મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં મકરસંક્રાંતિ પર્વની ઉજવણીમાં સહભાગી થયા, સાંસદ અને ધારાસભ્યો પણ જોડાયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મકરસંક્રાંતિના પર્વની ઉજવણી અમદાવાદના ઐતિહાસિક દરિયાપુર વિસ્તારના વાડીગામ ખાતે સ્થાનિક રહીશો સાથે કરી હતી. મુખ્યમંત્રીએ આ અવસરે રાજ્યના તમામ નાગરિકોને મકરસંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવતા સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરી હતી. જેમ પતંગ આકાશની ઊંચાઈઓને આંબે છે, તેમ ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ સર કરે તેવી ભાવના સાથે મુખ્યમંત્રીએ વાડીગામની મૂળજી પારેખની પોળમાં પતંગ ચગાવીને પર્વનો આનંદ માણ્યો હતો. મુખ્યમંત્રીને પોતાની વચ્ચે જોઈ સ્થાનિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સાંસદ અને ધારાસભ્યો પણ જોડાયા પોળના રહીશોએ પોતપોતાના ધાબા પરથી હર્ષનાદ અને અભિવાદન સાથે મુખ્યમંત્રીનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીએ અભિવાદન ઝીલીને સૌનો ઉત્સાહ વધાર્યો હતો.આ ઉજવણીમાં મુખ્યમંત્રીની સાથે અમદાવાદના સાંસદ દિનેશભાઈ મકવાણા, દરિયાપુરના ધારાસભ્ય કૌશિકભાઈ જૈન, સ્થાનિક કાઉન્સિલરઓ તેમજ રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી…
અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર સ્થાપિત થશે 16 ફૂટ ઊંચું અને 600 કિલો વજન ધરાવતું અખંડ શક્તિ ત્રિશૂલ, જાણો વિશેષતા
ઉત્તરકાશી સ્થિત આશરે 1500 વર્ષ જૂના અખંડ શક્તિ ત્રિશૂલની દિવ્ય પ્રેરણાથી અંબાજીના પ્રખ્યાત ત્રિશૂલિયા ઘાટ ખાતે 16 ફૂટ ઊંચું અને આશરે 600 કિલો વજન ધરાવતું દિવ્ય “અખંડ શક્તિ ત્રિશૂલ” સ્થાપિત કરવામાં આવશે. આ સ્થાપના શક્તિ પરંપરાના પુનર્જાગરણનું પ્રતીક બનશે. આ પવિત્ર કાર્ય આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના માર્ગદર્શન અને સહયોગથી તેમજ જય ભોલે ગ્રુપ અમદાવાદના સેવાભાવી સહકારથી કરવામાં આવી રહ્યું છે. સમગ્ર આયોજન ભક્તિ, શ્રદ્ધા અને સેવા ભાવનાથી કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લા કલેકટર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના કરકમલે આગામી 17 જાન્યુઆરી ૨૦૨૬ના રોજ અખંડ શક્તિ ત્રિશૂલને દર્શન માટે ખુલ્લું મુકશે. ભકતજનો આ દિવ્ય ત્રિશૂલના દર્શન આગામી 21 જાન્યુઆરી સુધી બપોરે 3.00 થી સાંજે 8.00 વાગ્યા સુધી કરી શકશે. દર્શન માટે…
મકરસંક્રાંતિ પર્વનો જાણો રાજ્યમાં કેવો છે માહોલ | GROUND REPORT | GUJARATI NEWS BULETIN
ઉતરાયણ પર્વ નિમિત્તે અમિત શાહ અમદાવાદમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે ગૃહમંત્રી જમાલપુર જગન્નાથ મંદિરે કર્યા દર્શન દર્શન સાથે સાથે કર્યું ગૌ માતાનું પૂજન ગૃહમંત્રીએ જગન્નાથ મંદિરે મહંતશ્રીનાં આશીર્વાદ લીધા ગોંડલમાં કોળી સમાજનાં ઈષ્ટદેવના પ્રાગટય દિવસની ઉજવણી શ્રી માંધાતા દેવનાં પ્રાગટય દિવસની ભવ્ય ઉજવણી શોભાયાત્રા અને જ્ઞાતિ ભોજન સમારોહનું ભવ્ય આયોજન રાજ્યકક્ષાનાં મંત્રી પરસોતમ સોલંકીની ઉપસ્થિતિ કેબિનેટ મંત્રી કુવરજી બાવળીય પણ ખાસ હાજર કોળી સમાજનાં અનેક આગેવાનો કાર્યક્રમમાં હાજર શહેર તથા તાલુકાના તમામ ઘર દ્વારા પ્રસાદનું આયોજન ઘર દીઠ સવા મુઠી ખીચડી એકત્ર કરી મહાપ્રસાદ પીરસાશે શ્રી માંધાતા દેવનાં પ્રાગટય દિવસમાં ખાસ ટેબલો આકર્ષણ મહેસાણાઃ સતલાસણા ખાતે ઉતરાયણ પર્વમાં લોકો ઊંધિયું-જલેબી લેવા ઉમટ્યા અકસ્માત ટાળવા 108 અને 112 ટીમ તત્પર લોકોને ચાઇનીઝ દોરી અને…
મકરસંક્રાંતિ પર્વની ઉજવણી | GROUND REPORT | GUJARATI NEWS BULETIN
સુરતના ચૌટા બજારમાં આસ્થા અને સ્વાદનો સંગમ ઉતરાયણના પર્વે દુકાનો પર લાગી લાંબી કતારો સુરતીવાસીઓમાં ભારે ઉત્સાહ, ઊંધિયા માટે વહેલી સવારથી પડાપડી સુરતના ચૌટા બજારમાં જામી અસલી ઉતરાયણની રોનક સ્વાદના શોખીનોનો ઊંધિયું-જલેબીની દુકાનોમાં જમાવડો ઉતરાયણ પર્વે ગૌશાળામાં ભક્તિ અને સેવાનો મેળાવડો ગૌમાતાની સેવા સાથે ઉતરાયણની ઉજવણી ઉતરાયણ પર્વે માટે મેડિકલ કેમ્પની સુવિધા ગૌશાળામાં ભક્તો દ્વારા દાન અને સેવા કાર્ય ગોંડલમાં કોળી સમાજનાં ઈષ્ટદેવના પ્રાગટય દિવસની ઉજવણી શ્રી માંધાતા દેવનાં પ્રાગટય દિવસની ભવ્ય ઉજવણી શોભાયાત્રા અને જ્ઞાતિ ભોજન સમારોહનું ભવ્ય આયોજન રાજ્યકક્ષાનાં મંત્રી પરસોતમ સોલંકીની ઉપસ્થિતિ કેબિનેટ મંત્રી કુવરજી બાવળીય પણ ખાસ હાજર કોળી સમાજનાં અનેક આગેવાનો કાર્યક્રમમાં હાજર શહેર તથા તાલુકાના તમામ ઘર દ્વારા પ્રસાદનું આયોજન ઘર દીઠ સવા મુઠી ખીચડી એકત્ર કરી મહાપ્રસાદ…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરુણા અભિયાન અંતર્ગત વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગના દોરાથી પક્ષીઓને ઘાયલ થતાં બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે ચાલી રહેલા રાજ્યવ્યાપી કરુણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં કાર્યરત વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત વન પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાથે લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે વાઈલ્ડ લાઈફ કેર સેન્ટર દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને વૉટર બર્ડ્સ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સના ડૉ એ.પી. સિંઘે કહ્યું કે મુખ્યમંત્રીના નેતૃત્વમાં ઉત્તરાયણ પર્વમાં ઘાયલ પક્ષીઓને બચાવવાનું આ અભૂતપૂર્વ અભિયાન છે. આ અભિયાનમાં અત્યાર સુધીમાં હજારો ઘાયલ પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા છે. તા.10 થી 20 જાન્યુઆરી દરમિયાન સુધી ચાલનારા આ અભિયાનને સફળ બનાવવા પશુપાલન, વન…
અમિત શાહના હસ્તે ફાર્માસ્યુટિકલ એકેડેમી ફોર ગ્લોબલ એક્સેલન્સ (PAGE)નો કરાયો શિલાન્યાસ, જાણો વિગત
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદના સનાથલ ખાતે ફાર્માસ્યુટિકલ અકેડેમી ફોર ગ્લોબલ એક્સિલન્સ (PAGE)નો શિલાન્યાસ કરવામાં આવ્યો. PAGEના શિલાન્યાસ સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ અલાયન્સ (IPA)નાં 25 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી પણ કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘ધ એલ્કેમી ઑફ ક્યોર’ કૉફી ટેબલ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સનાં 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઇન્ડિયા ફાર્મા આર્કાઇવ્સનું પણ લોકાર્પણ કરાયું હતું. આ સમારંભમાં IPAના પ્રમુખ અને ઝાયડસના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. શાર્વિલ પટેલે પ્રાસંગિક વકતવ્ય આપ્યું હતું, જ્યારે ડૉ. રેડ્ડીના ચેરમેન સતીષ રેડ્ડીએ સ્વાગત પ્રવચન અને લુપિનના એમડી નીલેશ ગુપ્તાએ આભારવિધિ કરી હતી.કેન્દ્રીય ગૃહ મંત્રી…
ROBOFEST–ગુજરાત 5.0 માં સર્જાયો ઇતિહાસ, 229થી વધુ પેટન્ટ્સની થઈ નોંધણી ; 137 ટીમો ગ્રાન્ડ ફિનાલે માટે થઈ ક્વોલિફાય
ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા ભારતની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા એવી ROBOFEST–ગુજરાત 5.0 ના Level–II (Proof of Concept) રાઉન્ડના મૂલ્યાંકન માટે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ટરનેશનલ ઓટોમોબાઇલ સેન્ટર ઑફ એક્સેલન્સ (iACE), ગાંધીનગર ખાતે 28 થી 30 ડિસેમ્બર, 2025 દરમિયાન આ બેઠક યોજાઈ હતી. Level–II Proof of Concept રાઉન્ડ દરમિયાન લગભગ 1,200 વિદ્યાર્થીઓ અને મેન્ટર્સને સમાવતી 229 ટીમો દ્વારા નવ સ્પર્ધાત્મક કેટેગરીઓમાં કાર્યરત રોબોટિક મોડેલ્સ રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન રોબોટ્સ દ્વારા ટ્રેક પર દોડ, હવામાં ગતિ, મેઝ ચેલેન્જનો ઉકેલ, મુશ્કેલ ભૂપ્રદેશમાં નેવિગેશન તથા પાણી નીચે ચાલતા રોબોટ્સ જેવી જીવંત રજૂઆતો કરવામાં આવી હતી. આ પ્રદર્શન iACE કેમ્પસના વિવિધ…
ડ્રગ્સની હેરાફેરી, વેચાણ કે અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિ કરનારની હવે ખેર નથી, પોલીસે બાતમી માટે જાહેર કર્યો વોટ્સએપ નંબર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસ દ્વારા રાજ્યને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે રીતસરની જંગ છેડવામાં આવી છે ત્યારે ડ્રગ્સ માફીયાઓ સામે કડક હાથે કામગીરી કરવા ગુજરાત પોલીસમાં ડેડિકેટેડ નાર્કોટિક્સ કેસને લગતી કાર્યવાહી કરવા માટે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) બનાવવામાં આવી છે. આ લડાઈને વધુ વેગ આપવા અને સામાન્ય જનતા સરળતાથી ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ માહિતી આપી શકે તે માટે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) દ્વારા સત્તાવાર વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર પર કરી શકે છે વોટ્સએપ હવે કોઈ પણ નાગરિક ડ્રગ્સ સંબંધિત માહિતી આપવા માટે ANTF ગુજરાત વોટ્સએપ નંબર: 99040 01908 ઉપર સંપર્ક કરી શકશે. તે ઉપરાંત નાર્કોટિક્સ હેલ્પલાઇન નંબર 1908 ઉપર પણ નાગરિકો કોલ કરી શકે…
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે અદ્યતન બાયો-કન્ટેઈનમેન્ટ ફેસિલિટી “બાયો સેફ્ટી લેવલ- 4” લેબનો શિલાન્યાસ; જાણો વિગત
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતની પ્રથમ અદ્યતન બાયો-કન્ટેઈનમેન્ટ ફેસિલિટી “બાયો સેફ્ટી લેવલ- 4” લેબ તેમજ “એનિમલ બાયો-સેફ્ટી લેવલ” સુવિધાનો ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં શિલાન્યાસ કર્યો હતો. આ વેળાએ રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહ દરમિયાન ગુજરાત બાયો-ટેક્નોલોજી રીસર્ચ સેન્ટરની “બાયો સેફ્ટી લેવલ- 4” સુવિધાને ભારત સરકારની “BioE3 નીતિ” અંતર્ગત ‘નેશનલ સેન્ટર ફોર હાઈ કન્ટેઈનમેન્ટ પેથોજેન રિસર્ચ ફેસિલિટી’ તરીકે નિયુક્ત કરવા માટે કેન્દ્રીય બાયોટેકનોલોજી વિભાગ દ્વારા ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગને લેટર ઓફ ઇન્ટેન્ટ (LoI) એનાયત કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાતની ધરતી પરથી ભારતની સ્વાસ્થ્ય સુરક્ષા અને બાયો સેફ્ટી ક્ષેત્રના વિકાસના નવા યુગની શરૂઆત થઈ છે. પુણે બાદ…
Navsari: સીમલકમાં યોજાયો વાર્ષિક ઇનામ વિતરણ સમારંભ, આચાર્યએ રજૂ કર્યો વાર્ષિક અહેવાલ
નવસારી, રશીદ ભાણા/ જલાલપોર તાલુકાના સીમલક ગામ ખાતે આવેલી જાણીતી શૈક્ષણિક સંસ્થા સીમલક હાઈસ્કૂલમાં વાર્ષિક ઇનામ વિતરણ સમારંભ ઉત્સાહભેર અને ભવ્ય રીતે યોજાયો હતો. સમારંભની શરૂઆત પવિત્ર પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના આચાર્યએ વાર્ષિક અહેવાલ રજૂ કરી શાળાની શૈક્ષણિક તથા સહશૈક્ષણિક સિદ્ધિઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. આ પ્રસંગે વિવિધ ધોરણોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર તેજસ્વી વિદ્યાર્થિનીઓને ટ્રોફી અને રોકડ પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ બોર્ડ પરીક્ષામાં ઉત્તમ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને પણ વિશેષ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. વિદેશથી આવેલ પૂર્વ વિદ્યાર્થીઓએ કર્યા સન્માનિત સમગ્ર કાર્યક્રમની ખાસ વાત એ રહી કે, વિદેશથી પધારેલા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના હસ્તે વર્તમાન વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર કાર્યક્રમમાં ગૌરવ અને ઉત્સાહનો…
















