IPL 2025: નારાયણ-વરુણની ફિરકીમાં ફસાયા દિલ્હી કેપિટલ્સ, KKRની રોમાંચક જીત

ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની સ્પર્ધામાં દિલ્હી કેપિટલ્સ સામે રોમાંચક મુકાબલામાં 14 રનથી જીત નોંધાવી છે. ટોસ હારીને પહેલા બેટિંગ કરતા KKRએ 20 ઓવરમાં 9 વિકેટે 204 રન બનાવ્યા હતા, જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 190 રન જ બનાવી શકી હતી.

KKR તરફથી યુવા બેટ્સમેન અંગક્રિશ રઘુવંશીએ 44 રનનો મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. જ્યારે અન્ય બેટ્સમેનોએ પણ ઓછામાં વધુ યોગદાન આપ્યું હતું. દિલ્હીની બોલિંગમાં મિશેલ સ્ટાર્કે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી. વિપરાજ નિગમ અને અક્ષર પટેલે બે-બે વિકેટ ઝડપી હતી, જ્યારે દુષ્મંથા ચમીરાને એક વિકેટ મળી હતી.

205 રનની લક્ષ્યાંક સાથે મેદાન પર ઉતરેલી દિલ્હીની ટીમ શરૂઆતથી જ દબાણમાં રહી. નારાયણ અને ચક્રવર્તીની ફિરકી સામે દિલ્હીના બેટર્સ સતત સંઘર્ષ કરતા જોવા મળ્યા. નારાયણે 4 ઓવરમાં માત્ર 26 રન આપી 3 વિકેટ લીધી, જ્યારે વરુણ ચક્રવર્તીએ 2 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી. અનુકુલ રોય, વૈભવ અરોરા અને આન્દ્રે રસેલે પણ 1-1 વિકેટ લીધી. આ સિઝનમાં દિલ્હીએ ઘરઆંગણે કુલ ચાર મેચ રમી છે, જેમાંથી ત્રણમાં તેમને પરાજયનો સામનો કરવો પડ્યો છે. પ્લેઓફની દિશામાં આગળ વધવા માટે હવે દિલ્હીને આગામી તમામ મેચોમાં બહેતર પ્રદર્શન કરવું જરૂરી બન્યું છે.

પ્લેઇંગ ઈલેવન
કોલકાતા નાઈટ રાઈડર્સ:
રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), સુનીલ નારાયણ, અજિંક્ય રહાણે (કેપ્ટન), વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, અંગક્રિશ રઘુવંશી, આન્દ્રે રસેલ, રોવમેન પોવેલ, હર્ષિત રાણા, અનુકુલ રોય, વરુણ ચક્રવર્તી.

દિલ્હી કેપિટલ્સ:
ફાફ ડુ પ્લેસિસ, અભિષેક પોરેલ (વિકેટકીપર), કરુણ નાયર, કેએલ રાહુલ, અક્ષર પટેલ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, વિપરાજ નિગમ, મિશેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, દુષ્મંથા ચમીરા, મુકેશ કુમાર.

KKRએ બેટિંગ અને બોલિંગ બંનેમાં સંતુલિત પ્રદર્શન કરીને ફરી એકવાર તેમના ટાઇટલ ડિફેન્સ માટે મજબૂત દાવદાર તરીકે પોતાને સાબિત કર્યા છે. બીજી તરફ, દિલ્હી ટીમને urgent સંઘર્ષમાંથી બહાર આવવું પડશે અને આગામી મેચોમાં જીત માટે વ્યૂહરચનામાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે.

Related Posts

ચામડી દઝાડતા તાપમાં કેવા પ્રકારનું સનસ્ક્રીન વાપરવું? ખરીદતા પહેલા ધ્યાનમાં રાખો

ઉનાળાની ઋતુ પોતાની સાથે અનેક પડકારો લઈને આવે છે, જેમાંથી એક છે ત્વચા સંબંધિત સમસ્યાઓ. હકીકતમાં, સૂર્યના તીવ્ર કિરણોના સંપર્કમાં આવવાથી ત્વચાને નોંધપાત્ર નુકસાન થાય છે. યુવી કિરણોત્સર્ગના સંપર્કમાં આવવાથી ત્વચામાં વિવિધ ફેરફારો થાય છે, જેમ કે શુષ્કતા, કરચલીઓ, ઇલાસ્ટિન અને કોલેજનનું ભંગાણ, ફ્રીકલ્સ અને ઉંમરના ફોલ્લીઓ. તેથી, આ ઋતુ દરમિયાન, તમારી ત્વચાની સંભાળ રાખવા માટે યોગ્ય SPF સ્તર સાથે નિયમિતપણે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ કે સનસ્ક્રીન ખરીદતી વખતે તમારે કયા પરિબળો ધ્યાનમાં રાખવા જોઈએ.

Census2026/ 1 જૂનથી શરૂ, ગુજરાતીઓ તૈયાર રહો આ 33 સવાલોનાં જવાબ આપવા માટે

Gujarat Census 2026: ગુજરાતમાં આગામી 1 જૂન, 2026થી 30 જૂન, 2026 દરમિયાન રાજ્યવ્યાપી વસ્તી ગણતરી અને હાઉસ લિસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ વખતે સરકાર વસ્તી ગણતરીની (Gujarat Census 2026) પ્રક્રિયાને વધુ આધુનિક, ઝડપી અને ભૂલરહિત બનાવવા માટે સંપૂર્ણપણે ડિજિટલ ટેક્નોલોજી પર ભાર મૂકી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *