મહીસાગર: કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
મહીસાગર જિલ્લાના જિલ્લા સેવા સદન સભાખંડમાં કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોની કામગીરી તેમજ જાહેરહિતના મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન આવનારા પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને જરૂરી આયોજન, વ્યવસ્થાઓ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ જિલ્લામાં વિવિધ કચેરીઓમાં લાંબા સમયથી પડતર રહેલી અરજીઓના નિકાલની સમીક્ષા કરી કલેક્ટરએ સમયમર્યાદામાં અરજીઓનો નિકાલ કરવા અધિકારીઓને સૂચના આપી હતી. નાગરિક અધિકારપત્ર અંતર્ગત મળતી અરજીઓ અંગે પણ બેઠકમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરએ સરકારી કચેરીઓની કામગીરીની તપાસણી કરી સેવાઓ વધુ અસરકારક અને પારદર્શક બને તે માટે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત બાકી રહેલા સરકારી લેણાંની વસૂલાત ઝડપથી કરવા તેમજ સરકારી કર્મચારીઓના…
જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ મહીસાગર જિલ્લાની મુલાકતે
મહીસાગર જિલ્લામાં જળસંપત્તિ અને પીવાના પાણીની સુવિધાઓને વધુ મજબૂત બનાવવા રાજ્યના જળસંપત્તિ તથા પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે ખાનપુર અને કડાણા તાલુકાના વિવિધ ગામોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ચાલી રહેલી સિંચાઈ અને પાણી પુરવઠા યોજનાઓનું સ્થળ નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. મંત્રીએ ખાનપુર–પાદેડી ઉદવહન સિંચાઈ યોજનાની ખાસ મુલાકાત લીધી હતી. રૂ. 54 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલી આ યોજના 46 કિલોમીટર લંબાઈ ધરાવે છે. આ યોજનાના પૂર્ણ થવાથી 25 તળાવો ભરાશે તેમજ આશરે 800 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે, જેના કારણે ખેડૂતોને ખેતીમાં મોટી રાહત મળશે. આ ઉપરાંત બામરોડા ગામે કારંટા જૂથ પાણી પુરવઠા યોજનાનું પણ મંત્રીએ નિરીક્ષણ કર્યું હતું. આ યોજનામાં 43 લાખ લિટર ક્ષમતા ધરાવતો સંપ તથા આધુનિક…
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 23 દિવસ ચાલશે, જાણો બેઠકોની વિગત
ગુજરાત વિધાનસભાનું પંદરમી વિધાનસભાનું આઠમું બજેટ સત્ર તા. 16 ફેબ્રુઆરી 2026 થી શરૂ થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા સત્ર બોલાવવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. સત્રની રૂપરેખા અને કામકાજ અંગેની વિગત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા જાહેર કરવામાં આવી છે. સત્રની અવધિ અને બેઠકો ગુજરાત વિધાનસભાનું આ બજેટ સત્ર 16 ફેબ્રુઆરીથી 25 માર્ચ 2026 સુધી ચાલશે. કુલ 23 દિવસના કામકાજ દરમિયાન 26 બેઠકો યોજાશે. સત્રનું મુખ્ય કામકાજ સત્રના પ્રથમ દિવસે એટલે કે 16 ફેબ્રુઆરીએ રાજ્યપાલ ગૃહને સંબોધન કરશે. 17 ફેબ્રુઆરી 2026ના રોજ નાણામંત્રી દ્વારા વર્ષ 2026-27નું બજેટ રજૂ કરવામાં આવશે. બજેટ સાથે વર્ષ 2011-12, 2014-15, 2015-16 અને 2018-19 ના વધારાના ખર્ચના પત્રકો તેમજ 2025-26ના પૂરક અંદાજપત્રો રજૂ કરવામાં આવશે. ચર્ચા અને નાણાકીય કામકાજ રાજ્યપાલના સંબોધન પર ચર્ચા…
ગુજરાત સરકારનો વહીવટી નિર્ણય: IAS ડૉ. રતનકંવર ગઢવીચરણને આરોગ્ય કમિશનર (શહેરી)નો વધારાનો હવાલો
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના આરોગ્ય વિભાગમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા બહાર પાડવામાં આવેલા અધિકૃત જાહેરનામા મુજબ 2009 બેચના IAS અધિકારી ડૉ. રતનકંવર એચ. ગઢવીચરણને આરોગ્ય કમિશનર (શહેરી) તરીકેનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. હાલની જવાબદારી સાથે વધારાનો હવાલો ડૉ. રતનકંવર ગઢવીચરણ હાલમાં આરોગ્ય કમિશનર (ગ્રામીણ) તેમજ રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM)ના મિશન ડિરેક્ટર તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે. સરકારના નવા આદેશ અનુસાર, હવે તેઓ આરોગ્ય કમિશનર (શહેરી)ની જવાબદારી પણ સંભાળશે. આ વ્યવસ્થા ત્યાં સુધી અમલમાં રહેશે, જ્યાં સુધી 2003 બેચના IAS અધિકારી ડૉ. સંધ્યા ભુલ્લર ગાંધીનગર ખાતે આરોગ્ય કમિશનર (શહેરી) તરીકેની પોતાની ફરજો વિધિવત રીતે સંભાળી ન લે. રાજ્યપાલના નામે આદેશ જાહેર આ વહીવટી આદેશ ગુજરાતના રાજ્યપાલના નામે સામાન્ય…
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026: PM મોદી ૧૨ જાન્યુઆરીએ કરાવશે પતંગ મહોત્સવ-2026નો પ્રારંભ
ગુજરાત આગામી ૧૪ જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવા માટે સજ્જ થઈ રહ્યું છે, ત્યારે આગામી ૧૨ જાન્યુઆરી, 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026’નું ઉદ્ઘાટન કરશે. આ ઉદ્ઘાટન સમારોહમાં જર્મનીના ચાન્સેલર ફ્રેડરીક મર્ઝની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026’નું આયોજન પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે. 50 દેશોના 135 પતંગબાજો પતંગ મહોત્સવમાં લેશે હિસ્સો ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026માં 50 દેશોના 135 આંતરરાષ્ટ્રીય પતંગબાજો સહભાગી થશે. આ ઉપરાંત, ગુજરાત સહિત ભારતનાં 14 રાજ્યોમાંથી 936થી વધુ પતંગબાજો ભાગ લેશે. આમ, કુલ મળીને 1071 પતંગ રસિયાઓ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પતંગ ઉડાડશે. વધુમાં, પતંગ મહોત્સવની મુલાકાતે આવતા નાગરિકો માટે ૨૫ હસ્તકલા સ્ટોલ…
સોમનાથ સ્વાભિમાન પર્વમાં હંસરાજ રઘુવંશીના સથવારે હજારો ભાવિકો બન્યા શિવમય
સોમનાથ સ્વાભિમાન પર્વમાં સોમનાથ મંદિર પરિસરમાં સાંસ્કૃતિક કાર્યક્રમના ત્રીજા દિવસે હજારો શિવ ભક્તો જાણીતા ગાયક હંસરાજ રઘુવંશીના શિવ ભકિતના ગીત સંગીતમાં શ્રદ્ધાભાવ સાથે શિવ ભક્તિમાં મંત્રમુગ્ધ થયા હતા. શિવ સમા રહે મૂજમે ઔર મે શૂન્ય હો રહા હું, જયકારા બોલો, જયકારા, મેરા ભોલા હૈ ભંડારી, ભોલે નાથ કી શાદી હૈ તો નાચેંગે સહિતના શિવ ભક્તિ ભજન ગીતમાં પ્રવાસી- ભક્તો શિવ ભક્તિમાં રંગાઈ ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાય રહેલા સ્વાભિમાન પર્વમાં આજે ત્રીજા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમના આકર્ષણને લીધે સોમનાથ મંદિરનું સમગ્ર પરિસર ભક્તોથી ઉભરાઇ ગયું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના સંકલનમાં સોમનાથ સ્વાભિમાન પર્વના કાર્યક્રમોની સુંદર પ્રસ્તુતિ લોકપ્રિય બનતા હજારો શિવ ભક્તો માટે આ પર્વ યાદગાર બન્યું છે. …
ગ્રામીણ વિસ્તારોના સર્વગ્રાહી વિકાસ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય
મુખ્યમંત્રીએ રાજ્યની બધી જ 34 જિલ્લા પંચાયતોના પ્રમુખઓને રૂ. 1 કરોડની વિવેકાધીન ગ્રાન્ટ જે-તે જિલ્લાના સ્થાનિક અગત્યતા ધરાવતા વિકાસ કામો માટે ફાળવવાના દિશાનિર્દેશો આપ્યાં છે. રાજ્યમાં ધારાસભ્યઓને વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત વિકાસ કામો માટે 2.5 કરોડ રકમની ગ્રાન્ટ ફાળવવાની પ્રથા પ્રવર્તમાન છે. મુખ્યમંત્રી સમક્ષ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓએ પોતાના જિલ્લામાં ગ્રામીણ વિકાસ કામોને વેગ મળે અને સ્થાનિક અગત્યતા ધરાવતા કામોને પ્રાથમિકતા આપી શકાય તેવા આશયે જિલ્લા પંચાયતના પ્રમુખોને પણ વિવેકાધીન ગ્રાન્ટ ફાળવવાની રજૂઆતો કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રજૂઆતોનો સકારાત્મક અને ત્વરિત પ્રતિસાદ આપતા આ રૂપિયા એક કરોડની વિવેકાધીન ગ્રાન્ટ જિલ્લા પંચાયત પ્રમુખને ફાળવવાના આદેશો સામાન્ય વહીવટ વિભાગને આપ્યા છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW…
ગુજરાત પોલીસ બેડામાં નવા વર્ષની મોટી ભેટ: 14 આઈપીએસ અધિકારીઓને બઢતી, 3 બન્યા DGP
નવા વર્ષ 2026ના પ્રથમ દિવસે જ ગુજરાત સરકારે પોલીસ પ્રશાસનમાં મહત્વપૂર્ણ ફેરફાર કરતા 14 વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓને બઢતી આપી છે. રાજ્યપાલના આદેશ મુજબ ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી સંજીવ કુમાર દ્વારા આ અંગે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. અધિકારીઓને તેમની સિનિયોરિટી અને કામગીરીના આધારે ઉચ્ચ પદો પર બઢતી આપવામાં આવી છે. ત્રણ અધિકારીઓ DGP ગ્રેડમાં બઢતી 1996 બેચના ત્રણ સિનિયર અધિકારીઓને એડિશનલ ડાયરેક્ટર જનરલ (ADGP)માંથી પ્રમોશન આપી ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) ગ્રેડમાં મૂકવામાં આવ્યા છે. – નરસિમ્હા એન. કોમર: વડોદરા શહેરના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા કોમરને DGP ગ્રેડમાં બઢતી સાથે એ જ પદ પર યથાવત રાખવામાં આવ્યા છે. – ડૉ. પ્રફુલ્લા કુમાર રોશન: રાજકોટ આર્મ્ડ યુનિટના ADGPને હવે DGP (આર્મ્ડ યુનિટ) બનાવવામાં આવ્યા છે.…
નવા વર્ષમાં ગુજરાત પોલીસને મોટી ભેટ: 2013 બેચના 7 IPS અધિકારીઓને સિલેક્શન ગ્રેડમાં બઢતી
ગુજરાત સરકારના ગૃહ વિભાગે નવા વર્ષ 2026ના પ્રારંભે જ રાજ્યના પોલીસ પ્રશાસનમાં મહત્વનો નિર્ણય લીધો છે. 2013 બેચના 7 આઈપીએસ અધિકારીઓને ‘સિલેક્શન ગ્રેડ’માં બઢતી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યપાલના આદેશ મુજબ પ્રિન્સિપલ સેક્રેટરી સંજીવ કુમાર દ્વારા સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે. આ બઢતી હેઠળ સંબંધિત અધિકારીઓને પે-મેટ્રિક્સ લેવલ-13 (રૂ. 1,23,100 થી 2,15,900)નું ઉચ્ચ પગાર ધોરણ ફાળવવામાં આવ્યું છે. આ નિર્ણયથી રાજ્ય પોલીસ બેડામાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સિલેક્શન ગ્રેડમાં બઢતી મેળવનારા IPS અધિકારીઓની યાદી: 1. રાહુલ ત્રિપાઠી – ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (S.O.G.), અમદાવાદ શહેર 2. હિમકર સિંહ – ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઇકોનોમિક વિંગ), અમદાવાદ શહેર 3. રોહન આનંદ – સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ (એન્ટી ઇકોનોમિક ઓફેન્સ વિંગ), CID ક્રાઇમ, ગાંધીનગર 4.…
ગુજરાત: નવા ઈન્ચાર્જ DGP તરીકે ડૉ. કે.એલ.એન. રાવને સોંપાઈ જવાબદારી
ગુજરાત રાજ્યને નવા ઈન્ચાર્જ પોલીસ વડા મળ્યા છે. રાજ્યના પૂર્વ ડીજીપી વિકાસ સહાય આજે સેવા નિવૃત થતા રાજ્ય સરકાર દ્વારા ડૉ. કે.એલ.એન. રાવને ગુજરાતના ઈન્ચાર્જ ડીજીપી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. નોંધનીય છે કે વિકાસ સહાય મૂળતઃ છ મહિના પહેલા નિવૃત થવાના હતા, પરંતુ સરકાર દ્વારા તેમને 31 ડિસેમ્બર સુધી એક્સટેન્શન આપવામાં આવ્યું હતું, જે આજે પૂર્ણ થયું છે. તેમના કાર્યકાળ પૂર્ણ થયા બાદ રાજ્યમાં કાયમી ડીજીપીની નિમણૂંક અંગે અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે હાલ માટે ઈન્ચાર્જ ડીજીપી તરીકે ડૉ. કે.એલ.એન. રાવને જવાબદારી સોંપવાનો નિર્ણય કર્યો છે. ડૉ. રાવ ગુજરાત કેડરના મોસ્ટ સિનિયર આઈપીએસ અધિકારીઓમાં شمارાય છે અને તેમને વહીવટી તથા પોલીસ ક્ષેત્રનો લાંબો અનુભવ છે. ગુજરાતના નવા ડીજીપી તરીકે અનેક…















