કચ્છમાં સગીર કિશોરી સાથે ગંભીર ગુનો: પાંચ યુવકો સામે પોક્સો હેઠળ કાર્યવાહી

કચ્છ જિલ્લાના ભુજ વિસ્તારમાંથી એક ગંભીર અને ચિંતાજનક ઘટના સામે આવી છે. હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી 14 વર્ષની સગીર કિશોરી સાથે શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે માનકુવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા ભુજ પોલીસ બી ડિવિઝન દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસ મુજબ, કિશોરીને ધાક-ધમકી આપી અલગ-अलग સ્થળોએ લઈ જઈ તેની સાથે અપરાધિક વર્તન કરવામાં આવ્યું હતું. ફરિયાદમાં કુલ પાંચ યુવકો સંડોવાયેલા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સતત માનસિક દબાણ અને ભયના કારણે કિશોરી લાંબા સમય સુધી આ બાબત અંગે મૌન રહી હતી. હોસ્ટેલમાં કિશોરીની સ્થિતિ શંકાસ્પદ લાગતાં તેના પરિવારજનો અને શિક્ષિકાએ પૂછપરછ કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. બાદમાં પરિવારે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાયા…

મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત 18 જાન્યુઆરી 2026 સુધી દાવા-વાંધા રજૂ કરી શકાશે

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR – Special Intensive Revision) અમલમાં મૂકવામાં આવી છે. રાજ્યભરમાં 27 ઓક્ટોબર 2025થી શરૂ થયેલી આ ઝુંબેશના ગણતરી તબક્કાની અસરકારક કામગીરી બાદ 19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી. મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ મતદારોને પોતાના નામ ઉમેરવા, સુધારવા અથવા કમી કરવા અંગે દાવા અને વાંધા રજૂ કરવાની તક આપવામાં આવી છે. આ પ્રક્રિયા અંતર્ગત 18 જાન્યુઆરી 2026 સુધી દાવા-વાંધાઓ સ્વીકારવામાં આવશે. ચૂંટણી તંત્ર પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, 22 ડિસેમ્બર 2025 સુધીમાં મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે કુલ 69,760 નાગરિકોએ ફોર્મ-6 રજૂ કર્યા છે. જ્યારે વિવિધ વિધાનસભા મતવિસ્તારોમાંથી નામ કમી કરવા માટે 11,074 નાગરિકોએ ફોર્મ-7 ભર્યા છે. ચૂંટણી…

રાજ્યમાં 26 સિનિયર IAS અધિકારીઓની બદલી: મુખ્યમંત્રી કાર્યાલય અને મહત્વના વિભાગોમાં ફેરફાર

રાજ્ય સરકાર દ્વારા વહીવટી સ્તરે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. કુલ 26 સિનિયર IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ બદલીઓમાં સૌથી મહત્વપૂર્ણ નિમણૂક તરીકે સંજીવ કુમારને મુખ્યમંત્રી કાર્યાલય (CMO)માં પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે મુકવામાં આવ્યા છે. સાથે જ તેમને ગૃહ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીનો વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે.   ક્રમાંક અધિકારીનું નામ નવી નિમણૂક / બદલી 1 સંજીવ કુમાર અગ્ર સચિવ તરીકે મુખ્યમંત્રી કાર્યાલયમાં નિમણૂક 2 ડો. વિક્રાંત પાંડે અધિક અગ્ર સચિવ, મુખ્યમંત્રી કાર્યાલય 3 ડો. વિક્રાંત પાંડે ઇન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ વિભાગની જવાબદારી 4 અજય કુમાર મુખ્યમંત્રી કાર્યાલયમાં સચિવ 5 આર.સી. મીણા કૃષિ વિભાગના અગ્ર સચિવ તરીકે બદલી 6 અરુણ કુમાર સોલંકી અધિક મુખ્ય સચિવ, કૃષિ વિભાગ 7 અરુણ કુમાર સોલંકી ગુજરાત સ્ટેટ વેરહાઉસ કોર્પોરેશનનો…

પ્રથમ વખત ચાઈનીઝ દોરીના ઉત્પાદનના મૂળ સુધી પહોંચી પોલીસ, અઢી કરોડથી વધુનો જથ્થો જપ્ત

રાજ્યમાં જીવલેણ ચાઈનીઝ દોરી સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય SOGની ટીમે પ્રથમ વખત ચાઈનીઝ દોરીના ઉત્પાદનના મૂળ સુધી પહોંચી સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન રૂપિયા અઢી કરોડથી વધુની કિંમતનો ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ સમગ્ર કેસની શરૂઆત રૂપિયા 12 લાખથી વધુની કિંમતના 3,800થી વધુ ટેલર (રીલ) ઝડપાવાના મામલાથી થઈ હતી. આ પ્રાથમિક પકડ બાદ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી, જેમાં વાપી અને સેલવાસ સાથે જોડાયેલું મોટું નેટવર્ક સામે આવ્યું છે. વ્યવસ્થિત ઉત્પાદન અને રાજ્યભરમાં સપ્લાય તપાસમાં ખુલ્યું છે કે ચાઈનીઝ દોરીનું વ્યવસ્થિત રીતે ઉત્પાદન, સંગ્રહ અને વિતરણ કરવામાં આવતું હતું. ગોડાઉનોમાં મોટા પ્રમાણમાં દોરીનો સ્ટોક રાખવામાં આવતો અને ત્યારબાદ રાજ્યભરમાં સપ્લાય કરવામાં આવતો…

ગુજરાત સરકારનો મોટો નિર્ણય, GIFT સિટીમાં દારૂના નિયમો વધુ હળવા

ગુજરાતના વૈશ્વિક આર્થિક હબ સમાન GIFT સિટીને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સ્પર્ધાત્મક અને આકર્ષક બનાવવા માટે રાજ્ય સરકારે દારૂબંધીના નિયમોમાં મહત્વપૂર્ણ રાહત આપી છે. સરકાર દ્વારા જાહેર કરાયેલી નવી નોટિફિકેશન મુજબ હવે ગિફ્ટ સિટીની મુલાકાત લેતા પ્રવાસીઓ અને બહારના નાગરિકોને દારૂ પીવા માટે પરમિટ લેવાની ફરજ રહેશે નહીં. આ નિર્ણય ખાસ કરીને આંતરરાષ્ટ્રીય રોકાણકારો, વિદેશી મહેમાનો અને કોર્પોરેટ સેક્ટરની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. નવા નિયમોની મુખ્ય બાબતો સરકારના જાહેરનામા અનુસાર, ગિફ્ટ સિટીમાં ‘વાઇન એન્ડ ડાઈન’ સુવિધાને વધુ સરળ બનાવવામાં આવી છે. ગુજરાત બહારથી આવતા પ્રવાસીઓ તેમજ વિદેશી નાગરિકોને હવે દારૂ સેવન માટે અલગ પરમિટ લેવાની જરૂર રહેશે નહીં. તેઓ માત્ર પોતાનું માન્ય ઓળખપત્ર બતાવીને ગિફ્ટ સિટીની અધિકૃત હોટલ, રેસ્ટોરન્ટ અથવા ક્લબમાં દારૂ…

અરવલ્લી પર્વતમાળાને બચાવવા ગુજરાતમાં અભિયાન, સુપ્રીમ કોર્ટે આપી નવી વ્યાખ્યા

અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ગુજરાતમાં વિરોધ શરૂ થયો છે. અરવલ્લી રણપ્રદેશ માટે લોકો ભયભીત છે અને ચુકાદામાં ફેરફારની માંગ કરી રહ્યા છે. નેતાઓ, સ્થાનિકો અને સાધુ-સંતોએ પણ વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિકોના દાવો અનુસાર, જો પર્વતો દૂર થાય તો અસ્તિત્વ પર જોખમ ઉભું થશે. કોંગ્રેસે અરવલ્લી બચાવવા માટે અભિયાન શરૂ કર્યું છે અને ખેડૂતો, પર્યાવરણપ્રેમીઓ અને સંતોને સાથે રાખીને આંદોલન કરશે. સુપ્રીમ કોર્ટ દ્વારા અરવલ્લી પર્વતોની નવી વ્યાખ્યા મંજૂર થતા વ્યાપક વિવાદ થયો છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું કે આ ફેરફાર ખનન માટે ખોટો સંકેત નથી. રક્ષણિત વિસ્તારો, ઇકો-સેન્સિટિવ ઝોન, વાઘ અભયારણ્ય અને આસપાસના વિસ્તારોમાં ખનન પર પ્રતિબંધ રહેશે. રાષ્ટ્રીય હિતમાં જરૂરી, રણનીતિક અથવા ઊડાણમાં સ્થિત ખનીજ માટે મર્યાદિત મુક્તિઓ જ આપવામાં આવશે. પર્યાવરણ…

નાંદોદમાં બે અકસ્માત: એકનું મોત, એકને ગંભીર ઇજા

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં બે અલગ અલગ અકસ્માતોમાં એક વ્યક્તિના મોત નીપજ્યા અને બીજી વ્યક્તિને ગંભીર ઇજા થઈ છે. પોલીસએ બંને મામલામાં ગુનો દાખલ કર્યો છે. અકસ્માત 1: શહેરાવગામમાં અકસ્માત અંકિતભાઈ ધીરુભાઈ તેજાણી દ્વારા આપવામાં આવેલી ફરિયાદ મુજબ, શહેરાવગામ ગામના રોડ પર એક અજાણ્યા વાહન ચાલકે અંકિતભાઈના માતા પિતા ઉપર ટક્કર મારી હતી. આ ઘટના દરમિયાન પિતાજી ધીરુભાઈ મોહનભાઈ તેજાણીને ગંભીર ઇજા પહોંચી અને સારવાર દરમિયાન સુરત એઈમ્સ હોસ્પિટલમાં મોત નીપજ્યું. માતા ઉર્મીલાબેનને પણ ઇજા પહોંચી હતી. આ મામલે રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે. અકસ્માત 2: કુમસગામના ત્રણ રસ્તા પર બીજો અકસ્માત કુમસગામના ત્રણ રસ્તા પર થયો. મિતેશભાઈ દિનેશભાઈ ડુભીલ (ઉ.વ. 18) અને અલ્પેશભાઈ દિનેશભાઈ ડુભીલ (ઉ.વ. 20) પોતાની હોન્ડા સાઇન મોટરસાયકલ પર અંકલેશ્વર તરફ…

અમદાવાદમાં ભારત–દક્ષિણ આફ્રિકા ટીમનું આગમન, આજે રમાશે T20 સીરિઝની નિર્ણાયક મેચ

અમદાવાદના વિશ્વવિખ્યાત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પાંચ મેચોની T20 સીરિઝની અંતિમ અને નિર્ણાયક મેચ 19 ડિસેમ્બરના રોજ રમાનારી છે. આ મહત્વપૂર્ણ મુકાબલા પહેલા આજે ગુરુવારે ટીમ ઈન્ડિયા અમદાવાદ પહોંચી ચૂકી છે. સાંજના સમયે ભારતીય ટીમનું એરપોર્ટ પર આગમન થતાં ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગુજસેલ ટર્મિનલ ખાતે ટીમનું ઉષ્માભર્યું સ્વાગત ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ ખાસ વિમાન દ્વારા અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા. એરપોર્ટ પરથી તેઓ GUJSAIL (ગુજસેલ) ટર્મિનલ તરફ રવાના થયા હતા. પોતાના મનપસંદ ક્રિકેટ સ્ટાર્સની એક ઝલક મેળવવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ચાહકો એરપોર્ટ આસપાસ ઉમટી પડ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ખેલાડીઓને સીધા હોટલ સુધી લઈ જવામાં આવ્યા હતા. સીરિઝનો રોમાંચ ચરમસીમાએ પાંચ મેચોની આ રોમાંચક T20…

દેવગઢ બારીયા નજીક સર્જાયો ગંભીર અકસ્માત, પાંચ વાહનો એકબીજા સાથે અથડાયા

વલસાડ જિલ્લાના પારડી નજીક નેશનલ હાઇવે પર આજે સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. દેવગઢ બારીયાની રતનદીપ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓને લઈને દમણ પ્રવાસેથી પરત ફરી રહેલી લક્ઝરી બસ અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માતમાં એકસાથે પાંચ જેટલા વાહનો એકબીજા સાથે અથડાયા, જેમાં લક્ઝરી બસનો પણ સમાવેશ થાય છે. ડમ્પરે અચાનક બ્રેક મારતાં સર્જાયો અકસ્માત પ્રાપ્ત માહિતી મુજબ, હાઇવે પર આગળ ચાલી રહેલા એક ડમ્પરે અચાનક બ્રેક મારતાં પાછળથી આવી રહેલા વાહનો નિયંત્રણ ગુમાવી બેઠા હતા. પરિણામે એક પછી એક વાહનો અથડાતા ચેઇન અકસ્માત સર્જાયો હતો. લક્ઝરી બસ સહિત કુલ પાંચ વાહનોને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. 10થી વધુ વિદ્યાર્થીઓને નાની-મોટી ઇજાઓ અકસ્માત સમયે લક્ઝરી બસમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા હતા. આ દુર્ઘટનામાં…

સુરતમાં ડબલ મર્ડર કેસના આરોપી પર ફાયરિંગ, ઇજાગ્રસ્ત થયા બાદ કહ્યું “હવે નહીં ભાગું”

સુરતના ગોડાદરા વિસ્તારમાં ડબલ મર્ડર કેસના આરોપી શિવા ઉર્ફે શિવો ટકલા પર રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસને ફાયરિંગ કરવું પડ્યું. આરોપી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જેના પગલે પગમાં બે રાઉન્ડ ગોળી લાગી અને તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. હોસ્પિટલમાં આવતા શિવા ટકલા બોલ્યો કે, “સાહેબ ભૂલ થઈ ગઈ, હવે નહીં થશે, હવે નહીં ભાગું, મને છોડી દો.” અસલમાં શિવા ટકલા પર ગુજસીટોક, હત્યા સહિત ૧૦ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. એક મહિના પહેલા જ તે પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો હતો. આરોપીએ રૂપિયા લેતીદેતીના મામલે ત્રણ યુવકોનું અપહરણ કર્યું, જેમાંથી બેની હત્યા કરી, ત્રીજા યુવકને મુક્ત કરાવ્યું. ડીસીપી આલોક કુમારએ જણાવ્યું કે આરોપીની ધરપકડ અમદાવાદથી કરવામાં આવી હતી. રસ્તામાં વોમિટ થવાનો બહાનું બતાવતા, તે પથ્થર વડે…