રાજ્યમાં 26 સિનિયર IAS અધિકારીઓની બદલી: મુખ્યમંત્રી કાર્યાલય અને મહત્વના વિભાગોમાં ફેરફાર

રાજ્ય સરકાર દ્વારા વહીવટી સ્તરે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. કુલ 26 સિનિયર IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ બદલીઓમાં સૌથી મહત્વપૂર્ણ નિમણૂક તરીકે સંજીવ કુમારને મુખ્યમંત્રી કાર્યાલય (CMO)માં પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે મુકવામાં આવ્યા છે. સાથે જ તેમને ગૃહ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીનો વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે.   ક્રમાંક અધિકારીનું નામ નવી નિમણૂક / બદલી 1 સંજીવ કુમાર અગ્ર સચિવ તરીકે મુખ્યમંત્રી કાર્યાલયમાં નિમણૂક 2 ડો. વિક્રાંત પાંડે અધિક અગ્ર સચિવ, મુખ્યમંત્રી કાર્યાલય 3 ડો. વિક્રાંત પાંડે ઇન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ વિભાગની જવાબદારી 4 અજય કુમાર મુખ્યમંત્રી કાર્યાલયમાં સચિવ 5 આર.સી. મીણા કૃષિ વિભાગના અગ્ર સચિવ તરીકે બદલી 6 અરુણ કુમાર સોલંકી અધિક મુખ્ય સચિવ, કૃષિ વિભાગ 7 અરુણ કુમાર સોલંકી ગુજરાત સ્ટેટ વેરહાઉસ કોર્પોરેશનનો…

ગુજરાત સરકારનો મોટો નિર્ણય, GIFT સિટીમાં દારૂના નિયમો વધુ હળવા

ગુજરાતના વૈશ્વિક આર્થિક હબ સમાન GIFT સિટીને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સ્પર્ધાત્મક અને આકર્ષક બનાવવા માટે રાજ્ય સરકારે દારૂબંધીના નિયમોમાં મહત્વપૂર્ણ રાહત આપી છે. સરકાર દ્વારા જાહેર કરાયેલી નવી નોટિફિકેશન મુજબ હવે ગિફ્ટ સિટીની મુલાકાત લેતા પ્રવાસીઓ અને બહારના નાગરિકોને દારૂ પીવા માટે પરમિટ લેવાની ફરજ રહેશે નહીં. આ નિર્ણય ખાસ કરીને આંતરરાષ્ટ્રીય રોકાણકારો, વિદેશી મહેમાનો અને કોર્પોરેટ સેક્ટરની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. નવા નિયમોની મુખ્ય બાબતો સરકારના જાહેરનામા અનુસાર, ગિફ્ટ સિટીમાં ‘વાઇન એન્ડ ડાઈન’ સુવિધાને વધુ સરળ બનાવવામાં આવી છે. ગુજરાત બહારથી આવતા પ્રવાસીઓ તેમજ વિદેશી નાગરિકોને હવે દારૂ સેવન માટે અલગ પરમિટ લેવાની જરૂર રહેશે નહીં. તેઓ માત્ર પોતાનું માન્ય ઓળખપત્ર બતાવીને ગિફ્ટ સિટીની અધિકૃત હોટલ, રેસ્ટોરન્ટ અથવા ક્લબમાં દારૂ…

કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 17.92 લાખ ખેડૂતોને રૂ. 5,330 કરોડથી વધુની સહાય, જાણો વિગત

રાજ્યમાં તાજેતરમાં થયેલા કમોસમી અને ભારે વરસાદથી થયેલા નુકસાન બાદ ખેડૂતોને તાત્કાલિક રાહત મળે તે હેતુથી રાજ્ય સરકારે ઐતિહાસિક પગલાં લીધાં છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં કૃષિ રાહત પેકેજ અને ટેકાના ભાવે ખરીદીની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક બાદ પત્રકારોને માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ માટે ખૂબ જ ટૂંકા સમયગાળામાં બે અલગ-અલગ ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યા હતા, જેનાથી રાજ્યના લાખો ખેડૂતોને સીધી રાહત મળી છે. 5,330 કરોડથી વધુની સહાય સીધી બેંક ખાતામાં પ્રવક્તા મંત્રીના જણાવ્યા અનુસાર, આ બંને કૃષિ રાહત પેકેજ અંતર્ગત ખેડૂતોને સહાય આપવા માટે અત્યાર સુધીમાં 23.18 લાખ ખેડૂતોના કુલ રૂ. 6,890.98…

રાજકોટના એડિશનલ કલેક્ટર આલોક ગૌતમની બદલી; નાયબ મુખ્યમંત્રીના અંગત સચિવ તરીકે નિમણૂક

રાજ્ય સરકાર દ્વારા મોટા વહીવટી ફેરફાર કરવામાં આવ્યા છે. રાજકોટના એડિશનલ કલેક્ટર તરીકે ફરજ બજાવી રહેલા આલોક ગૌતમની બદલી કરવામાં આવી છે. તેમને નાયબ મુખ્યમંત્રી હર્ષ સઘવીના અધિક અંગત સચિવ તરીકે પ્રતિનિયુક્તિના ધોરણે નિમણૂક આપવામાં આવી છે. સરકારી ઠરાવ મુજબ, નાયબ મુખ્યમંત્રીના અંગત સ્ટાફ માટે મંજૂર કરવામાં આવેલી જગ્યાઓ પર આ નિમણૂક કરવામાં આવી છે. આલોક ગૌતમ રાજકોટમાં માત્ર એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં જ તેમની બદલી કરવામાં આવી છે, જેને લઈને વહીવટી વર્તુળોમાં ચર્ચા જોવા મળી રહી છે. રાજ્ય સરકારના આ નિર્ણયને વહીવટી કાર્યક્ષમતાને વધુ મજબૂત બનાવવા માટે લેવાયેલ પગલું માનવામાં આવી રહ્યું છે. ગૌતમ તેમના નવા પદ પર નાયબ મુખ્યમંત્રીના કાર્યાલયમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળશે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website :…

ગુજરાત : 11 તાલુકાઓ વિકાસશીલ જાહેર, સરકાર દર વર્ષે ફાળવશે કુલ ₹3 કરોડની ગ્રાન્ટ

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના સર્વાંગી અને સંતુલિત વિકાસને વેગ આપવા વધુ 11 તાલુકાઓને ‘વિકાસશીલ તાલુકા’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિર્ણયથી હવે આ તાલુકાઓને ખાસ ગ્રાન્ટ અને વિકાસ યોજનાઓનો લાભ મળશે. માનવ વિકાસ સૂચકાંકના આધારે પસંદગી રાજ્ય સરકાર માનવ વિકાસ સૂચકાંક (HDI) હેઠળના 44 સામાજિક અને આર્થિક નિર્દેશાંકોને ધ્યાનમાં રાખીને નવા વિકાસશીલ તાલુકા પસંદ કરે છે. આ તાલુકાઓમાં ટૂંકા અને લાંબા ગાળાની વિવિધ વિકાસ યોજનાઓ અમલમાં મૂકી સર્વોચ્ચ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. દર વર્ષે કુલ ₹3 કરોડની ગ્રાન્ટ નવા વિકાસશીલ તાલુકાઓને નીચે મુજબની વાર્ષિક ગ્રાન્ટ ફાળવાશે: – ₹2 કરોડ — વિકાસશીલ તાલુકા યોજના અંતર્ગત – ₹1 કરોડ — ATVT (આપણો તાલુકો–વાઇબ્રન્ટ તાલુકો) યોજના હેઠળ – કુલ ગ્રાન્ટ: ₹3 કરોડ પ્રતિ તાલુકો પ્રતિ વર્ષ…

ગુજરાતમાં 5 જમીન દફ્તર અધિક્ષકોની બઢતી, નાયબ નિયામક તરીકે નિયુક્તિ

ગુજરાત રાજ્યના સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકની કચેરી હેઠળ કામ કરતા 5 જેટલા જમીન દફ્તર અધિક્ષકોને હંગામી ધોરણે નાયબ નિયામક, જમીન દફતર તરીકે બઢતી આપી નિયુક્તિ આપવામાં આવી છે. જમીન દફતર અધિક્ષક, વર્ગ-૧ (પગાર ધોરણ રૂ. 56,100–1,77,500, પે મેટ્રિક્સ લેવલ-10) સંવર્ગમાં ફરજ બજાવતા અધિકારીઓને હવે નાયબ નિયામક, જમીન દફતર, વર્ગ-૧ (પગાર ધોરણ રૂ. 78,800–2,09,200, પે મેટ્રિક્સ લેવલ-12) સંવર્ગમાં હંગામી રીતે બઢતી આપવામાં આવી છે. આ નિયુક્તિ હેઠળ, અધિકારીઓને તેમની કચેરીમાં જમીન દફ્તર અધિક્ષક, વર્ગ-૧ સંવર્ગની જગ્યાએ કામગીરી સંભાળવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ પગલાં રાજ્યના જમીન વિભાગના કાર્યક્ષમતા અને પ્રશાસનિક સુવ્યવસ્થા વધારવાના હેતુથી લેવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓની નિયુક્તિ અને બઢતીની પૂર્ણ યાદી જાહેર કરવામાં આવી છે, જેથી જાહેરમાં સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ રહે.…

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અન્ય મંત્રીઓના PA-PS નિમણૂકની કરાઈ જાહેરાત, જુઓ યાદી

ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણ બાદ તમામ મંત્રીઓ માટે ખાતાની ફાળવણી બાદ હવે અંગત સચિવ (PA), અધિક અંગત સચિવ અને મદદનીશ સ્ટાફની નિમણૂક પણ કરી લેવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી માટે અંગત સચિવ, અધિક અંગત સચિવ અને અંગત મદદનીશની નિમણૂક થઈ ગઈ છે. આ સાથે જ કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓ માટે પણ તેમના સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે. આ નિમણૂકથી હવે દરેક મંત્રીએ પોતાની કામગીરીને વધુ અસરકારક રીતે ચલાવવાની તૈયારી શરૂ કરી છે. રાજ્ય સરકારે તમામ PA-PS અને મદદનીશ સ્ટાફ માટે કાર્યક્રમ પ્રમાણે જવાબદારી અને કામગીરીનું વિતરણ કર્યું છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

સખીમંડળની બહેનોનું ‘Winter Bliss’ હેમ્પર કલેક્શન, ગ્રામ્ય મહિલાઓ માટે નવી આજીવિકા તક

ગુજરાતની પરંપરા, શુદ્ધતા અને પૌષ્ટિકતાને એક જ છત્ર નીચે લાવી સ્વ સહાય જૂથનાં બહેનોને સ્થિર રોજગાર, ટકાઉ આજીવિકા અને મૂલ્યવર્ધિત બજાર પ્રદાન કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અનેકવિધ નવતર આયામો હાથ ધર્યા છે. ગુજરાતની ગ્રામ્ય મહિલાઓ દ્વારા બનાવાયેલ પરંપરાગત શિયાળાના પૌષ્ટિક ઉત્પાદનોનું પ્રીમિયમ હેમ્પર કલેક્શન એવા અનોખી પહેલ “Winter Bliss” પ્રીમિયમ શિયાળુ પૌષ્ટિક હેમ્પર કેટલોગનું આજે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા એ મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ રાજ્ય મંત્રીશ્રી સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં વિમોચન કર્યું હતું. “Winter Bliss” શું છે? “Winter Bliss” ગુજરાતની ગ્રામ્ય મહિલાઓ દ્વારા બનાવાયેલ પરંપરાગત શિયાળાના પૌષ્ટિક ઉત્પાદનોનું પ્રીમિયમ હેમ્પર કલેક્શન છે. આ પહેલના માધ્યમથી સ્વ સહાય જૂથની બહેનોની આવકમાં વધારો, તેમના ઉત્પાદનોને…

કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા ઝડપી મદદ, અત્યાર સુધી રૂ. 1098 કરોડની સહાય જમા

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદે રાજ્યના અનેક ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફેરવ્યું હતું, તેવા કપરા સમયમાં ગુજરાત સરકારે ખેડૂતોની પડખે અડીખમ ઉભા રહીને સંવેદનશીલતા અને સક્રિયતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, કમોસમી વરસાદમાં ખેડૂતોના પાકને થયેલા નુકશાન સામે તેમને મદદરૂપ થવાના આશય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળની રાજ્ય સરકારે રેકોર્ડબ્રેક સમયમાં પંચ રોજકામ પૂર્ણ કરીને ઐતિહાસિક રૂ. 10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. આ પેકેજ હેઠળ સહાય મેળવવા માટે અરજી પ્રક્રિયા પણ રાજ્ય સરકારે ખૂબ જ ટૂંકા સમયમાં શરૂ કરી દીધી હતી. રાજ્યનો કોઈપણ નુકશાનગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત ન રહી…

રાજ્ય સરકારનો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય, રાહત પેકેજ માટે અરજીની તારીખ 5 ડિસેમ્બર સુધી લંબાવી

ગુજરાત સરકારએ ખેડૂતોના હિતમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા કૃષિ રાહત પેકેજ માટેની અરજી કરવાની છેલ્લી તારીખમાં 7 દિવસનો વધારો કર્યો છે. હવે ખેડૂતો 5 ડિસેમ્બર સુધી અરજી કરી શકશે. તાજેતરના કમોસમી વરસાદ અને વાવાઝોડાથી પાકને થયેલા ભારે નુકસાનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ રાહત પેકેજ જાહેર કર્યું હતું. પરંતુ અનેક ખેડૂતોને ટેકનિકલ સમસ્યાઓ, દસ્તાવેજોની અછત અને વહીવટી પ્રક્રિયાની મુશ્કેલીઓના કારણે સમયસર અરજી કરવામાં વિલંબ થયો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક નિર્ણય લઈને સમય મર્યાદામાં વધારો કર્યો છે. સરકારના જણાવ્યા મુજબ, “એકપણ યોગ્ય લાભાર્થી વળતરથી વંચિત ન રહી જાય તે સરકારની પ્રાથમિકતા છે.” અગાઉ અરજી કરવાની અંતિમ તારીખ 28 નવેમ્બર હતી, જેને હવે લંબાવીને 5 ડિસેમ્બર કરવામાં આવી છે.…