પુલવામા હુમલાની સાતમી વરસી, વીર જવાનોને રાષ્ટ્રનું નમન

આજે 14 ફેબ્રુઆરી, 2026ના રોજ સમગ્ર દેશ પુલવામા ખાતે 2019માં થયેલા ભયાનક આતંકી હુમલાની સાતમી વરસી નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. વર્ષ 2019માં આ જ દિવસે થયેલા આતંકી હુમલામાં Central Reserve Police Force (CRPF)ના 40 વીર જવાનો શહીદ થયા હતા. દેશની રક્ષા માટે પ્રાણ ન્યોછાવર કરનાર આ સપૂતોને આજે રાષ્ટ્ર ગર્વ અને આંસુભીની આંખોથી યાદ કરી રહ્યું છે. શહાદતની કાળી બપોર અને અડગ રાષ્ટ્રવાદ 14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોના કાફલા પર થયેલા આત્મઘાતી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. આ કાયરતાપૂર્ણ હુમલામાં 40 જવાનોના બલિદાન બાદ ભારતે આતંકવાદ સામે વધુ કડક વલણ અપનાવ્યું હતું. આ ઘટના બાદ દેશભરમાં સુરક્ષા વ્યવસ્થાઓ મજબૂત બનાવવામાં આવી અને આતંકવાદ વિરોધી કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી. શહીદોના…