TET-1 પરીક્ષાની આન્સર કી જાહેર, ઉમેદવારો 3 જાન્યુઆરી સુધી જોઈ શકશે
રાજ્યમાં ગત 21 ડિસેમ્બરે લેવાયેલી TET-1 પરીક્ષાની આન્સર કી હવે જાહેર કરવામાં આવી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા પૂર્ણ થયા બાદ 9 દિવસ પછી આન્સર કી જાહેર કરવામાં આવી છે, જેને લઈને ઉમેદવારોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલી OMR આધારિત આન્સર કી ઉમેદવારો www.sebexam.org વેબસાઈટ પર 3 જાન્યુઆરી સુધી જોઈ શકશે. નોંધનીય છે કે અન્ય સરકારી પરીક્ષાઓમાં સામાન્ય રીતે પરીક્ષા બાદ બીજા દિવસે જ આન્સર કી જાહેર કરવામાં આવે છે, ત્યારે TETના ઉમેદવારો લાંબા સમયથી આન્સર કી ઝડપથી જાહેર કરવાની માંગ કરી રહ્યા હતા. આ માંગને ધ્યાનમાં રાખીને બોર્ડે આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે. 38 હજારથી વધુ ઉમેદવારોએ આપી હતી પરીક્ષા TET-1 પરીક્ષા રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી.…
ગુજરાતને મળશે નવા DGP : વિકાસ સહાય આવતીકાલે થશે નિવૃત, નવા DGPના નામ પર અટકળો
ગુજરાત રાજ્યને ટૂંક સમયમાં નવા પોલીસ વડા મળવાના છે. હાલના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (DGP) વિકાસ સહાય આવતીકાલે નિવૃત થવાના છે. તેમને મળેલા 6 મહિનાના એક્સ્ટેન્શનનો આવતીકાલે અંત આવી રહ્યો છે. આ સાથે જ પોલીસ ભવનમાં તેમના વિદાય સમારંભની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. વિકાસ સહાય 1989 બેચના વરિષ્ઠ IPS અધિકારી છે. મૂળરૂપે તેઓ 30 જૂને નિવૃત થવાના હતા, પરંતુ રાજ્ય સરકાર દ્વારા તેમને 31 ડિસેમ્બર સુધી એક્સ્ટેન્શન આપવામાં આવ્યું હતું. હવે આવતીકાલે તેમનો સત્તાવાર વિદાય સમારંભ યોજાશે, જેમાં તમામ પોલીસકર્મીઓને વરધીમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. નવા DGPને લઈને અટકળો તેજ વિકાસ સહાયને ફરી એક્સ્ટેન્શન મળશે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ હવે આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. વિદાય સમારંભની જાહેરાત થતાં…
ધારાસભ્ય યોગેશ પટેલને મળી ડિજિટલ એરેસ્ટની ધમકી, પોલીસ કમિશનર અને ગૃહ મંત્રીએ કરી ઝડપી કાર્યવાહી
સાયબર ઠગો હવે નેતાઓને પણ ટાર્ગેટ કરી રહ્યા છે. વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલને મોબાઈલ પર ફોન કરીને એક સાયબર ઠગે ખોટી ધમકી આપી અને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. ઠગે જણાવ્યું કે “તમને નોટિસ મોકલવામાં આવી છે” અને કાયદાકીય કાર્યવાહી તેમજ ધરપકડ જેવી ધમકી આપી. ફોનની શંકા જતાં ધારાસભ્ય યોગેશ પટેલે પોલીસ કમિશનર અને ગૃહ મંત્રીને તરત જ સમગ્ર મામલે જાણ કરી હતી. પોલિસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલાનો વિગતવાર મુદ્દો સાયબર ઠગે ધારાસભ્ય યોગેશ પટેલને ફોન કરી કહ્યું કે તે મુંબઈથી બોલી રહ્યો છે અને તેમને નોટિસ મોકલવામાં આવી છે. ઠગે ડરનો માહોલ ઊભો કરીને દબાણ વધારવાનો પ્રયાસ કર્યો, જેથી ધારાસભ્ય તેમની માંગણીઓ સ્વીકારી લે. પણ યોગેશ પટેલે…
કેનેડામાં ભારતીય યુવાનનું હોસ્પિટલમાં સારવાર ન મળતા મોત, એલોન મસ્કે હેલ્થ સિસ્ટમ પર કરી ટિપ્પણી
કેનેડામાં ભારતીય મૂળના 44 વર્ષના પ્રશાંત શ્રીકુમારની હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળતા મોત નીપજ્યું છે. હોસ્પિટલમાં લગભગ આઠ કલાક સુધી રાહ જોવી પડતા છાતીમાં દુખાવાની ફરિયાદ હોવા છતાં તેમને પૂરતી તબીબી સહાયતા મળી નહોતી. ઈલોન મસ્કે X (Twitter) પર કેનેડાની હેલ્થકેર સિસ્ટમની કડી ટીકા કરી છે. તેમણે જણાવ્યું કે જ્યારે સરકાર તબીબી સેવા પૂરી પાડે છે ત્યારે તે એટલી જ કાર્યક્ષમ હોવી જોઈએ જેટલી US DMV (મોટર વાહન વિભાગ) છે, જેની ઘણી વખત બિનકાર્યક્ષમતા પર લોકોએ ટિપ્પણી કરી છે. પીડિત પરિવાર અનુસાર, શ્રીકુમારને 22 ડિસેમ્બરના બપોરે આશરે 12:15 વાગ્યે ગ્રે નન્સ કોમ્યુનિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ લગભગ 12:20 થી 8:50 સુધી ટ્રાયજ એરિયામાં રોકાયા, જ્યાં તેમ છતાં સારવારના પૂરતા પગલાં લેવામાં આવ્યા નહોતા. છાતીમાં…
મોહન ભાગવત: ભારતનો ઉદ્દેશ્ય શક્તિ નહીં, વિશ્વને દિશા આપવું છે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરસંઘચાલક મોહન ભાગવતે હિન્દુ સમાજને એકતાબદ્ધ થવા અને સનાતન ધર્મના મૂલ્યોને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરવાની અપીલ કરી છે. તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં આયોજિત “વિશ્વ સંઘ શિબિર” ના સમાપન સમારોહમાં રવિવારે સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે ભારતનો હેતુ શક્તિનું પ્રદર્શન કરવાનો નથી, પરંતુ વિશ્વને સાચી દિશા આપવાનો છે. મોહન ભાગવતે જણાવ્યું હતું કે આજનું વિશ્વ ઉપભોક્તાવાદ અને ભૌતિકતામાં ડૂબી ગયું છે, જેના કારણે આધ્યાત્મિક ખોટ ઊભી થઈ છે. આ આધ્યાત્મિક અભાવને કારણે વૈશ્વિક સ્તરે ઉગ્રવાદ અને અસંતુલન વધતું જઈ રહ્યું છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારતે આર્થિક કે લશ્કરી શક્તિના આધારે નહીં, પરંતુ સદ્ભાવના, સંસ્કાર અને માનવ મૂલ્યોના આધારે “વિશ્વગુરુ”ની ભૂમિકા નિભાવવી પડશે. “વિશ્વગુરુ”ની કલ્પના અંગે વાત કરતા સંઘ પ્રમુખે કહ્યું કે…
5 મહિના બાદ દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાન, જૂનો વિવાદ થયો શાંત
ડાયરા કલાકાર દેવાયત ખવડ અને અમદાવાદના ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે છેલ્લા પાંચ મહિનાથી ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે. બંને પક્ષોએ પરસ્પર સમાધાન કરીને એકબીજાને મીઠાઈ ખવડાવી મામલાને પૂર્ણવિરામ આપ્યું છે. આ સમાધાન બાદ લાંબા સમયથી ચર્ચામાં રહેલો વિવાદ હવે શાંત થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે 12 ઓગસ્ટના રોજ ગીર સોમનાથ જિલ્લામાં ધ્રુવરાજસિંહ પર હુમલાની ઘટના બની હતી. આ ઘટનાના મૂળમાં અગાઉ થયેલી તકરાર જવાબદાર હોવાનું સામે આવ્યું હતું. દેવાયત ખવડ એક ડાયરાના કાર્યક્રમમાં હાજર ન રહેતા બંને વચ્ચે વિવાદ શરૂ થયો હતો, જે બાદ મામલો ગંભીર બન્યો હતો. શું હતો સમગ્ર મામલો? ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ચિત્રાવડ ગામ નજીક ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો થયો હતો. તેમની ફોર્ચ્યુનર કારને કિયા કાર સાથે…
ચાઈનીઝ દોરી અને તુક્કલના સંગ્રહ-વેચાણ પર ગુજરાત હાઇકોર્ટ કડક, તાત્કાલિક કાર્યવાહીનો આદેશ
ઉત્તરાયણ પર્વ નજીક આવતાં ચાઈનીઝ દોરી અને તુક્કલ જેવી જીવલેણ સામગ્રીના વધતા ઉપયોગને લઈ ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ બન્યું છે. હાઇકોર્ટએ આવા પ્રતિબંધિત સામાનના સંગ્રહ, વેચાણ અને ઉપયોગ સામે કડક કાર્યવાહી કરવા રાજ્યભરની પોલીસને સ્પષ્ટ આદેશો આપ્યા છે. હાઇકોર્ટએ તમામ જિલ્લાના પોલીસવડાઓને જાહેર નિર્દેશ આપીને જણાવ્યું છે કે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને તુક્કલનો સંગ્રહ, વેચાણ અથવા ઉપયોગ કરનાર સામે કોઈ પણ પ્રકારની ઢીલાશ રાખ્યા વિના તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. સાથે જ, આ કાર્યવાહીની ડે-ટુ-ડે રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. સરકારનું સોગંદનામું રજૂ આ મામલે રાજ્ય સરકાર તરફથી ગૃહ વિભાગના મુખ્ય સચિવે હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. તેમાં રાજ્યભરમાં ચલાવવામાં આવી રહેલી અમલીકરણ ઝુંબેશ અને જનજાગૃતિ અભિયાન અંગે વિગતવાર માહિતી આપવામાં આવી છે. સરકારનું…
દાહોદ જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા PI અને PSIની મોટા પાયે કરાઈ આંતરિક બદલી
દાહોદ જિલ્લા પોલીસમાં મોટા પાયે આંતરિક બદલી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાએ અચાનક બદલીના હુકમો કર્યા, જેના કારણે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. મહત્વપૂર્ણ બદલીની યાદી મુજબ: – PSI એસ.ડી. સરવૈયા – સાગટાળામાં બદલી – PSI ડી.એસ. લાડ – દાહોદ એ ડિવિઝનમાં બદલી – PI વી.પી. કનારાની – LIB ઓફિસમાં બદલી – PI ડી.એમ. ઢોલ – દાહોદ રૂરલમાં નિમાયા – PI સી.આર. દેસાઈ – સાગટાળામાં બદલી – PI કે.આર. રાવત – મહિલા પોલીસ સ્ટેશનમાં બદલી – PI કે.કે. રાજપૂત – દેવગઢ બારિયામાં બદલી – PI બી.કે. ચાવડા – લીમખેડામાં મુકાયા – PI કે.સી. વાઘેલા – પેરોલ-ફર્લો વિભાગમાં બદલી – PI જી.બી. પરમાર – સંજેલીમાં બદલી આ અચાનક બદલી પોલીસ વિભાગમાં વિવિધ કાર્યસ્થળોમાં…
‘ડિજિટલ અરેસ્ટ’ કેસમાં EDએ ગુજરાત સહિત 5 રાજ્યોમાં 11 સ્થળોએ પાડ્યા દરોડા, મહિલાની કરાઈ ધરપકડ
‘ડિજિટલ અરેસ્ટ’ અને સાયબર છેતરપિંડીના મોટા કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. EDની જલંધર ઝોનલ ટીમે 22 ડિસેમ્બર, 2025ના રોજ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને આસામમાં કુલ 11 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. PMLA હેઠળ કાર્યવાહી ED દ્વારા આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ કરવામાં આવી છે. દરોડા દરમિયાન અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે. આ કેસની તપાસ લુધિયાણા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRના આધારે શરૂ કરવામાં આવી હતી. લુધિયાણાના ઉદ્યોગપતિ સાથે ₹7 કરોડની છેતરપિંડી EDના જણાવ્યા અનુસાર, આ કેસમાં લુધિયાણાના જાણીતા ઉદ્યોગપતિ એસ.પી. ઓસ્વાલ પીડિત બન્યા હતા. સાયબર છેતરપિંડી કરનારાઓએ પોતાને CBI અધિકારી તરીકે ઓળખાવી,…
સુરેન્દ્રનગરમાં EDની કાર્યવાહી: કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલની તાત્કાલીક બદલી
અહીના કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સામે ED દ્વારા 1500 કરોડના જમીન કૌભાંડની તપાસ હેઠળ મોટું એક્શન લેવામાં આવ્યું છે. આ તપાસ દરમિયાન તાત્કાલીક અસરથી કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલને બદલી કરી સામાન્ય વહીવટ વિભાગમાં મુકાયા છે, અને ડીડીને કલેક્ટરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ED દ્વારા દરોડા અને ધરપકડ બુધવારે EDની ટીમે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, NA શાખાના ક્લાર્ક મયુર ગોહિલ, કલેક્ટરના PA જયરાજસિંહ ઝાલા અને અન્ય અધિકારીઓના નિવાસસ્થાનો પર દરોડા પાડ્યા. દરોડા દરમિયાન 67.50 લાખ રોકડ, દસ્તાવેજો અને ડિજિટલ ડેટા કબ્જે લેવામાં આવ્યા. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને EDની સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માટે અરજી કરવામાં આવશે. કૌભાંડના કારણો સૂત્રોના જણાવ્યા મુજબ, કૌભાંડ જમીન સંપાદન અને NA (નન એગ્રિકલ્ચરલ) મંજૂરીઓમાં…
















