ગુજરાતને મળશે નવા DGP : વિકાસ સહાય આવતીકાલે થશે નિવૃત, નવા DGPના નામ પર અટકળો

ગુજરાત રાજ્યને ટૂંક સમયમાં નવા પોલીસ વડા મળવાના છે. હાલના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (DGP) વિકાસ સહાય આવતીકાલે નિવૃત થવાના છે. તેમને મળેલા 6 મહિનાના એક્સ્ટેન્શનનો આવતીકાલે અંત આવી રહ્યો છે. આ સાથે જ પોલીસ ભવનમાં તેમના વિદાય સમારંભની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

વિકાસ સહાય 1989 બેચના વરિષ્ઠ IPS અધિકારી છે. મૂળરૂપે તેઓ 30 જૂને નિવૃત થવાના હતા, પરંતુ રાજ્ય સરકાર દ્વારા તેમને 31 ડિસેમ્બર સુધી એક્સ્ટેન્શન આપવામાં આવ્યું હતું. હવે આવતીકાલે તેમનો સત્તાવાર વિદાય સમારંભ યોજાશે, જેમાં તમામ પોલીસકર્મીઓને વરધીમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.

content_image

નવા DGPને લઈને અટકળો તેજ
વિકાસ સહાયને ફરી એક્સ્ટેન્શન મળશે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ હવે આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. વિદાય સમારંભની જાહેરાત થતાં સ્પષ્ટ થઈ ગયું છે કે ગુજરાતને હવે નવા DGP મળશે.

હાલ રાજ્યના નવા DGP તરીકે કોણ જવાબદારી સંભાળશે તે અંગે અટકળો તેજ બની છે. સિનિયોરિટી મુજબ અનેક વરિષ્ઠ IPS અધિકારીઓના નામ ચર્ચામાં છે. સરકાર તરફથી નવા DGP અથવા ઇન્ચાર્જ DGPના નામની સત્તાવાર જાહેરાત આવતીકાલે સાંજ સુધીમાં થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

DGPની રેસમાં આ નામો આગળ
મળતી માહિતી મુજબ,
– IPS ડૉ. કે.એલ.એન. રાવ DGPની રેસમાં સૌથી આગળ હોવાનું માનવામાં આવે છે.
– અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિક પણ દાવેદાર તરીકે ચર્ચામાં છે.
– આ ઉપરાંત ડૉ. નિરજા ગોટરૂનું નામ પણ સંભાવિત યાદીમાં સામેલ છે.

લાંબા સમય સુધી રાજ્યની કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સંભાળ્યા બાદ હવે વિકાસ સહાયનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે અને ગુજરાત પોલીસને નવા નેતૃત્વની રાહ છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે PM મોદી અને નેતન્યાહૂ વચ્ચે ટેલિફોનિક વાતચીત, 4 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને બદલાતા વૈશ્વિક રાજદ્વારી સમીકરણો વચ્ચે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોન પર મહત્વપૂર્ણ વાતચીત કરી છે. ગુરુવારે થયેલી આ વાતચીત દરમિયાન બંને નેતાઓએ ભારત અને ઈઝરાયલ વચ્ચેના સંબંધો, સુરક્ષા સ્થિતિ અને ભવિષ્યના સહયોગ અંગે ચર્ચા કરી હતી. બંને દેશોના વડાપ્રધાનો વચ્ચે થયેલી આ વાતચીતને વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે હાલ પશ્ચિમ એશિયામાં અનેક પડકારો અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ સામે આવી રહ્યા છે. બંને નેતાઓએ વર્તમાન પરિસ્થિતિ અંગે પોતાના વિચારો રજૂ કર્યા અને પરસ્પર સહયોગ વધારવા પર ભાર મૂક્યો. ચાર મુખ્ય મુદ્દાઓ પર થઈ ચર્ચા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતમાં મુખ્યત્વે ચાર મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.…

દેશભરમાં મેઘતાંડવ યથાવત, હિમાચલથી કેરળ સુધી ભારે વરસાદનો કહેર : અનેક રાજ્યોમાં પૂર અને ભૂસ્ખલન

દેશભરમાં ચોમાસું હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. ક્યાંક ભૂસ્ખલન, ક્યાંક મકાન ધરાશાયી થવાની ઘટનાઓ તો ક્યાંક રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને કેરળ સહિત અનેક રાજ્યોમાં વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યું છે. હિમાચલ પ્રદેશમાં સૌથી વધુ તબાહી હિમાચલ પ્રદેશમાં ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધી વરસાદ સંબંધિત દુર્ઘટનાઓમાં 64 લોકોના મોત થયા છે. રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના જણાવ્યા મુજબ ભારે વરસાદ, ભૂસ્ખલન અને અચાનક આવેલા પૂરના કારણે રાજ્યમાં અત્યાર સુધી અંદાજે 797 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ભારે વરસાદને કારણે રાજ્યના 120 રસ્તાઓ બંધ થઈ…