સોનું અને ચાંદી ફરી ચમક્યા: ભાવ કેમ ઘટી રહ્યા નથી? નિષ્ણાતોનો ચેતવણી સંદેશ
તહેવારોની મોસમમાં સોના અને ચાંદીના ભાવોમાં નોંધપાત્ર વધારો થતાં રોકાણકારો ભમરાયા છે. ઘણા લોકો સોનાના ભાવ ઘટાડાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ બજારના નિષ્ણાતો સ્પષ્ટ કહે છે કે “સોનાનું ક્રેશ હવે શક્ય નથી.” છેલ્લા એક મહિના દરમિયાન સોનાના ભાવમાં 3-4% સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. ચાંદીમાં પણ ઔદ્યોગિક માંગ તથા રોકાણકારોની સક્રિય ખરીદીના કારણે ભાવ સતત વધી રહ્યા છે. CA નીતિન કૌશિકનો ચેતવણીજનક સંદેશ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નીતિન કૌશિકએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું,”સોનાના ક્રેશની રાહ જોવાનું બંધ કરો. તે થઈ રહ્યું નથી. સોનું ફક્ત એક ચમકતી ધાતુ નથી, પરંતુ વૈશ્વિક અર્થતંત્રમાં ભય અને વિશ્વાસનું બેરોમીટર છે.” તેમના જણાવ્યા અનુસાર, સોનાની હાલની તેજી કોઈ “મોસમી લેવલ” નથી — પણ આનો સીધો સંબંધ વૈશ્વિક અર્થતંત્રની…








