ગુજરાતમાં કોંગ્રેસ CWC ની બેઠક શરૂ, જાણો શું છે રણનીતિ
અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આજથી કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન શરૂ થઈ રહ્યું છે. કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) આજે બે દિવસીય સત્રના પહેલા દિવસે મળશે. CWC ની આ બેઠકમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. કોંગ્રેસના સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરી છે. કોંગ્રેસ આ નિર્ણય થોડા મહિનામાં છ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને લેવા જઈ રહી છે. એક વરિષ્ઠ નેતાએ કહ્યું છે કે પ્રિયંકા ગાંધીને એક નિયુક્ત ભૂમિકા આપી શકાય છે. આ કારણે, તેમનો રાજકીય અનુભવ અને જનતા સાથેનું જોડાણ પાર્ટી માટે અસરકારક સાબિત થઈ શકે છે. કોંગ્રેસના અધિવેશનમાં હાજરી આપવા માટે અમદાવાદ પહોંચેલા શશી થરૂરે કહ્યું છે કે અમે દેશની વર્તમાન પરિસ્થિતિનો સામનો કરવા માટેની રણનીતિ પર ચર્ચા કરીશું. શું કહ્યું કોંગ્રેસ…
ઉનાળામાં નહીં સર્જાય પાણીની સમસ્યા ! જાણો રાજ્યના જળાશયોની શું છે સ્થિતિ
રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં સાર્વત્રિક અને પૂરતા પ્રમાણમાં વરસાદ થયો હોવાના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 57 ટકાથી વધારે જળ સંગ્રહ છે જેમાંથી ઉનાળની સીઝનમાં નાગરિકોને જરૂરી પાણી ઉપલબ્ધ કરવામાં આવશે. ગત વર્ષે આ સમયે એટલે કે, તા. 7 એપ્રિલ- 2024ની સ્થિતિએ રાજ્યના 207 જળાશયોમાં 50.84 ટકા જળ સંગ્રહ હતો. આ વર્ષે ઉનાળાની સીઝનમાં રાજ્યના જળાશયોમાં પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે તેમ, જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયા વિગતો આપતાં કહ્યું હતું. મંત્રીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે સુઝલામ સુફલામ્ જળ સંચય અભિયાન,નલ સે જલ અભિયાન જેવા જળ સંચયના અનેક અભિયાનો શરૂ કર્યા હોવાથી જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ગુજરાત આત્મનિર્ભર બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલા…
કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર સાધ્યું નિશાન, જાણો શું કહ્યું
ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનને લઈને ગુજરાતમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન અંગે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું હતું કે, કોંગ્રેસને કોને ઘોડા ગણવા કે કોને ગધેડા ગણવા એ સમજવું મુશ્કેલ છે. આવતીકાલથી બે દિવસ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઇ રહ્યું છે. આ દરમિયાન ગુજરાતમાં કોંગ્રેસને ઘેરાતા ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, રાહુલ ગાંધી ગુજરાતમાં અધિવેશન કરે કે દિલ્હીમાં કરે કોઈ ફરક નહીં પડે. કોંગ્રેસને કોને ઘોડા ગણવા કે કોને ગધેડા ગણવા એ સમજવું મુશ્કેલ છે. કોંગ્રેસને ઘોડા અને ગધેડાને સમજવામાં સમજણ નથી પડતી. અમિત ચાવડાએ ભાજપ પર સાધ્યું નિશાન બીજી તરફ ઋષિકેશ પટેલના આ નિવેદનને લઈને ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ…
Congressએ પોતાના જ નેતાના નામનો કર્યો હતો વિરોધ? જાણો શું કહ્યું અમિત શાહે
અમિત શાહ હાલ ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન અમિત શાહ આજે કલોલ ઈફકો પ્લાન્ટના 50 વર્ષની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અમિત શાહ હાજર રહ્યા હતા. ત્યારે કાર્યક્રમમાં અમિત શાહે કોંગ્રેસ આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસે પોતાના નેતાના નામનો જ વિરોધ કરી રહી છે. અમિત શાહે કહ્યું કે, ઈફકોની 50 વર્ષની ગૌરવ યાત્રા રહી છે. ઈફકો કોર્પોરેટની જેમ ચાલે છે. ઈફકો કુશળતાથી કામ કરી રહ્યું છે. આ સાથે તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું કે, હમણાં જ ત્રિભોવન કાકાના નામે ત્રિભોવન સહકારી યુનિવર્સિટી સ્થાપી. કોંગ્રેસે સ્વભાવ પ્રમાણે વિરોધ કર્યો. ત્રિભોવન કાકાનું નામ કેમ રાખ્યું? મે સાંસદમાં કહ્યું જરા શરમાવ. ત્રિભોવન કાકા આખી જિંદગી કોંગ્રેસમાં રહ્યા. અને તમે કોંગ્રેસીયાવ એનો વિરોધ કરો છો. ત્યારે એમને ખબર જ…
Ahmedabad: જીવરાજપાર્ક ચાર રસ્તા નજીક ACના ગોડાઉનમાં લાગી આગ, બે લોકોના મોતની આશંકા
રાજ્યમાં આગની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન આગની વધુ એક ઘટના સામે આવી છે. અમદાવાદના જીવરાજપાર્ક ચાર રસ્તા પાસે એસીના ગોડાઉનમાં આગની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે લોકોના મોતની આશંકા છે. આગની ઘટનાને લઈને ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. જીવરાજ પાર્ક ચાર રસ્તા નજીક લાગેલી આગની ઘટનાને લઈને 10 જેટલા ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચ્યા છે. આ સાથે જ વેજલપૂરના ધારાસભ્ય અમીત ઠાકર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. ફાયર બ્રિગેડના જવાનો દ્વારાઆગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે. 5 કાર બળીને ખાખ બનાવના પગલે સ્થાનિક લોકોમાં ડરના માહોલ છવાયો છે, જો કે, અત્યાર સુધી કોઈ જાનમાલના મોટા નુકસાનની વિગતો સામે આવી છે. આગની ઘટનાની નજીક પાર્ક કરેલી 5…
આજે BJP સ્થાપના દિવસ, અનેક પડકારો બાદ થઈ આ રીતે સ્થાપના; જાણો ઇતિહાસ
દેશના રાજકીય ઇતિહાસમાં 6 એપ્રિલનું વિશેષ મહત્વ છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી માટે. આજનો દિવસ ભાજપ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે 45 વર્ષ પહેલાં, આજના દિવસે, 6 એપ્રિલ, 1980 માં, ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ હતી. 6 એપ્રિલ 1980નો દિવસ ભારતીય રાજકારણમાં ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ દિવસે ભારતીય જનતા પાર્ટીનો પાયો નંખાયો હતો. આજે તે વિશ્વનો સૌથી મોટો રાજકીય પક્ષ બની ગયો છે. ભાજપ પાર્ટી હવે તેના સ્થાપના દિવસની તૈયારીઓમાં વ્યસ્ત છે. 2014 માં જ્યારે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ કેન્દ્રમાં સત્તા પર આવ્યું, ત્યારે પાર્ટીના કુલ સભ્યોની સંખ્યા 5 થી 6 કરોડની વચ્ચે હતી. હાલ શું છે સ્થિતિ આજે, BJPને વિશ્વની સૌથી મોટી પાર્ટી બનાવવામાં સૌથી મહત્વપૂર્ણ નિર્ણય એ પાર્ટીમાં…
Earthquake: તાલાલામાં ફરી ધ્રુજી ધરા, રિક્ટર સ્કેલ પર નોંધાઈ 2.1 ની તીવ્રતા
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન એપ્રિલ મહિનાના શરૂઆતથી જ ભૂકંપના આંચકા અનુભવાયો છે. તાલાલામાં બપોરના 1:33 કલાકે ભૂંકપનો આંચકો અનુભવાયો ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) અનુસાર, ભૂકંપની તીવ્રતા 2.1 માપવામાં આવી હતી. ગાંધીનગર સ્થિત ISRએ જણાવ્યું હતું કે ભૂકંપનો આંચકો બપોરના 1.33 કલાકે અનુભવાયો હતો. તેનું કેન્દ્ર તાલાલાથી 12 કિલોમીટર નોંધાયું હતું. ભૂકંપથી લોકોમાં ભયનો માહોલ છવાયો છે. ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર આવી ગયા હતા. જોકે રાહતની વાત તો એ છે કે, હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. રાજ્યમાં ભૂકંપના આંચકા સતત અનુભવાઈ રહ્યા છે. આ દરમિયાન માર્ચ મહિના દરમિયાન ગુજરાતમાં કુલ 4 ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારે હવે એપ્રિલ મહિનાની શરૂઆત માંજ ભૂકંપનો એક…
રાજ્યના પોલીસ બેડામાં બઢતીની મોસમ, એક સાથે 261 ASIને મળ્યા પ્રમોશન
ગુજરાત પોલીસ વિભાગના પોલીસ કર્મચારી-અધિકારીઓને સંવર્ગવાર સમયસર બઢતી મળી રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સમયસર બઢતી મળતાં પોલીસ કર્મચારીઓના મનોબળમાં પણ વધારો થઈ રહ્યો છે. આજે વધુ 261 ASIને પીએસઆઇ તરીકે બઢતી આપવામાં આવી હતી. છેલ્લા 15 મહિનામાં PSI થી લઈને ક્લેરિકલ સ્ટાફ મળીને કુલ 7031 કર્મચારીઓને બઢતી અપાતાં પોલીસ કર્મચારીગણમાં આનંદ ફેલાયો છે. કર્મચારીની બઢતી તેનામાં નવી ઉર્જાનો સંચાર કરીને કાર્યક્ષમતા વધારવામાં તો મહત્વનો ભાગ ભજવે જ છે. ઉપરાંત કર્મચારીની બઢતી સમગ્ર પરિવારને પણ સ્પર્શતો મુદ્દો છે. તેથી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આ બાબતને ખૂબ જ સંવેદનાથી લઈ પોલીસ કર્મચારીઓની બઢતી માટે તમામ જરૂરી સંલગ્ન પ્રક્રિયાઓ સમયસર કરવા આદેશો આપવામાં આવ્યા છે. જેના પરિણામસ્વરૂપે ગુજરાત પોલીસ વિભાગમાં વર્ષ 2024માં…
રાજ્ય સરકારે ખેડૂતો માટે લીધો મહત્વનો નિર્ણય, હવે આ તારીખ સુધી થશે ટેકાના ભાવે તુવેરની ખરીદી
ખેડૂતોને લઈ રાજ્ય સરકારે ફરી એક વાર મહત્વનો નિર્ણય લીધો છે. આ દરમિયાન રાજ્યભરમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે. રાજ્યનો કોઇપણ ખેડૂત ટેકાના ભાવે તુવેરના વેચાણથી વંચિત ન રહી જાય તે માટે ખરીદીનો સમય આગામી તા. 30 એપ્રિલ સુધી લંબાવવાનો કૃષિ મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ નિર્ણય કરવામાં આવ્યો છે. કૃષિ મંત્રી એ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચાલુ વર્ષે તુવેર પાકનું મબલખ વાવેતર અને ઉત્પાદન નોંધાયું છે. ભારત સરકારે પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન હેઠળ તુવેર માટે રૂ. 7,550 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કર્યો હતો. ટેકાનો ભાવ સારો મળતા રાજ્યના 1.23 લાખથી વધુ ખેડૂતોએ તુવેરનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે નોંધણી કરાવી હતી. અત્યાર સુધીમાં સરકારે 841 કરોડની ખરીદી તુવેર:- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે…
















