અમદાવાદના પૂર અસરગ્રસ્ત વેપારીઓ માટે સરકારનું રાહત પેકેજ: જાણો કોને કેટલી સહાય મળશે
જુલાઈ 2026 દરમિયાન અમદાવાદ જિલ્લામાં પડેલા ભારે વરસાદ અને તેના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિએ વેપારીઓ, લારી-રેકડી ધારકો, કેબિન સંચાલકો તેમજ નાના-મોટા દુકાનદારોને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. અનેક ધંધાર્થીઓની દુકાનો, વેપારનું સાધન-સામાન અને રોજગારના માધ્યમોને નુકસાન થતાં તેમની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પૂર અસરગ્રસ્ત વેપારીઓના પુનર્વસન અને ધંધાને ફરી શરૂ કરવામાં મદદરૂપ થવા માટે વિશેષ ‘આર્થિક અને પુનઃવસન સહાય પેકેજ’ જાહેર કર્યું છે. બે પ્રકારની સહાયનો લાભ મળશે ઉદ્યોગ અને ખાણ વિભાગના ઠરાવ મુજબ અસરગ્રસ્ત વેપારીઓને મુખ્યત્વે બે પ્રકારની રાહત આપવામાં આવશે. પ્રથમ, નુકસાનના પ્રકાર અને ધંધાના માળખા પ્રમાણે ઉચ્ચક રોકડ સહાય આપવામાં આવશે. જ્યારે પાકી દુકાન ધરાવતા પાત્ર વેપારીઓ માટે બીજી વ્યવસ્થા તરીકે બેંકની ટર્મ લોન…
IGST અને CGSTની ITC હવે SGSTમાં પણ વાપરી શકાશે: વેપારીઓને મળી મોટી રાહત
જીએસટીમાં ટેક્સ ભરવા માટે હવે વેપારીઓ પાસે જમા કરેલ એસજીએસટી ક્રેડિટનો ઉપયોગ પણ થઈ શકશે. અગાઉના નિયમ મુજબ, વેપારીઓ પાસે આઈજીએસટી (IGST) અને સીજીએસટી (CGST)માં ક્રેડિટ હોવા છતાં તે રકમને એસજીએસટી (SGST) માટે વાપરી શકતા નહોતા. તેથી ટેક્સ ભરવા માટે વેપારીઓએ પોતાની બચતમાંથી રોકડ રકમ જમા કરવી પડતી હતી. નવા સુધાર પછી, વેપારીઓ પાસે કોઈપણ હેડમાં ક્રેડિટ જમા હોય તે રકમ હવે કોઈપણ હેડમાં ટેક્સ ભરવા માટે વાપરી શકાશે. આમાં ખાસ કરીને SGSTના લેઝરમાં જમા કરેલ ક્રેડિટનો પણ ઉપયોગ થશે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ સુધારો વેપારીઓ માટે મોટી રાહત લાવે છે, કારણ કે હવે તેઓએ ટેક્સ ભરવા માટે વધારે રોકડ જમા કરાવવા જરૂરી નથી. ઈલેક્ટ્રોનિક લેઝરમાં ઉપલબ્ધ ક્રેડિટનો સંપૂર્ણ ઉપયોગ કરી ટેક્સ ચૂકવવું શક્ય બન્યું છે.…








