જંત્રીના દરોની અમલવારીને લઈને મોટા સમાચાર, નવા જંત્રીના દર લાગુ કરવામાં થઈ શકે છે વિલંબ
ગુજરાતમાં નવા જંત્રીના દર લાગુ કરવામાં વિલંબ થઈ શકે છે. જંત્રી અંગે અંદાજે 11 હજારથી વધુ વાંધા સૂચનો મળ્યા છે. 6 હજારથી વધુ વાંધા સૂચનો જંત્રી ઘટાડા માટેના મળ્યા છે. બીજી તરફ 1700 સૂચનો જંત્રી વધારવા માટેના મળ્યા તો જંત્રીના દર લાગુ કરવા અંગે મુખ્યમંત્રી સમીક્ષા કરશે અને મુખ્યમંત્રી જંત્રી દર લાગુ કરવા અંગે આખરી નિર્ણય લેશે. આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદનાં જુહાપુરામાં બુલડોઝર ફરી વળ્યા, ફતેવાડીમાં ગુનેગાર મુશીરની હવેલી તોડી પાડી એપ્રિલ મહિનામાં લાગુ થઈ શકે છે ભાવ :- ગુજરાતમાં એપ્રિલ મહિનામાં જંત્રીના નવા દર લાગુ થવાની શક્યતાઓ રહેલી છે. જેમાં જંત્રીના ભાવોમાં રાહત મળે તેવી સંભાવના પણ સેવાઈ રહી છે. 11000 જેટલી વાંધા અરજીઓ ફેરફાર માટે મળી હતી. જેમાં 6000 જેટલી અરજીઓ…
Surat : સુરતવાસીઓ માટે સારા સમાચાર, પાણી બિલમાં મળશે રાહત
સુરત શહેરીજનોને રાહત આપવા મનપાની સ્થાયી સમિતિ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી સમયમાં કરદાતાઓ અને પાણી બિલમાં રાહત આપવામાં આવશે. સુરતવાસીઓનું 41 હજાર મિલકતોના પાણી બિલમાં વ્યાજ માફ થશે. તેમજ 30 જુન સુધીમાં જે લોકો પાણીનું બીલ ભરશે તેમને ફાયદો થશે. આ પણ વાંચો :- Vadodara : વર્ષોથી લડત આપનારા ખેડૂતોની થઈ જીત, સરકારે જ નર્મદા નિગમની કચેરી કરી સીલ મનપાની સ્થાયી સમિતિ સુરતવાસીઓના મિલકતોને લઈને પણ મહત્વનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત કરદાતાઓને 100 ટકા વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવશે. 35536 રહેણાંક મિલકતમાં બાકી વ્યાજની રકમ 17.29 કરોડ થાય છે જ્યારે 30 ધાર્મિક મિલકતમાં બાકી વ્યાજ રૂ.26 હજાર અને બિનરહેણાંક મિલકતમાં બાકી વ્યાજ રૂ.10.55 કરોડ હોવાનું સામે આવ્યું છે. આ પણ વાંચો :- રાજ્યમાં…
‘આ કઠિન નિર્ણય નથી’, ક્રિકેટરોએ હેરી બ્રુક પર બે વર્ષના પ્રતિબંધનું સમર્થન કર્યું
તાજેતરમાં, જ્યારે BCCIએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) માંથી અચાનક તેનું નામ પાછું ખેંચી લીધું અને ઈંગ્લેન્ડના સ્ટાર ક્રિકેટર હેરી બ્રુક પર બે વર્ષનો પ્રતિબંધ લગાવ્યો, ત્યારે તે ક્રિકેટ વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો. પ્રતિબંધનો અર્થ એ છે કે હેરી આગામી બે વર્ષ સુધી હરાજી (મિની હરાજી)ની ખરીદી અને વેચાણમાં ભાગ લઈ શકશે નહીં. બોર્ડે આ નિયમ ગયા વર્ષે જ એવા ખેલાડીઓ માટે બનાવ્યો હતો જેઓ ચોક્કસ ટીમ દ્વારા ખરીદવામાં આવ્યા બાદ છેલ્લી ક્ષણે ટૂર્નામેન્ટમાંથી ખસી ગયા હતા. જોકે, બ્રુકે ઈંગ્લેન્ડના બે સ્ટાર ક્રિકેટર મોઈન અલી અને આદિલ રાશિદ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને યોગ્ય નિર્ણય ગણાવ્યો છે. મોઈને કહ્યું, ‘આ કઠિન નિર્ણય નથી. હું આ નિર્ણય સાથે સંમત છું કારણ કે મોટી સંખ્યામાં ખેલાડીઓ આ કરે છે.…
Ahmedabad : કાળઝાળ ગરમી લઈને પ્રાથમિક શિક્ષણ સમિતિનો મોટો નિર્ણય, વિદ્યાર્થીઓને મળશે રાહત
અમદાવાદની પ્રાથમિક શિક્ષણ સમિતિએ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લીધો હતો. જેમાં કાળઝાળ ગરમીને લીધે વિદ્યાર્થીઓ માટે વોટર બેલ વગાડવામાં આવશે. શાળામાં વિદ્યાર્થીઓ પાણી પી શકે તે માટે દર દોઢ કલાકે બેલ વગાડવામાં આવશે. અને શાળાઓમાં જરૂરિયાત મુજબ ORS પેકેટની વ્યવસ્થા કરવામાં આવનાર છે. આ પણ વાંચો :- Morbi : મોરબીમાં ડિમોલિશનની કામગીરી યથાવત, ગેરકાયદેસર મિલકત પર બુલડોઝર ફરી વળ્યું 450 શાળામાં IEC ડિસ્પ્લે મુકવામાં આવશે. આ ડિસ્પ્લેમાં ગરમીમાં શું કરવું અને શું ના કરવું તેની માહિતી આપવામાં આવનાર છે. ત્યારે શિક્ષણ સમિતિના આ નિર્ણયના કારણે વિદ્યાર્થી પાણી પીવાનું ભૂલી નહીં શકે. ગરમીથી બચવા તબીબો પણ બપોરના સમયે કામ સિવાય બહાર ન નીકળવાની સલાહ આપી રહ્યા છે. સાથે જ કોટનના કપડા પહેરવા, લાંબી મુસાફરી હોય તો છાંયડામાં થોડો…
gandhinagar : ગુજરાત સરકારને મળી અરજીઓ, એપ્રિલમાં જંત્રીના નવા દર લાગુ થવાની શક્યતા
રાજ્ય સરકારે જંત્રીના દરમાં વધારો કર્યો હતો. ત્યાર બાદ એપ્રિલ મહિનામાં જંત્રીના નવા દર લાગુ થવાની શક્યતાઓ રહેલી છે. ત્યારે જંત્રીના ભાવોમાં રાહત મળે તેવી સંભાવના સેવાઈ રહી છે. કારણ કે, 11000 જેટલી વાંધા અરજીઓ ફેરફાર માટે મળી હતી. જેમાં 6000 જેટલી અરજીઓ જંત્રી ઘટાડા માટેની છે. CM કક્ષાએ અંતિમ નિર્ણય બાદ નવા દર જાહેર થઈ શકે છે. આ પણ વાંચો :- રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 78મી પુણ્યતિથિ: ધંધુકામાં ‘ચારણ-કન્યા’ થીમ પાર્કનું લોકાર્પણ એક શહેરમાંથી 1000 જેટલી અરજી આવેલી છે. જેમાં 800 વાંધા અરજીઓ આવી છે. મોટા ભાગે જંત્રી દરમાં વિસંગતતા હોવાની અરજીઓ છે. સૂચિત જંત્રીદર સામે વાંધા અરજી દાખલ કરવામાં આવી છે. જે કેટલી યોગ્ય છે અને જંત્રીદરમાં કેટલી વિસંગતતા છે તેની સમીક્ષા કરવા કલેકટર…
રેલવે 50 સ્પેશિયલ ટ્રેન દોડાવશે, હોળી-ધૂળેટીનાં તહેવારને લઈને લેવાયો નિર્ણય
દર વર્ષની જેમ આ વર્ષે પણ રેલવે વિભાગે હોળી-ધૂળેટીનાં તહેવારને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલવે દ્વારા વધારાની 50 સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. જેમાં ઉધના સ્ટેશનથી 96 ટ્રિપની નોટિફિકેશન ઓલરેડી થઈ ચૂકી છે સાથો સાથ મુસાફરોની માંગને ધ્યાને રાખી સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર વધારાનો સ્ટાફ મૂકાયો છે. આ પણ વાંચો :- હોલિકા દહનની રાત્રે, કાળા તલ અને સરસવ સાથે આ ચમત્કારિક યુક્તિ કરો! ઘરમાં પૈસાનો ઢગલો હશે સૌથી વધારે મુંબઈ સેન્ટરથી હોલીડે સ્પેશીયલ ટ્રેન દોડાવવામાં આવશે. મુસાફરોની ડિમાન્ડને જોઈ વધારાની ટ્રેનો દોડાવવાની પશ્ચિમ રેલવે જાહેરાત કરી છે. જ્યારે ઉધના સ્ટેશનથી 96 ટ્રિપની નોટિફિકેશન ઓલરેડી થઈ ચૂકી છે. 9 માર્ચથી 13 માર્ચ દરમિયાન એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી રહી છે. ડાકોર, દાહોદ, ગોધરા સહિતના મુસાફરોના…
Anand : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત, આણંદમાં રૂ.64.29 કરોડનાં ખર્ચે નવી જેલ બનશે!
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત કરી છે. આણંદ જિલ્લાના બાકરોલ ખાતે ૩૭૦ કેદી ક્ષમતા સાથે રૂ.૬૪.૨૯ કરોડના ખર્ચે તૈયાર થશે. નવી જેલને આણંદ જિલ્લા જેલ તરીકે ઘોષિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા મંજૂર કરવામાં આવી છે. આણંદ જિલ્લામાં અત્યાર સુધી માત્ર બાકરોલ તાલુકા જેલ કાર્યરત હતી. આ પણ વાંચો :- surat : સુરતમાં વડાપ્રધાન મોદીનાં આગમનને લઈને તૈયારી શરુ, પોલીસે જાહેરનામું બહાર પાડ્યું બાકરોલ ખાતે ફાળવવામાં આવેલી જમીનમાં 370 કેદી ક્ષમતા ધરાવતી નવી જેલ બનાવવામાં આવી રહી છે. જેમાં 330 પુરુષ કેદીઓ અને 40 સ્ત્રી કેદીઓ માટે ક્ષમતા સુવિધા ઉપલબ્ધ રહેશે. જિલ્લા જેલ તરીકે ઘોષિત થવા માટે ઓછામાં ઓછી 240 કેદી ક્ષમતા હોવી જરૂરી હોય છે. આ નવી જેલ 370…
Rajkot : જ્ઞાનપ્રકાશ સ્વામીના બફાટને લઈને બે દિવસ વીરપુર રહેશે સજ્જડ બંધ, ગ્રામ પંચાયતની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય
જ્ઞાનપ્રકાશ સ્વામીનાં વિવાદિત નિવેદન લઈને બે દિવસ વીરપુર સજ્જડ બંધ રહેશે. વીરપુર ગ્રામ પંચાયતની બેઠકમાં મોટો નિર્ણય લેવાયો છે. આજે-કાલે બે દિવસ વીરપુર સજ્જડ બંધ રહેશે. આવશ્યક વસ્તુઓને બાદ કરતાં શહેર બંધ રહેશે. દવા, હોસ્પિટલ, જરૂરી ચીજોની દુકાનો ચાલુ રહેશે. મહત્વનું છે કે, જ્ઞાનપ્રકાશ સ્વામીને 24 કલાકનું અલ્ટીમેટમ અપાયું છે. આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાતનાં કાળઝાળ ગરમી, જાણો ક્યાં કેટલું તાપમાન નોંધાયું વીરપુરની બેઠકમાં આગેવાનોનું સ્વામીને અલ્ટીમેટમ, સ્વામી કાલે સાંજ સુધીમાં વીરપુર આવી રૂબરૂ માફી માગે. માફી નહીં તો આગામી રણનીતિ 6 માર્ચે જાહેર થશે. વિવાદિત નિવેદન બાદ જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માગી તેમ છતાં વિરોધ શમવાનું નામ નથી લેતો. સંત શિરોમણી જલારામ બાપા સામેની વિવાદિત ટિપ્પણી બાદ નારાજગી વધી છે. યાત્રાધામ વીરપુરમાં પણ વિરોધનો…














