ભારત-અમેરિકા વચ્ચે આજે જે સહયોગ છે, તે મનમોહન સિંહના વિઝન વિના શક્ય ન હોતઃ બિડેન
અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો અને તેમને સાચા રાજકારણી ગણાવ્યા. વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચે જે પ્રકારનો સહયોગ આજે છે તે મનમોહન સિંહના વિઝન વિના શક્ય ન હોત. ઉલ્લેખનીય છે કે મનમોહન સિંહ 2004 થી 2014 સુધી 10 વર્ષ ભારતના વડાપ્રધાન હતા. મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે 92 વર્ષની વયે અવસાન થયું હતું. -> બિડેને મનમોહન સિંહને સાચા રાજકારણી ગણાવ્યા :- વ્હાઇટ હાઉસ તરફથી જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘અમેરિકા અને ભારત વચ્ચે આજે જે અભૂતપૂર્વ સ્તરનો સહકાર છે તે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની વ્યૂહાત્મક દ્રષ્ટિ અને રાજકીય હિંમત વિના શક્ય ન હોત. ભારત-યુએસ-ભારત નાગરિક પરમાણુ…
ડોક્ટર મનમોહનસિંહનું યોગદાન હમેંશા યાદ કરવામાં આવશેઃ મોહન ભાગવત
દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે ગુરુવારે દિલ્હી AIIMS ખાતે અંતિમ શ્વાસ લીધા. દેશના એવા પીએમમાં મનમોહન સિંહનું નામ સામેલ છે, જેમના વખાણ વિપક્ષો પણ કરે છે. આરએસએસના વડા મોહન ભાગવતે પૂર્વ પીએમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, ભારતના પૂર્વ વડાપ્રધાન અને દેશના વરિષ્ઠ નેતા ડૉ. સરદાર મનમોહન સિંહના નિધનથી સમગ્ર દેશ અત્યંત શોકની લાગણી અનુભવી રહ્યો છે. -> પૂર્વ PMના નિધન પર RSS ચીફે શું કહ્યું? :- આરએસએસ ચીફે કહ્યું, “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમના પરિવાર અને અસંખ્ય પ્રિયજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે. ડૉ. મનમોહન સિંહ, એક સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી આવતા હોવા છતાં, દેશના સર્વોચ્ચ પદને શોભાવ્યું હતું. પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી ડૉ. મનમોહનસિંહનું યોગદાન હંમેશા યાદ કરવામાં આવશે. અમે ભગવાનને પ્રાર્થના કરીએ…
મનમોહન સિંહના નિધન પર પાકિસ્તાનથી આવી પ્રતિક્રિયા, ફવાદ ચૌધરીએ કહ્યું ભારતની સમૃદ્ધિ તેમના વિઝનનું પરિણામ
ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટીના નેતા ફવાદ ચૌધરીએ પૂર્વ ભારતીય પીએમ મનમોહન સિંહને તેમના નિધન પર શ્રદ્ધાંજલિ આપી. ફવાદ ચૌધરીએ એક્સ પર લખ્યું, ‘ડૉ. મનમોહન સિંહના નિધન વિશે જાણીને દુઃખ થયું. આજે ભારત જે આર્થિક સ્થિરતા માણી રહ્યું છે તે મોટાભાગે તેમની દૂરંદેશી નીતિઓને કારણે છે, -> ફવાદ ચૌધરીએ વીડિયો જાહેર કર્યો :- પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ ચૌધરીએ પૂર્વ પીએમ મનમોહન સિંહના નિધન પર એક વીડિયો જાહેર કર્યો અને કહ્યું કે થોડા સમય પહેલા જ મને ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનના સમાચાર મળ્યા. મનમોહન સિંહ જીનો જન્મ અમારા જેલમ જિલ્લાના કાલા ગામમાં થયો હતો, જ્યાં તેમણે તેમનું શિક્ષણ મેળવ્યું હતું, તેઓ ભારત આવ્યા હતા. ભારતની વર્તમાન આર્થિક સમૃદ્ધિ મોટાભાગે મનમોહન સિંહજીના વિઝનનું પરિણામ છે,…









