ફેડરલ રિપબ્લિક ઑફ જર્મનીના ફેડરલ ચાન્સેલર ફ્રેડરિક મૅર્ઝનો ભારત-ગુજરાત પ્રવાસ સંપન્ન, રાજ્યપાલ અને CMએ આપી વિદાય

ફેડરલ રિપબ્લિક ઑફ જર્મનીના ફેડરલ ચાન્સેલર ફ્રેડરિક મૅર્ઝનો ભારત-ગુજરાત પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિવિધ સાંસ્કૃતિક અને વ્યૂહાત્મક કાર્યક્રમોમાં તથા ભારત-જર્મન સી.ઈ.ઓ. ફોરમમાં સહભાગી થયા બાદ તેમણે આજે અમદાવાદ એરપોર્ટ ખાતેથી જર્મની જવા પ્રસ્થાન કર્યુ હતુ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ જર્મન ફેડરલ ચાન્સેલર ફ્રેડરિક મૅર્ઝને ભાવસભર વિદાય આપી હતી. આ પ્રસંગે મુખ્ય સચિવ એમ. કે. દાસ, જીએડીના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજૂ શર્મા, શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક, ચીફ પ્રોટોકોલ અધિકારી જલવંત ત્રિવેદી, જિલ્લા કલેકટર સુજીત કુમાર, એમઇએના અધિકારીઓ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 2025માં ચાન્સેલર તરીકે ચૂંટાયા જર્મનીની 2025ની ચૂંટણીમાં ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝની પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો, જ્યારે ફ્રેડરિક મેર્ઝની જમણેરી પાર્ટી સત્તામાં આવી…

MLA હાર્દિક પટેલનું પાટીદાર સમાજને લઈ મહત્વનું નિવેદન; ફરી ચર્ચાઓ થઈ શરૂ

પાટીદાર અનામત આંદોલનનો ચહેરો હાર્દિક પટેલ હાલ ભાજપના નેતા કે અને વિરમગામ બેઠકના ધારાસભ્ય છે અને તે છેલ્લા ઘણા સમયથી પોતાના નિવેદનને લઈ ચર્ચામાં રહે છે. આ દરમિયાન ફરી એક વખત હાર્દિક પટેલના નિવેદનથી ચર્ચાઓ તેજ થઈ છે. હાર્દિક પટેલએ આગામી 10 વર્ષ બાદ ગામડાઓની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે અને અસ્તિત્વ ટકાવવા સમાજને જાગૃત થવાની હાર્દિક પટેલે અપીલ પણ કરી છે. દેત્રોજ પંથકમાં આયોજિત ચુવાળ કડવા પાટીદાર પ્રગતિ મંડળના કાર્યક્રમમાં ભાજપના નેતા અને વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેમણે મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે, ગામડાઓમાં આપણી સંખ્યા સતત ઓછી થતી જાય છે. જો આપણે જાગૃત નહીં થઈએ તો આવનારા સમયમાં ગામડાઓમાં આપણું અસ્તિત્વ જોખમમાં મુકાઈ શકે છે.” તેમણે ઉમેર્યું કે…

Banaskantha : શિવસેવા સમિતિ દ્વારા બગીચા સર્કલ પાસે સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

હરેશ ઠક્કર, બનાસકાંઠા/ આજરોજ ડીસા ખાતે શિવસેવા સમિતિ દ્વારા સ્વામી વિવેકાનંદજીની જયંતિ નિમિત્તે એક અત્યંત ભાવસભર અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામી વિવેકાનંદજીના વિચારો, જીવનદર્શન અને યુવાનો માટે આપેલી અનમોલ પ્રેરણાને યાદ કરી તમામ યુવાનોને તેમના માર્ગ પર ચાલવા માટે સંકલ્પ લેવાયો. આ કાર્યક્રમમાં શિવસેવા સમિતિના પ્રમુખ જીતુભાઈ પરમાર, કાર્યકારી પ્રમુખ રાહુલભાઈ મહેશ્વરી, મહામંત્રી અતુલભાઈ દૈયા અને રમેશભાઈ જેઠવા, અશ્વિનભાઈ મોદી, ઉપપ્રમુખ પ્રકાશભાઈ રાજપુત, મુકેશભાઈ શર્મા, નટુભાઈ ચૌહાણ, કુંભાભાઈ માળી, મંત્રી રણજીતભાઈ વાઘેલા, વર્ધાભાઈ રાવળ, અશોકભાઈ રાવળ, પ્રવક્તા જીતુભાઈ રાણા સહિત શિવસેવા સમિતિના અનેક કાર્યકરોની ગૌરવસભર ઉપસ્થિતિ રહી. હરેશભાઈ ઠક્કર (મીડિયા કન્વીનર), વિનોદભાઈ બાંડીવાલા, મયુરભાઈ ખત્રી અને તમામ આગેવાનો, મિત્રો તથા ડીસા શહેરના જાગૃત યુવાનોની વિશાળ હાજરીએ કાર્યક્રમને વધુ ભવ્ય અને સફળ બનાવ્યો. “ઉઠો,…

PM મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે પતંગ ચગાવીને કરાવ્યો IKF-2026નો પ્રારંભ, લોકોમાં જોવા મળ્યો ઉત્સાહ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ (IKF) ૨૦૨૬’નો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ખાસ અતિથિ તરીકે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોએ પતંગ ચગાવીને આ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. જે ભારત અને જર્મની વચ્ચેના મજબૂત રાજદ્વારી સંબંધો અને મિત્રતાની પ્રતિબદ્ધતાને દર્શાવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન મોદી તેમજ જર્મન ચાન્સેલર મર્ઝે ખાસ તૈયાર કરવામાં આવેલી અમદાવાદની પોળ અને હવેલીની સ્થાપત્યકલાની પ્રતિકૃતિની મુલાકાત લીધી હતી. ઉત્તરાયણ માત્ર પતંગબાજી જ નહીં, પરંતુ ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ સમાન ઉત્સવ છે. ત્યારે આ હેરિટેજ વોકવે પર પતંગ મ્યુઝિયમ અને આઈકોનિક ફોટો વોલ પણ બનાવવામાં આવી છે. જ્યાં બંને મહાનુભાવોએ વિવિધ રાજ્યની, અલગ અલગ…

ઉત્તરાયણ પર્વમાં ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે યોજાશે ‘કરૂણા અભિયાન’

રાજ્યમાં મકરસંક્રાંતિ-ઉત્તરાયણના પર્વના દરમિયાન પતંગ-દોરીથી અનેક અબોલ પશુ-પક્ષીઓ ઘાયલ થતા હોય છે. આ સાથે જ,તહેવારને ધ્યાને લઇ ધર્મપ્રેમી નાગરીકો પશુઓને ખાસ કરીને ગાયને ઘુઘરી,રજકો અને લીલુ ઘાસ વગેરે ખવડાવતાં હોય છે. જેના થકી ઘણીવાર પશુઓને આફરો અને પોઇઝનીંગ થતું હોય છે. આવા પશુ-પક્ષીઓને તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરીને યોગ્ય સારવાર પૂરી પાડી શકાય તે માટે વર્ષ 2015થી દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા કરૂણા અભિયાન હાથ ધરવામાં આવે છે. આ વર્ષે પણ રાજ્યભરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આવતીકાલે તા.10 થી 20 જાન્યુઆરી 2026 દરમિયાન કરૂણા અભિયાન હાથ ધરવામાં આવશે તેમ, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ વિગતો આપતા જણાવ્યું હતું. મંત્રી મોઢવાડિયાએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી આ કરૂણાસભર પહેલના પરિણામે અનેક અબોલ પશુ-પક્ષીઓને નવજીવન…

જથ્થાબંધ અધિક મુખ્ય સચિવ અને DGP પર ગંભીર આક્ષેપ

જથ્થાબંધ અધિક મુખ્ય સચિવ અને DGP પર ગંભીર આક્ષેપ ગુજરાત મોડલની સરકારમાં અમલદારોનું શાસન ચર્ચામાં સચિવાલયમાં જથ્થાબંધ પ્રમોશનથી વહીવટ પર પ્રશ્નચિહ્ન કમિટી ઓફ સેક્રેટરીઝ બેઠકમાં ચા-નાસ્તાની મજા, કામ ગૂંચવાડામાં મુખ્ય સચિવની ખુરશી આસપાસ અધિક મુખ્ય સચિવોની ભીડ સનદી અધિકારીઓ ઉકેલ કરતાં ગૂંચવાડા ઉભા કરવામાં નિપુણ..! ઉતરાયણની દોરીની માફક વહીવટી ગૂંચવાડા ઉકેલાતા નથી ત્રણ લાખથી વધુ પગાર છતાં યોજનાઓનો અમલ અધૂરો અન્નપૂર્ણા કેન્ટીનમાં ભોજન માટે દસ્તાવેજોની માંગ પર ટીકા આશા વર્કર અને આઉટસોર્સ કર્મચારીઓને ઓછો પગાર મળતાં અસંતોષ સફાઈ કર્મચારીઓને માસિક દસ હજારથી પણ ઓછી રકમ આઉટસોર્સ કર્મચારીઓ લાંચ લેતા થયા, સિસ્ટમ પર અનેક પ્રશ્નો ઇવેન્ટ મેનેજમેન્ટમાં અબજો ખર્ચ, વહીવટ આઉટસોર્સ કરવાની ચર્ચા જથ્થાબંધ DGP, એડિશનલ DGP, IGP પર ભારોભાર ટીકા આઝાદી વખતે એક જ IGP, આજે…

Gandhinagar : મુખ્ય સચિવ મનોજ કુમાર દાસના અધ્યક્ષસ્થાને યોજાઈ રાજ્ય સ્તરીય વસ્તી ગણતરી સંકલન સમિતિની પ્રથમ બેઠક ; જાણો વિગત

ગાંધીનગર ખાતે મુખ્ય સચિવ મનોજ કુમાર દાસના અધ્યક્ષસ્થાને ‘રાજ્ય સ્તરીય વસ્તી ગણતરી સંકલન સમિતિ’ (SLCCC)ની પ્રથમ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી “વસ્તી ગણતરી-2027”ના સુચારુ આયોજન અને પૂર્વતૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યના વસ્તી ગણતરી સંયોજક અને મહેસૂલ વિભાગના સચિવ રાજેશ માંઝુ તેમજ SLCCC સમિતિના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન ગુજરાતના ડાયરેક્ટર ઓફ સેન્સસ ઓપરેશન્સ સુજલ મયાત્રા દ્વારા એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રેઝન્ટેશનમાં વસ્તી ગણતરી-2027ની કામગીરીને સમયમર્યાદામાં પૂર્ણ કરવાની વ્યૂહરચના, વહીવટી સીમાઓ ફ્રીઝ કરવાની પ્રક્રિયા તથા હાથ ધરવામાં આવેલા પ્રી-ટેસ્ટના તારણો અને ગણતરીદારો માટેની તાલીમની તૈયારીઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કરી પૂર્વતૈયારીઓની સરાહના આ ઉપરાંત બેઠકમાં વસ્તી ગણતરી-2027 માટેના અધિકારીઓ અને જરૂરી માનવબળની નિમણૂક…

ગુજરાત પોલીસની GP-SMASH પહેલ: નાગરીકો ઘર બેઠા સોશિયલ મીડિયા દ્વારા લાવી રહ્યા છે ફરિયાદોનું નિરાકરણ

ગુજરાત પોલીસ દ્વારા રાજ્યના નાગરિકો સાથે સોશિયલ મીડિયા મારફતે કનેક્ટ થવા માટે 1 માર્ચ, 2025 ના રોજ શરૂ કરાયેલી GP-SMASH (Gujarat Police – Social Media Monitoring, Analysis and Systematic Handling) પ્રોજેક્ટે છેલ્લા 10 મહિનામાં નોંધપાત્ર સફળતા મેળવી છે. આ પહેલનો મુખ્ય હેતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો દ્વારા રજૂ થતી ચિંતાઓ, ફરિયાદો અને સૂચનોને સંવેદના સમજી ઝડપથી સંબંધિત અધિકારી/કચેરી સુધી પહોંચાડીને સમયસર તેનો ઉકેલ લાવવાનો છે. આ પહેલ શરૂ થઈ ત્યારથી આજ દિન સુધીમાં ગુજરાત પોલીસને કાયદો અને વ્યવસ્થા સંલગ્ન 71, સાયબર ક્રાઇમ સંલગ્ન 233, શરીર સબંધી ગુના-71, પોલીસ ગેરવર્તણૂક-30, પ્રોહીબેશન-83, ટ્રાફિક-377, ચોરી/લૂંટ/ગુમ -109, રેલવે-02 તેમજ અન્ય ફરિયાદો સાથે અંદાજિત 1163 ફરિયાદો સોશિયલ મીડિયાના માધ્યમથી મળી હતી, જે પૈકીની 1150થી વધુ ફરિયાદોનો એટલે કે મોટાભાગની તમામ…

તોલમાપ તંત્ર દ્વારા રાજ્યની 370 જેટલી સોના- ચાંદીની દુકાનો અને જ્વેલરી શો રૂમ પર આકસ્મિક તપાસ ઝુંબેશ હાથ ધરાઇ, નોંધાયા આટલા કેસ

ગ્રાહકોના હિતોની રક્ષા,વેપારમાં પારદર્શિતા અને યોગ્ય માપતોલ સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં કાનૂની માપવિજ્ઞાન તંત્ર દ્વારા રાજ્યભરમાં નિયમિત રીતે કાર્યવાહીની સાથે ગ્રાહક જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે. આ અભિયાનના ભાગરૂપે ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રી  રમણ સોલંકી તેમજ રાજ્ય મંત્રી  પી.સી બરંડાના નેતૃત્વમાં તોલમાપ તંત્ર દ્વારા તા. 02 અને 03 જાન્યુઆરી-2026ના રોજ રાજ્યના 370 જેટલા સોના–ચાંદીના વેપારીઓ તથા જ્વેલરી શો રૂમ પર સામૂહિક આકસ્મિક તપાસ ઝુંબેશ હાથ ધરાવામાં આવી હતી. જેમાં તોલમાપ તંત્રના અધિકારીઓ દ્વારા રાજ્યના 25 જિલ્લાઓમાં 253 પ્રોસિક્યુશન કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી કરીને રૂ. 6,79,000/-જેટલી માંડવાળ ફીની વસૂલાત કરવામાં આવી છે. આ તમામ માંડવાળ ફીની વસૂલાત સ્થળ ઉપર જ E POS-upi-e payment અને ચેકથી વસૂલવામાં આવી છે તેમ, કાનૂની માપવિજ્ઞાન તંત્ર, ગાંધીનગર…

યાયાવર સહિત સ્થાનિક પક્ષીઓ માટે ગુજરાત પસંદગીનું રાજ્ય, જાણો વર્ષ 2024-25 માં અંદાજે કેટલા પક્ષીઓ બન્યા ગુજરાતના મહેમાન

સમગ્ર વિશ્વમાં આશરે 9000 જેટલા વિવિધ જાતિના પક્ષીઓમાંથી 1200 જાતિના પક્ષીઓ ભારતમાં જોવા મળે છે. જેમાંથી 400 થી વધુ પ્રજાતિઓ પરદેશી પ્રવાસી પંખીઓની છે. આ યાયાવર પક્ષીઓ સાયબીરીયા, પૂર્વ યુરોપ,ઉત્તર અને મધ્ય એશિયામાંથી ગુજરાત સહિત ભારતમાં આવે છે. રાજ્યમાં પક્ષી-પ્રાણી સૃષ્ટિના સંરક્ષણ અને સંવર્ધનની સાથે પર્યાવરણના જતન માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે કડક કાયદાઓ, નિયમો અને યોજનાઓ અમલી બનાવી છે, જેને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મક્કમતાથી આગળ વધારી રહ્યા છે. જેના પરિણામે ગુજરાત છેલ્લા દોઢ દાયકાથી યાયાવર પક્ષીઓ અને પ્રાણીઓ માટે સૌથી વધુ સુરક્ષિત રાજ્ય બન્યું છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવિણ માળીના માર્ગદશનમાં વન વિભાગ સહિત વિવિધ પ્રાણી-પક્ષી પ્રેમી સંસ્થાઓ દ્વારા તેમના સંવર્ધન અને સંરક્ષણની પરિણામલક્ષી…