Ahmedabad: વૈષ્ણોદેવી સર્કલ પાસે બસ અને કારનો ભયંકર અકસ્માત, સર્જાયા ટ્રાફિકજામના દ્રશ્યો

ગુજરાતમાં અકસ્માતની ઘટના સતત વધી રહી છે. આ દરમિયાન આજે રાજ્યના અનેક વિસ્તારમાં ધુમ્મસ છવાયું છે. ત્યારે અમદાવાદના એસ. જી. હાઇવે પર આવેલ વૈષ્ણોદેવી સર્કલ પાસે ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં એસટી બસ અને એક ફોર્ચ્યુનર કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ અને ફોર્ચ્યુનર કારનો કચ્ચરઘાણ બોલી ગયો છે. જેમાં એકનું મોત થયું છે.

આજે વહેલી સવારે અમદાવાદના એસ. જી. હાઇવે નજીક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે હિંમતનગરથી રાજકોટ જતી એસટી બસ અને એક ફોર્ચ્યુનર કાર વચ્ચેની અકસ્માતની ઘટનામાં એકનું મોત થયું છે. જ્યારે ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની ઘટનાને લઈને ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતા.

કારને ક્રેનની મદદથી હટાવવામાં આવી
આજે વહેલી સવારે ફોર્ચ્યુનર કાર અમદાવાદથી ગાંધીનગર જઇ રહી હતી. આ દરમિયાન કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા વૈષ્ણોદેવી બ્રિજના બીજા છેડે પહોંચી અને એસ. ટી. બસ સાથે અથડાઇ હતી. બીજી તરફ અન્ય એક કાર પણ આ અકસ્માતમાં અથડાઈ અને ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ફોર્ચ્યુંનર અને બ્રેઝા કારનો કચ્ચરઘાણ બોલી ગયો . અકસ્માત એટલો ભયંકર હતો કે, ફોર્ચ્યુનર કારને ક્રેનની મદદથી હટાવવામાં આવી હતી.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

અમદાવાદમાં ઓટોરિક્ષા ભાડામાં વધારો: મિનિમમ ભાડું ₹25, પ્રતિ કિમી ₹20; મુસાફરોમાં નારાજગી

અમદાવાદમાં વધતા CNGના ભાવ વચ્ચે ઓટોરિક્ષા ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. લાંબા સમયથી ભાડામાં સુધારાની માંગ કરી રહેલા રિક્ષા ચાલકોને રાહત આપતા ટ્રાન્સપોર્ટ વિભાગે નવા ભાડા દરોને મંજૂરી આપી છે.…

યુનિસેફનું ગંભીર એલર્ટ: ઇબોલાના વધતા કેસો, 30 લાખથી વધુ બાળકો જોખમમાં

વિશ્વમાં ફરી એકવાર ઇબોલા વાયરસનો પ્રકોપ ગંભીર સ્વરૂપ લઈ રહ્યો છે. તાજેતરના આંકડા મુજબ ઇબોલાના કુલ કેસો વધીને 1,048 થયા છે, જેમાં અત્યાર સુધી 267 લોકોના મોત નોંધાયા છે. મૃત્યુદર…