો હવે ‘તરતા કબ્રસ્તાન’ તરીકે ઓળખાય છે.…
સોનમ વાંગચુકની જેલમુક્તિ મુદ્દે સુપ્રીમ કોર્ટની સરકારને ટકોર: “તબિયત સારી નથી, અટકાયત પર પુનર્વિચાર કરો”
લદ્દાખને રાજ્યનો દરજ્જો અપાવવાની માંગ સાથે આંદોલન ચલાવતા જાણીતા પર્યાવરણવાદી અને શિક્ષણવિદ સોનમ વાંગચુકની અટકાયત મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે સ્પષ્ટ જવાબ માંગ્યો છે. જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ પી.બી. વરાલેની બેન્ચે વાંગચુકના સ્વાસ્થ્ય પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે નોંધ્યું હતું કે વાંગચુકના હેલ્થ રિપોર્ટ ચિંતાજનક છે અને તેમની વધતી ઉંમર તથા તબિયતને ધ્યાનમાં રાખીને માનવીય અભિગમ અપનાવી અટકાયતના આદેશ પર પુનર્વિચાર કરવો જોઈએ તેવી મૌખિક ટિપ્પણી કરી હતી. કેન્દ્ર સરકારનો ગંભીર આરોપ: ‘આરબ સ્પ્રિંગ’ જેવી ક્રાંતિની કોશિશ સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર વતી હાજર એડિશનલ સોલિસિટર જનરલે વાંગચુકની મુક્તિનો કડક વિરોધ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે વાંગચુકે લેહમાં લોકોને ઉશ્કેર્યા હતા, જેના પરિણામે થયેલી હિંસામાં ચાર લોકોના મોત થયા હતા. કેન્દ્ર…
ટેક જગતે ટ્રમ્પ સામે અવાજ ઉઠાવવો જોઈએ: લિંક્ડઈનના રીડ હૉફમેની અપીલ
સિલિકોન વેલી: લિંક્ડઈનના સહ-સ્થાપક રીડ હૉફમેને ટેક ઉદ્યોગના આગેવાનોને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કડક ઈમિગ્રેશન નીતિઓ અને મિનેસોટામાં થયેલી નાગરિકોની હત્યા સામે ખુલ્લેઆમ અવાજ ઉઠાવવા અપીલ કરી છે. હૉફમે સ્પષ્ટપણે જણાવ્યું છે કે “ટેક જગત ટ્રમ્પ સામે ઘૂંટણિયા ટેકવી નહી શકે.” ગૂગલના ચીફ સાઈન્ટિસ્ટ જેફ ડીન અને વેન્ચર કેપિટાલિસ્ટ વિનોદ ખોસલા જેવા મોટા ટેક આગેવાનો પણ ટ્રમ્પના આ અભિયાનની ટીકા કરી ચૂક્યા છે. હૉફમેનો દાવો છે કે સિલિકોન વેલીના ટેક લીડર્સોએ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં વધુ ખુલ્લેઆમ અવાજ ઉઠાવવાનો નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. મિનિયાપોલિસમાં ઘટેલી ઘટનાઓ હૉફમેનું કહેવું છે કે મિનિયાપોલિસમાં ફેડરલ એજન્ટ્સ દ્વારા રેની ગુડ અને એલેક્સ પ્રીટીની હત્યાઓ પછી ટેક લીડર્સ માટે ખુલ્લેઆમ બોલવાની જવાબદારી વધુ ગંભીર બની ગઈ છે. આ ઘટનાએ ટ્રમ્પ પ્રશાસન…
અફઘાનિસ્તાન ‘મધ્યયુગ’માં પાછું: તાલિબાને ગુલામી કાયદેસર બનાવી, મૌલવીઓને ગુનાઓમાંથી છૂટ
અફઘાનિસ્તાન: 21મી સદીમાં જ્યારે દુનિયા વૈજ્ઞાનિક અને ટેક્નોલોજીકલ પ્રગતિ તરફ આગળ વધતી હોય, ત્યારે અફઘાનિસ્તાન તાલિબાનના શાસન હેઠળ સેંકડો વર્ષ પાછું ધકેલાયું છે. જાન્યુઆરી 2026માં, તાલિબાનના સુપ્રીમ લીડર મુલ્લા હિબતુલ્લાહ અખુંદઝાદાએ નવા કાયદાકીય દસ્તાવેજને મંજૂરી આપી છે, જેમાં ગુલામીને કાયદેસર માન્યતા આપવામાં આવી છે. નવો ફોજદારી કાયદો અને અસમાનતા: આ કાનૂની કોડમાં “ગુલામ” અને “માલિક” જેવા શબ્દોનો ઉપયોગ થઇ રહ્યો છે, જે દર્શાવે છે કે અફઘાનિસ્તાનમાં લોકોની ખરીદ-વેચાણ અને બંધક બનાવવાની પ્રક્રિયા હવે કાયદેસર બની ગઈ છે. તાલિબાનના કાયદામાં સમાજને ચાર વર્ગોમાં વહેંચી દેવાયું છે: ઉલેમા, અશરફ, મધ્યમ અને નીચલા વર્ગ. ટોચ પર બેઠેલા મૌલવો અને મુલ્લાઓ ગુનાઓ માટે છૂટછાટ ધરાવે છે, જ્યારે સામાન્ય નાગરિકોને કઠોર સજા અને શારીરિક યાતનાઓ ભોગવવી પડશે. આંતરરાષ્ટ્રીય ચિંતાઓ: આ નવો…
ઈરાનમાં વિરોધ પ્રદર્શન: 5,000 લોકોના મોત, 24,000થી વધુની ધરપકડ
છેલ્લા ઘણા મહિનાથી ઈરાનમાં વિરોધ પ્રદર્શનો વધતા જ રહ્યા છે અને હવે તે દેશવ્યાપી હિંસામાં પરિવર્તિત થઈ ગયા છે. આંદોલન મોંઘવારી, વધતી બેરોજગારી અને નાગરિકોની આર્થિક તકલીફો સામે શરૂ થયું હતું, પરંતુ સમય જતાં તેમાં રાજકીય અને ધાર્મિક અસંતોષ પણ જોડાયો. ઇરાન સરકારના તાજા આંકડા અનુસાર, અત્યાર સુધીમાં આશરે 5,000 લોકો મૃત્યુ પામ્યા છે, જેમાં લગભગ 500 સુરક્ષા કર્મીઓ પણ શામેલ છે. ધરપકડ કરાયેલ લોકોની સંખ્યા 24,000 થી વધારે છે, જ્યારે કેટલીક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ઓછામાં ઓછા 3,300 મૃતક જણાવી રહી છે. ઘણી ધરપકડ કરાયેલ વ્યક્તિઓને ઝડપી ટ્રાયલ અને કડક સજા મળવા અંગેની માહિતી પણ સામે આવી છે. સરકાર વિદેશી શક્તિઓ, ખાસ કરીને અમેરિકા અને ઇઝરાયલ, પર આ અશાંતિ પાછળ સંકલ્પિત સાજિશનો આરોપ મૂકે છે. બીજી તરફ,…
ઈરાન: 26 વર્ષના યુવાન ઇરફાન સોલ્તાનીને જાહેરમાં ફાંસી! જાણો મામલો
ઇરાનની સરકાર 26 વર્ષના Erfan Soltaniને જાહેરમાં ફાંસી આપવાની તૈયારી કરી રહી છે. તે મધ્ય ઇરાનમાં કપડાની નાની દુકાન ચલાવતો હતો અને 8 જાન્યુઆરીએ અટકાયો હતો. ઇરાનમાં વિરોધ પ્રદર્શનકારીઓને કડક રીતે દબાવવામાં આવે છે, અને તેમને “અલ્લાહ સામે યુદ્ધ (Moharebeh)”નો આરોપ લગાવી સીધી મૃત્યુદંડની સજા આપવામાં આવે છે. અત્યાર સુધીની વિગતો: ઈરફાનને ફાંસી આપવાના માત્ર થોડા કલાક પહેલા તેના કુટુંબીજોને ફક્ત 10 મિનિટ માટે અંતિમ મુલાકાત માટે બોલાવવામાં આવ્યું છે. કાયદેસર ટ્રાયલ કે વકીલની સુવિધા આપવામાં આવી નથી. માનવાધિકાર સંગઠનો તે કેસને ન્યાય વિરુદ્ધ ગણાવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય પ્રતિભાવ: અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઇરાનને ચેતવણી આપી છે કે આ યુવાનને ફાંસી આપવામાં આવ્યો તો ગંભીર પરિણામ ભોગવવા પડશે. પેન્ટાગોન દ્વારા મિસાઇલ અને હવાઈ હુમલાના વિકલ્પો તૈયાર છે,…
ઈરાનમાં વિરોધ પ્રદર્શનોમાં 2,000થી વધુ લોકોના મોત, જાણો સમગ્ર વાત
ઈરાનમાં ચાલી રહેલા રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં લગભગ 2,000 લોકોના મોત થયા છે, જેમાં સુરક્ષા કર્મચારીઓ અને સામાન્ય પ્રદર્શનકારીઓ બંનેનો સમાવેશ થાય છે. આ પહેલીવાર છે જ્યારે ઈરાનની સત્તાવાળાઓએ આ ઊંચા મૃત્યુઆંકનો સત્તાવાર સ્વીકાર કર્યો છે. સત્તાવાળાઓના નિવેદન રોઇટર્સ સાથે વાત કરતાં ઈરાનના અધિકારીઓએ જણાવ્યું કે જેમને તેમણે આતંકવાદી ગણાવ્યા હતા, તેઓ વિરોધીઓ અને સુરક્ષા કર્મચારીઓ બંનેના મોત માટે જવાબદાર છે. અધિકારીઓએ હજુ સુધી વિશિષ્ટ વ્યક્તિઓ વિશે ખુલાસો કર્યો નથી. ઈરાનમાં અશાંતિ અને આર્થિક પૃષ્ઠભૂમિ અશાંતિના મૂળમાં ઈરાનની નબળી આર્થિક સ્થિતિ છે, જે છેલ્લા ત્રણ વર્ષમાં સરકાર માટે સૌથી મોટો આંતરિક પડકાર બની છે. ગઈકાલના ઇઝરાયલી અને યુએસ હુમલાઓ પછી પણ આ દબાણ વધ્યું છે. બેવડું ધોરણ અને કડક કાર્યવાહી 1979ની ઇસ્લામિક ક્રાંતિ પછી સત્તામાં…
















