MLA હાર્દિક પટેલનું પાટીદાર સમાજને લઈ મહત્વનું નિવેદન; ફરી ચર્ચાઓ થઈ શરૂ
પાટીદાર અનામત આંદોલનનો ચહેરો હાર્દિક પટેલ હાલ ભાજપના નેતા કે અને વિરમગામ બેઠકના ધારાસભ્ય છે અને તે છેલ્લા ઘણા સમયથી પોતાના નિવેદનને લઈ ચર્ચામાં રહે છે. આ દરમિયાન ફરી એક વખત હાર્દિક પટેલના નિવેદનથી ચર્ચાઓ તેજ થઈ છે. હાર્દિક પટેલએ આગામી 10 વર્ષ બાદ ગામડાઓની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે અને અસ્તિત્વ ટકાવવા સમાજને જાગૃત થવાની હાર્દિક પટેલે અપીલ પણ કરી છે. દેત્રોજ પંથકમાં આયોજિત ચુવાળ કડવા પાટીદાર પ્રગતિ મંડળના કાર્યક્રમમાં ભાજપના નેતા અને વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેમણે મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે, ગામડાઓમાં આપણી સંખ્યા સતત ઓછી થતી જાય છે. જો આપણે જાગૃત નહીં થઈએ તો આવનારા સમયમાં ગામડાઓમાં આપણું અસ્તિત્વ જોખમમાં મુકાઈ શકે છે.” તેમણે ઉમેર્યું કે…
ગોષ્ઠિ ગુજરાતની
પંકજ મકવાણા,અમદાવાદ/ સંવેદનશીલ સમયે હાર્દિકનો અવિચારી પ્રયોગ ભાજપના યુવા ધારાસભ્ય હાર્દિક પટેલે રવિવારે એક એવા સંવેદનશીલ સમયે કોંગ્રેસ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરી, જયારે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા સંજોગો ચાલી રહ્યાં છે. મોટા ભાગના નેતાઓ સંયમ પાળીને શાંતિ જાળવી રહ્યા છે ત્યારે હાર્દિકે તત્કાલ ભૂતકાળના આતંકવાદી હુમલાઓ કોંગ્રેસના શાસનકાળ સાથે જોડીને એક જુનો મુદ્દો ઉકેલવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેમની આ પોસ્ટને જનતાએ ઉત્તર આપ્યો નહિ. વળી, ઘણી જાતની ટીકા અને મિમ બનાવવામાં આવ્યા. કેટલાક લોકોએ 1971ના યુદ્ધ સમયે ઇન્દિરા ગાંધીની સખત નેતાગીરી યાદ અપાવી, જેના જવાબમાં હાર્દિકે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમ છતાં, તેમના આ વલણથી ભાજપના કેટલાક વરિષ્ઠ નેતાઓ પણ અસંતોષમાં આવ્યા છે. આ ઘટના દર્શાવે છે કે દુર્ઘટનાઓ અને તણાવભર્યા મુદ્દાઓ પર રાજકારણ…








