વલસાડના ધરમપુરમાં ચિંતન શિબિરનો પ્રારંભ: મુખ્યમંત્રી, મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ વંદે ભારત દ્વારા પહોંચ્યા
ગુજરાત સરકારની વહીવટી ગંભીરતા અને કાર્યક્ષમતામાં વધારો કરવાનો મહત્વપૂર્ણ પ્રયાસ મનાતા “ચિંતન શિબિર”નું આયોજન વલસાડ જિલ્લાના ધરમપુર નજીક સ્થિત શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે આજથી શરૂ થયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓએ આજે વહેલી સવારે અમદાવાદથી વંદે ભારત સુપરફાસ્ટ ટ્રેનમાં સામૂહિક પ્રવાસ કરીને વલસાડ માટે પ્રસ્થાન કર્યું. વંદે ભારત દ્વારા સામૂહિક મુસાફરી – સંદેશામાં સાદગી અને સંકલ્પ ચિંતન શિબિરમાં સહભાગી થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય મંત્રીમંડળના સભ્યો, મુખ્યસચિવ મનોજ કુમાર દાસ સહિતના વરિષ્ઠ અધિકારીઓ એકસાથે વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી પહોંચ્યા. આ પગલાથી સરકારનો એક સ્પષ્ટ સંદેશ આપવાનો હેતુ હતો. પરંપરાગત પ્રોટોકોલથી વધી ‘સાદગી, સમય અને સંસાધનોના યોગ્ય ઉપયોગ’ તરફ વળવું. ચિંતન શિબિર: વર્ષ 2003થી શરૂ થયેલી પરંપરાનો 12મો સંસ્કરણ વર્ષ 2003માં…
કૃષિ રાહત પેકેજ: ખેડૂતોએ વેબસાઇટ પર ફોર્મ ન ભરાતા મૂંઝવણનો સામનો કર્યો
ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં ઉભા પાકનું નુકસાન થયું છે. આ સંદર્ભમાં, રાજ્ય સરકાર દ્વારા 11 હજાર કરોડ રૂપિયાના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. પ્રતિ હેક્ટર 22 હજાર રૂપિયાનું સહાયતા ખેડૂતોને આપવામાં આવશે. આ સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા આજે, 14 નવેમ્બર 2025થી શરૂ કરવામાં આવી હતી. પરંતુ, ખેડૂતોને વેબસાઇટ પર ફોર્મ ભરવામાં મુશ્કેલી આવી રહી હતી. હવે, ઓનલાઇન ફોર્મ ભરવા માટેની માહિતી વેબસાઇટ પર ઉપલબ્ધ ન થવાથી ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. આ મુદ્દે ખેડૂતોએ ગ્રામીણ સેવકોથી મદદ માંગતા, જેમણે તેમને માત્ર જરૂરી દસ્તાવેજોની ફાઈલ એકત્રિત કરવા માટે જણાવવામાં આવ્યું હતું, કારણ કે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા બંધ રહી હતી. કૃષિ મંત્રી જીતુ વાઘાણીે જણાવ્યું કે, કમોસમી વરસાદથી થયેલા નુકસાને પગલે 10 હજાર…
ગુજરાતમાં 16 હજાર ગામોનો સર્વે પૂર્ણ, 42 લાખ હેક્ટર વિસ્તારમાં પાકમાં થયું નુકસાન
રાજ્યમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોને થયેલા મોટા પાયે નુકસાન અંગે રાજ્ય સરકાર સક્રિય બની છે. આ અંગે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, રાજ્યના 16 હજાર ગામોમાં સર્વે પૂર્ણ થઈ ગયો છે અને અંદાજે 42 લાખ હેક્ટર વિસ્તારમાં પાકનું નુકસાન નોંધાયું છે. મંત્રીએ જણાવ્યું કે, ખેડૂતોને થયેલા આ નુકસાન માટે રાહત પેકેજ તૈયાર કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે, તેમજ એકપણ ખેડૂત સાથે અન્યાય ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. “ખેડૂતોના બગડેલા પાક માટે ટૂંક સમયમાં જ વળતર જાહેર કરવામાં આવશે. અમે સંવેદના સાથે ખેડૂતોની સાથે છીએ,” એમ જીતુ વાઘાણીએ જણાવ્યું. વધારાનું ફંડ અને રાહત પગલાં મંત્રીએ વધુમાં જણાવ્યું કે રાહત પેકેજ માટે SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ…
દિવાળીએ ખેડૂતો માટે ખુશીના સમાચાર, ગુજરાત સરકારે 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતો માટે દિવાળી પર મોટી રાહતના સમાચાર જાહેર કરવામાં આવ્યા છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025 દરમ્યાન થયેલી અતિવૃષ્ટિના કારણે થયેલા ખેડૂતોના નુકસાનને ધ્યાને લઇને રાજ્ય સરકારે રૂ. 947 કરોડના કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે. કયા જિલ્લાઓને મળશે લાભ? આ રાહત પેકેજ મુખ્યત્વે નીચેના 5 જિલ્લાઓના 18 તાલુકાઓ માટે લાગુ પડશે: – પંચમહાલ – કચ્છ – વાવ-થરાદ (બનાસકાંઠા) – પાટણ – જૂનાગઢ પાક પ્રમાણે સહાયની વિગતો: પાકનો પ્રકાર સહાય રકમ (પ્રતિ હેક્ટર) મહત્તમ મર્યાદા બિનપિયત પાક ₹12,000 2 હેક્ટર પિયત પાક ₹22,000 2 હેક્ટર બાગાયતી પાક ₹27,500 2 હેક્ટર જમીન સુધારણા (ખાસ: વાવ-થરાદ, પાટણ) ₹20,000 2 હેક્ટર પેકેજની રૂપીયાવારી વિભાજન: – ₹563 કરોડ – SDRF (State Disaster Response Fund) હેઠળ – ₹384…
ગુજરાત કેબિનેટમાં નવા મંત્રીઓને ખાતાઓ ફાળવાયા, જાણો કોને ક્યું મંત્રાલય મળ્યું
ગુજરાતમાં નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ અને તેમાં મંત્રીઓને ખાતાઓ ફાળવણી કરવામાં આવી. આવતીકાલે (18 ઓક્ટોબર)થી નવા મંત્રીઓ પોતાના સંબંધિત વિભાગોનું પદભાર સંભાળશે. ક્રમ મંત્રીનું નામ હોદ્દો ફાળવાયેલા ખાતા 1 હર્ષ સંઘવી ઉપ મુખ્યમંત્રી ગૃહ, કાયદો અને ન્યાય; રમતગમત અને યુવા 2 કનુ દેસાઈ કેબિનેટ મંત્રી નાણા અને શહેરી વિકાસ 3 ઋષિકેશ પટેલ કેબિનેટ મંત્રી ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ 4 કુંવરજી બાવળિયા કેબિનેટ મંત્રી શ્રમ અને રોજગાર 5 અર્જુન મોઢવાડિયા કેબિનેટ મંત્રી વન અને પર્યાવરણ; વિજ્ઞાન અને ટેક્નોલોજી 6 જીતુ વાઘાણી કેબિનેટ મંત્રી કૃષિ અને સહકાર 7 રમણ સોલંકી કેબિનેટ મંત્રી અન્ન અને નાગરિક પુરવઠો; ગ્રાહક સુરક્ષા 8 પ્રદ્યુમન વાજા કેબિનેટ મંત્રી સામાજિક ન્યાય; પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ 9 નરેશ પટેલ…
અમિત શાહનો ગુજરાત પ્રવાસ રદ: શપથ ગ્રહણ સમારોહમાં નહીં રહે ઉપસ્થિત
ગુજરાતના રાજકારણમાં નવા મંત્રીમંડળના શપથગ્રહણ પૂર્વે મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના ગુજરાત પ્રવાસને રદ કર્યો છે, અને તેથી તેઓ 17 ઓક્ટોબરના શપથગ્રહણ સમારોહમાં હાજર રહી શકશે નહીં. તેમની હાજરીની અપેક્ષા હતી, પરંતુ તેઓ હાલમાં બિહાર પ્રવાસે હોય જેના કારણે ઉપસ્થિત રહી શકશે નહીં. નવા મંત્રીમંડળ માટે તૈયારીઓ આખરી ચરણમાં ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે શપથવિધિ માટે તૈયારીઓ તેજ ગતિએ ચાલી રહી છે. રાજ્યમાં કોને મંત્રીપદ મળશે અને કોનું પત્તું કપાશે તે અંગેનું સ્પષ્ટ ચિત્ર આવતીકાલે સામે આવશે. સૂત્રોના મતે, કેટલાક ધારાસભ્યોને શપથ માટે ફોન દ્વારા તૈયારી રાખવા સૂચના મળી ગઈ છે. શપથ બાદ તરત કેબિનેટ બેઠકની સંભાવના – 17 ઓક્ટોબર, 2025: નવા મંત્રીમંડળની શપથવિધિ – શપથ બાદ: મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક…
દિવાળીમાં અન્નથી ઘર ઘર થશે ઉજાસ: 75 લાખથી વધુ રેશનકાર્ડ ધારકોને અનાજ, શ્રીઅન્ન, ખાંડ અને ખાદ્યતેલનું વિતરણ શરૂ
દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના કરોડો નાગરિકોને ખુશીની ભેટરૂપે મફત અનાજ અને રાશન સામગ્રીનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા (N.F.S.A.-2013) હેઠળ આવતા 75 લાખથી વધુ રેશનકાર્ડ ધારકોના આશરે 3.26 કરોડ સભ્યોને ઘઉં, ચોખા, બાજરી-જુવાર (શ્રીઅન્ન) સહિત અન્ય પોષક ખાદ્યપદાર્થો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. રાજ્યભરના 17,000થી વધુ વાજબી ભાવની દુકાનોએ આ વિતરણ કામગીરી આરંભી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લઈ સમાજના આર્થિક રીતે નબળા વર્ગના લોકો સુધી પોષણયુક્ત ભોજન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. વિતરણના મુખ્ય ઘટકો: 1. અનાજ વિતરણ (વિનામૂલ્યે): અંત્યોદય અન્ન યોજના (A.A.Y.): પ્રતિ રેશનકાર્ડ 35 કિલો અનાજ અગ્રતા ધરાવતા કુટુંબો (P.H.H.): વ્યક્તિદીઠ 5 કિલો અનાજ 2. શ્રીઅન્ન (મિલેટ્સ) વિતરણ: બાજરી…
દિવાળી પહેલા સરકારી કર્મચારીઓએ કરી મોટી માંગ, CMને કર્મચારી મહામંડળે કરી રજૂઆત
કેન્દ્ર સરકારે તાજેતરમાં પોતાની કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું (DA) 3 ટકા વધારવાની જાહેરાત કરી હતી. તેના અનુસંધાનમાં હવે ગુજરાતના સરકારી કર્મચારીઓએ પણ રાજ્યમાં મોંઘવારી ભથ્થા વધારવાની ઉગ્ર માંગ કરી છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને સચિવાલય કર્મચારી ફેડરેશન દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને નાણામંત્રીને લેખિત રીતે રજૂઆત કરવામાં આવી છે. 3% મોંઘવારી ભથ્થાની માંગ રાજ્યના કર્મચારીઓએ માંગ કરી છે કે જુલાઈ 2025થી મોંઘવારી ભથ્થું 3 ટકા વધારવામાં આવે. કર્મચારી મંડળોનું માનવું છે કે જ્યારે કેન્દ્રના કર્મચારીઓને લાભ મળ્યો છે, ત્યારે રાજ્યના કર્મચારીઓ માટે પણ સમાન હક્ક હોવો જોઈએ. તેમનું કહેવું છે કે આ માત્ર ન્યાયનો મુદ્દો નથી, પણ કર્મચારીઓના ઉત્પાદકતાનો, પ્રેરણા અને સંતોષનો પણ મુદ્દો છે. હાલમાં રાજ્ય સરકાર તરફથી કોઈ ઔપચારિક નિવેદન આપવામાં આવ્યું નથી, પરંતુ…
મહિલા કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો હિતલક્ષી નિર્ણય, જાણો શું છે નિર્ણય
ગુજરાત સરકારે રાજ્યની મહિલા કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ અને હિતલક્ષી નિર્ણય કર્યો છે. હવે સરકારી નોકરીમાં જોડાણ પૂર્વે માતા બનેલી મહિલાઓને પણ માતૃત્વ રજા (મેટરનિટી લીવ) મળશે. આ નિર્ણયથી હજારો વર્કિંગ વુમનને રાહત મળશે, જે નોકરી પહેલાં માતા બન્યા બાદ માતૃત્વના અધિકારથી વંચિત રહી હતી. શું છે નવો નિયમ? રાજ્ય નાણાં વિભાગે આ અંગે પરિપત્ર જાહેર કર્યો છે. નવા નિયમ મુજબ, જો મહિલા કર્મચારી નોકરીમાં જોડાતા પહેલા માતા બની હોય તો: બાળકના જન્મની તારીખથી 180 દિવસની અંદરનો સમયગાળો ગણવામાં આવશે. જો નોકરીમાં જોડાણ 180 દિવસ પછી થાય, તો જેટલા દિવસ બાકી રહે, એટલી મેટરનિટી લીવ માન્ય રહેશે. તે દરમિયાન અન્ય કોઈ ખાસ શરતો લાગુ નહીં પડે. આ નિર્ણય ગુજરાત મુલ્કી સેવા રજાના નિયમો અંતર્ગત લેવામાં આવ્યો છે…
પહેલગામ આતંકી હુમલાને લઇ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાનું નિવેદન આવ્યું સામે
જમ્મૂ-કાશ્મીરના પહલગામમાં થયેલા અમાનવીય અને ધૃણાસ્પદ આતંકી હુમલામાં નિર્દોષ પ્રવાસીઓ અને સ્થાનિકો સહિત ત્રણ ગુજરાતીઓના શહીદ થવાના સમાચાર પર રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ દુઃખ વ્યક્ત કર્યું હતું. આ આતંકી હુમલા અંગે નિવેદન આપતા રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં રહેતા યતિશભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિતભાઈ પરમાર તેમજ સુરત શહેરના વરાછાના વતની અને હાલ મુંબઈ રહેતા શૈલેશભાઈ કળથિયાના દુઃખદ અવસાનની ખબરથી સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ ખેદજનક અને માનવતા વિરોધી ઘટનાની સમગ્ર વિશ્વના લોકો તરફથી તીવ્ર નિંદા કરવામાં આવે છે. સુરત અને ભાવનગર સાથે રાજ્યના લોકો શહીદ થયેલા પરિવારજનો પ્રત્યે ઊંડા દુઃખની લાગણી સાથે સાંત્વના પાઠવે છે. વધુમાં રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કહ્યું કે, શહીદ શૈલેષભાઈના મૃતદેહ અને તેમના…
















